Book Title: Jain Sanskrit Sahityano Itihas Part 02
Author(s): Munichandrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 423
________________ P. પ૭૩ ૩૪૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૫ (૪) ટીકા (વિ. સં. ૧૭૦૩)- આ ખરતર' ગચ્છના શ્રીસારે વિ. સં. ૧૭૦૩માં રચી છે.' [જબૂસ્વામિચરિત્ર- જિનવિજયકૃત પ્રાકૃત જંબૂચરિયના આધારે સાધ્વી પ્રમોદશ્રીએ આ રચ્યું છે. પ્ર. ૫. છબીલદાસ વિ. સં. ૨૦૧૧. ચારિત્રમનોરથમાલા- અજ્ઞાતકર્તક ૩૦ પ્રાકૃતગાથામય આ કૃતિ આ. મિત્રાનન્દસૂરિકૃત પ્રેમપ્રભાટીકા અને મુનિ ભવ્યદર્શનવિ. કૃત ભાવાનુવાદ સાથે “પદ્મવિજય ગ્રં.” માં પ્રસિદ્ધ. માર્ગ પરિશુદ્ધિ- ઉપા. યશોવિ.ગણિ. ટીકા આ. કુલચન્દ્રસૂરિ પ્ર. દિવ્યદર્શન. સં.૨૦૫૮] () રૂપો [૨] (૧) અનર્થરાઘવ (લ. વિ. સં. ૯૫૦)– આના કર્તા મુરારિ છે. એમને કેટલાક “બાલવાલ્મીકિ' કહે છે. અને એમના આ નાટકમાંના એક પદ્યની આકર્ષકતા ઉપરથી એમને કેટલાક “ઈન્દુમુરારિ' કહે છે. એમના પિતાનું નામ વર્ધમાન અને માતાનું નામ તન્નુમતી છે. એઓ ઇ.સ. ૯૦૦ની આસપાસમાં થયા છે. એમણે આ નાટકમાં વિશ્વામિત્રના આગમનથી માંડીને તે અયોધ્યામાં રામચન્દ્રનો રાજ્યાભિષેક થયો ત્યાં સુધીનું એમનું જીવનવૃત્તાન્ત આલેખ્યું છે. આ સાત અંકના નાટકના ત્રીજા અંકમાં રાવણનો દૂત શૌષ્કલ મિથિલામાં આવી રાવણની તરફથી સીતાની માગણી કરે છે એ વાત આવે છે. મહાવીરચરિતની જેમ આ નાટકમાં પણ કેટલાંક પરિવર્તનો જોવાય છે. જેમકે શૂર્પણખાએ મંથરાના વેષમાં કૈકેયીના પત્રના બળથી રામના નિર્વસનની કરેલી માગણી (અ. ૪), પરશુરામનુ મિથિલાથી જ આગમન ( ૪) અને રામ અને વાલિનું ’ યુદ્ધ (અં. ૫). આ નાટક ઉપર નીચે મુજબનાં ત્રણ જૈન ટિપ્પણો છે :(૧) રહસ્યાદર્શ– આ ૭૧૦૦ શ્લોક જેવડા ટિપ્પણના કર્તા મલધારી દેવપ્રભસૂરિ છે. (૨) ટિપ્પણ- આ ૨૪૫૦ શ્લોક જેવડું ટિપ્પણ “હર્ષપુરીય' ગચ્છના દેવપ્રભસૂરિના શિષ્ય નરચન્દ્રસૂરિએ રચ્યું છે. આની નોંધ રાજશેખરસૂરિએ ન્યાયકન્ટલીની ટીકામાં લીધી છે. (૩) ટિપ્પણ– આ ૩૩૫૫ શ્લોક જેવડા ટિપ્પણના કર્તા મુનિચન્દ્રસૂરિના શિષ્ય જયચન્દ્રસૂરિના શિષ્ય જિનહર્ષગણિ છે. આ ટિપ્પણની એક હાથપોથી વિ. સં. ૧૫૩૫માં લખાયેલી છે. (૨) કપૂરમંજરી (કપૂરમંજરી) (લ. વિ. સં. ૯૫૦)– આ સર્વથા પાઈયમાં રચાયેલું સક છે. એના કર્તા રાજશેખર છે. એમનો સમય ઈ. સ. ૯૦૦ની આસપાસનો છે. ટીકા- આ ખરતર' ગચ્છના જિનસાગરસૂરિના શિષ્ય ધર્મચન્દ્ર રચી છે. વૈિયાકરણ ન્યાયાદર્શ- પંગિરજાશંકર શાસ્ત્રી. સંપા. આ. ચન્દ્રગુપ્તસૂરિ.] P પ૭૪ ૧. “ખરતર' ગચ્છના શિવવિધાને તેમ જ “ખરતરગચ્છના કમલરત્નના શિષ્ય દાનધર્મ એકેક ટબ્બો રચ્યો છે. ૨. આને કેટલાક અનર્ધરાઘવ પણ કહે છે. ૩. આનાં પ્રકાશનો માટે જુઓ D 0 G C M )Vol, XIV, p. 10) ૪. જુઓ | c s L (p. 638). ૫. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૭૪-૭૫) ૬. આના પ્રથમ અંકનો મેં ગુજરાતીમાં અનુવાદ કર્યો છે પણ એ અપ્રકાશિત છે. Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556