Book Title: Jain Moorti Vidhan
Author(s): Priyabala Shah
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 120
________________ મૃતદેવીએ અને વિદ્યાદેવીએ ૧૧૧ કમંડલું, તલવાર અને ઢાલ રાખે છે. દિગંબર ગ્રંથકારે આ વિદ્યાદેવીને હંસવાહિની કહે છે અને તેના હાથમાં અક્ષસૂત્ર, વરદમુદ્રા, અંકુશ અને માળા હોય છે. આ વિદ્યાદેવીને ખ્યાલ વાગીશ્વરીના વિચારમાંથી ઉદ્ભવેલે જણાય છે. તેને તલવારનું પ્રતીક જિન શાન્તિનાથની દિગંબર યક્ષિણી નિર્વાણી સાથે અનુરૂપ છે. તેના હાથમાંના પ્રતીકે પુસ્તક, કમંડલુ અને પદ્મ તેની પ્રકૃતિ યક્ષિણી કરતાં વિદ્યાદેવી સાથે વધુ બંધબેસતા આવે છે. મૃતદેવી મહામાનસીને દિગંબર સંપ્રદાય પ્રમાણેને ખ્યાલ યક્ષિણ કે વિદ્યાદેવી પ્રમાણે તેના પ્રતીક જેવાં કે મયુર, હંસ, અક્ષસૂત્ર વગેરે વિદ્યાદેવી તરીકે વધુ યોગ્ય જણાયાં છે. વિદ્યાદેવીઓની સ્વતંત્ર પ્રતિમાઓ જૈન મંદિરમાં પૂજતી હોવાનું જાણમાં નથી. પણ જૈનમંદિરનાં રંગમંડપનાં ગળગુંબજના દરેક સ્તંભ ઉપર એક એક વિદ્યાદેવીને તેના આયુધ અને વાહને સાથે મૂકેલી જોવામાં આવે છે. એમાં પ્રત્યેક દેવી ઊભી, શરીર ઉપર સુંદર અલ કારયુક્ત તેમજ વસ્ત્રોથી શોભતી અને તેના વાહન સાથે કલાયુક્ત શિલ્પ અને સૌષ્ઠવસહિત શાસ્ત્રીય રીતે બનાવેલી નજરે પડે છે. ટૂંકમાં વિદ્યાદેવીઓની સેવ્યપ્રતિમાઓ મળતી નથી તો શંગારમતિઓમાંથી તેનાં સ્વરૂપ મળી આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150