Book Title: Jain Satyaprakash 1936 08 SrNo 14
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ ८० ભાદ્રપદ કુલમાં જન્મ પામી કુપુત્ર, કલત્રાદિનાં દુઃખેા હઠાવી વિશિષ્ટ સંપદા પામે છે. વળી જે ભવ્ય જીવ, પરમ સાત્ત્વિક ભાવે, આ પ્રભુની એક ફૂલથી પણ પૂજા કરે, તે ભવિષ્યમાં ઘણા રાજાઓને નમવા લાયક ચક્રવર્તી થાય છે; જે ભવ્ય જીવ અષ્ટપ્રકારી પૂજા કરે, તેને ભવિષ્યમાં ઈંદ્રાદિની પદવી જરુર મળે છે અને જે ભવ્ય જીવ ઘરેણાં આદિ ચઢાવી પૂજા કરે તે જીવ ત્રણે ભુવનમાં મુકુટ જેવા થઈ ને અલ્પ કાલે મુક્તિપદને પામે છે. 6 એ પ્રમાણે, શ્રી સઘદાસ નામના મુનીશ્વરે આ શ્રી સ્તંભન પાર્શ્વનાથની ખીના ઘણા વિસ્તારથી કહી હતી. તેને સક્ષેપમાં શ્રી પદ્માવતીની આરાધના કરીને શ્રી સીમંધરસ્વામીને પૂછાવીને ઠેઠ સુધી શાસનરક્ષક તપાગચ્છની મર્યાદા કાયમ રહેશે ’ એવા સત્ય નિર્ણય મેળવી, શ્રી સંઘને કહી સભળાવનારા શ્રી જિનપ્રભસૂરિજીએ પ્રાકૃત ગદ્ય-પદ્ય રચનામાં જણાવી છે. તેને અનુસારે, બીજા પ્રભાવકચરિત્રાદિ ગ્રંથાને અનુસારે તથા પ્રાચીન ઐતિહાસિક શિલાલેખ આદિ સાધનેને અનુસારે ટુકામાં શ્રી સ્તંભન પાર્શ્વનાથનું ચરિત્ર મેં મનાવ્યું છે. ક્રુતિના દુઃખાને દૂર કરનારું અને હાથી, સમુદ્ર, અગ્નિ, સિંહ, ચાર, સર્પ, શત્રુ, ગ્રહ, ભૂત, પ્રેતાદિના તમામ ઉપદ્રવેામે નાશ કરનારું આ શ્રી સ્તંભન પાર્શ્વનાથનું ચરિત્ર હૈ ભન્ય જીવા, તમે જરુર વાંચા, વિચાર, સાંભળેા અને સંભળાવા ! જેથી ભવિષ્યમાં ચિરસ્થાયિ કલ્યાણમાલા તમને જરુર મળશે. જ્યાંના મંદિરમાં શાસનાધીશ્વર શ્રી જીવસ્વામિ મહાવીર મહારાજાની અલૌકિક પ્રતિમા કે જે પ્રભુના વડીલ બંધુ રાજા શ્રી નઢીવને પ્રભુની હયાતીમાં ભરાવી હતી, અને ૧૯૮૫ ની સાલમાં જે બિંબની પ્રતિષ્ઠા થઈ હતી, તે ખિમ મૂલનાયક તરીકે છે, જ્યાં શાસન પ્રભાવક જગડુશાહે, જાવડશાહ આદિ મહાશ્રાવકા થયા છે અને જે મારા ગુરુવની જન્મભૂમિ છે, તે શ્રી મધુમતિ (મહુવા) નામની પ્રાચીન નગરીમાં ગુરૂ મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પસાયથી વિક્રમ સંવત્ ૧૯૯૨ ના કાર્તિક સુદ પંચમીને દિવસે પૂર્વે ખનાવેલા સ ંસ્કૃત શ્લાકબદ્ધ ચરિત્રના ક્રમ પ્રમાણે આ ચરિત્ર ખનાખ્યું. આ ચરિત્ર બનાવવાથી ઉત્પન્ન થયેલા પુણ્યવડે હું એ જ ચાહું છુ કે સર્વ જીવે શ્રી સ્તંભન પાર્શ્વનાથની સાત્ત્વિક ભક્તિ કરી મુક્તિ પદ પામે. ગુજરાતિ પદ્યમાં (પાંચ ઢાળ રૂપે ) આ ચરિત્રને ટુંકામાં જાણવાની ઇચ્છાવાળા જીવાએ શ્રી મહાવીર પંચકલ્યાણક પૂજાદિ સોંગ્રહમાં સ્તંભપ્રદીપ છપાયેા છે તે જોઇ લેવા. સપૂ ૧. આ બુક, શેઠ માણેકલાલ મનસુખભાઈ સંધવીએ ૧૯૭૯ ની સાલમાં છપાવી છે. ખપી જીવે. ત્યાંથી મેલવી શકશે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46