Book Title: Jain Drushtie Yoga
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 282
________________ ધ્યાન ૨૪૭ ૪ ઈદ્રિયના અર્થો ક્ષણવારમાં મગ્ન થઈ જાય છે. પ્રભુનાં નખ અને રેમ વધતાં નથી, પ્રભુને આહારવિહાર છસ્થ પ્રાણી દેખી શકતા નથી અને પ્રભુને શ્વાસેરસ કમળ જે સુગંધી હોય છે. પ્રભુ જ્યાં જ્યાં વિહાર કરે છે ત્યાં ત્યાં દેવે તેમની આગળ રત્નનિમિત ધર્મવિજ ચલાવે છે, પ્રભુની સાથે જમીન પર નવ કમળ ચાલે છે તેમાંનાં બે બે દરેક પગલે આગળ આવે છે તેના પર પગ મૂકે છે અને કરડેની સંખ્યામાં દે નિરંતર પ્રભુની સેવામાં તેમના અતિ ઉજજવળ ગુણેથી આકર્ષાઈને રહે છે અને પિતાની શક્તિ પ્રમાણે પ્રભુપદની સેવા કરી જન્મને ધન્ય માને છે. આવી અનેક સમૃદ્ધિ તીર્થંકરનામકર્મના ઉદયથી થાય છે પણ પ્રભુ તેમાં અલિપ્ત રહે છે, એમના મન પર ઈંદ્રભૂતિ-ગૌતમ જેવાની એકાંત પ્રીતિ અને રાગદષ્ટિએ અસર કરી નહિ, એમના પર અનેક દેવની પૂજાએ અસર કરી નહિ અને શાળાના ઉપદ્રવે પણ અસર કરી નહિ એ તેઓના ચિત્તની અતિ ઉદાત્ત સ્થિતિ બતાવે છે. આવી રીતે તીર્થકર નામકર્મના ઉદયથી અનેક પ્રકારની ઋદ્ધિ પ્રાપ્ત થાય છે તેનું જે વર્ણન કરવામાં આવે તે પુસ્તક ભરાય. એમના પ્રાતિહાર્યનું વર્ણન, ચેત્રીશ અતિશયની મહત્તા અને વાણના રૂપ-ગુણે અન્યની સરખામણીમાં બહુ ઉત્કૃષ્ટ હેવાથી અત્યંત આનંદ આપે છે. હવે સામાન્ય કેવળીની શુકલધ્યાનને લીધે ઉત્પન્ન થયેલ જ્ઞાન થયા પછી થતી સ્થિતિ, યોગને અંગે થતી ખાસ વર્તના અને કર્મક્ષયને અને થતી અતિ વિશુદ્ધ અવસ્થા આપણે વિચારીએ. સામાન્ય કેવળીઓ પણ આયુષ્યકર્મ બાકી હોય તે

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308