________________
સ... મા...ચા... ૨
પ્રતિષ્ઠા 1. ચાણોદ (મારવાડમાં) જેઠ સુદિ છઠના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રતિષ્ઠા વખતે પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી હિમ્મતવિજયજી આદિ પધાર્યા હતા.
૨. સાયરા મેવાડ)માં જેઠ સુદ નોમના દિવસે નવા દેરાસરમાં પ્રભુજી પધરાવવામાં આવ્યા.
૩. સરદરિયામાં જેઠ સુદ ૧૪ના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રતિષ્ઠા વખતે પૂજ્ય આ. ભ. શ્રી વિજયયતીન્દ્રસૂરિજી પધાર્યા હતા.
દીક્ષા
૧. ચાણસ્માવાળા શેઠ ચતુરભાઈ તારાચંદે અષાડ સુદી સાતમના દિવસે ઝગડિયામાં પૂજ્ય આ. ભ. શ્રી વિજયલાવથસૂરિજી મહારાજ પાસે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુનિશ્રી ચંદ્રપ્રભવિજયજી રાખવામાં આવ્યું અને તેમને પૂજ્ય આ. ભ. શ્રો વિજયનેમિસૂરીશ્વરજીના શિષ્ય બનાવવામાં આવ્યા
2. મૂળીવાળા કોઠારી જયંતીલાલ અમુલ બે વાપીમાં અષાડ સુદી ૧ના દિવસે આ. ભ. શ્રી વિજયક્ષમાભદ્રસૂરિજી મહારાજ પાસે તેમના શિષ્ય તરીકે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુનિશ્રી જયવિજયજી રાખવામાં આવ્યું.
૩. મહુધાવાળા શામળદાસભાઇએ કપડવંજમાં અષાડ સુદી ૧૧ના દિવસે પૂજ્ય આ. .શ્રી વિજયકુમુદસૂરિજી પાસે તેમના શિષ્ય તરીકે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુનિશ્રી શીલવજયજી રાખવામાં આવ્યું.
૪. સીરવાળા ભાઈ છેટાલાલે અષાડ સુદી ૧૦ના દિવસે સપરમાં પૂજ્ય પં. શ્રો ચરણવિજયજી પાસે પૂજ્ય પં. શ્રી મેરૂવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુનિશ્રી નગીનવિજયજી રાખવામાં આવ્યું.
૫. વાવવાળા ભાઈ દેવસીભાઈએ અષાડ સુદી ૧૪ના દિવસે રસીપેરમાં પૂજ્ય પં. શ્રી ચરણવિજયજી પાસે તેમના શિષ્ય તરીકે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુનિ શ્રી દીપવિજયજી રાખવામાં આવ્યું.
સ્વીકાર આહત આગમનું અવલોકન યાને તત્ત્વરસિક ચન્દ્રિકા--પ્રણેતા અને પ્રકાશક-હીરાલાલ રસિકદાસ કાપડિયા, સાંકડીશેરી, ગોપીપુરા, સુરત. મૂલ્ય દસ આના.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org