Book Title: Jain Satyaprakash 1939 04 SrNo 45
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 51
________________ માંસાહારની ચર્ચા અને “પ્રસ્થાન " માં પ્રગટ થયેલ શ્રી ગોપાળદાસભાઈના ખુલાસા અંગે તાજેતરમાં બહાર પડેલ “પ્રસ્થાન' માસિકના પિષ માસના અંકમાં “શ્રી જન સત્ય પ્રકાશ” માં પ્રગટ થયેલ પૂજ્ય મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજીને અને પૂજ્ય મુનિ મહારાજ શ્રી ધુરંધરવિજયજીને લેખ છપાયો છે. સાથે સાથે આ ચર્ચા અંગેને શ્રી ગોપાળદાસભાઈને ખુલાસો, “પ્રસ્થાન'ના તંત્રીશ્રીને લખાયેલ પત્રરૂપે પ્રગટ થયા છે. આ ખુલાસો અમે ધ્યાનપૂર્વક વાંચ્યું છે. તેનું મુખ્ય તાત્પર્ય આ છે – ૧ શ્રી ગોપાળદાસભાઈને, પિોતે માંસાહારને લગતે જે અર્થ કર્યો છે તેમાં ફેરફાર કરવા જેવું કશું લાગતું નથી, તેને તેઓ ભારપૂર્વક વળગી રહે છે. અને છતાં ૨ તેઓ અજાણપણે જેનભાઈઓની લાગણી દુભવવા બદલ ક્ષમા માગે છે. તેમજ ૩ તેઓ આ સંબંધી વધુ ચર્ચામાં ઊતરવા ઇચ્છતા નથી. તેઓએ માંગેલી ક્ષમાની નેંધ લેવા છતાં અમારે કહેવું જોઈએ કે એમના આ ખુલાસાથી અમને જરાય સંતોષ થયો નથી. આવો ખુલાસો એક અતિ મહત્વની ચર્ચાના શુભ અંતરૂપ ન ગણું શકાય. છતાં આ અંગે શ્રી ગોપાળદાસભાઈ સાથે પત્રવ્યવહાર કરીને એક વધુ પ્રયત્ન કરી જોવાનું ઇષ્ટ લાગવાથી અમે અત્યારે આ સંબંધી વધુ લખવાનું મોકુફ રાખીએ છીએ, તેમની સાથેના પત્રવ્યવહારનું જે કંઈ પરિણામ આવશે તે અમે યથાસમય પ્રગટ કરીશું. વ્યવસ્થાપક સ્વીકાર ૧. નાસ્તિક-મત-વાદનું નિરસન ભાગ 1; લેખક-મુનિરાજ શ્રી ભદ્રકવિજ્યજી; પ્રકાશક-શેઠ જોડીરામ બાળારામ, નિપાણી (બેલગામ); ભેટ. ૨. સંસ્કૃત-પ્રાચીન-સ્તવન-સંદોહ; સંપાદક-મુનિરાજ શ્રી વિશાલવિજયજી; પ્રકાશક-બી વિજયધર્મસુરિ જૈન ગ્રંથમાળા, છોટા સાફા, ઉજજૈન (માલવા); મૂલ્ય–ત્રણ આના. ૩. હરિશ્ચન્દ્રસ્થાનકમ; કવિપુરંદર શ્રી બાવદેવસૂરિ વિરચિત કબદ્ધ સંસ્કૃત શ્રી પાર્શ્વનાથચરિત્રમાંથી ઉદ્ભૂત, પ્રકાશક-શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા, છાણી. પૂ. સાધુ-સાધ્વીજી મહારાજને તથા જિજ્ઞાસુ મહાશયને ભેટ આપવાનું છે. ભેટ મંગાવનારે પિસ્ટ પેકીંગ માટે એક આનાની ટિકિટ આ સરનામે મોકલવી-શાહ જગુભાઈ Jain Ed44244 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52