Book Title: Jain Dharmno Parichay
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 8
________________ ને તેથી પ્રજા વિનાશકારી જડવાદ અને વિકાસવાદ તરફ ઘસડાઈ રહી છે! આવા અવસરે ધર્મતત્વનું અને આર્ય સંસ્કૃતિનું જ્ઞાન આપી પ્રજાને સચેતન કરવાની અત્યંત આવશ્યકતા છે. પાઠશાળાઓમાં ૨-૩ વર્ષને કે બાંધી આ પુસ્તક ભણાવી શકાય. બુઝર્ગ જેને પણ આ પુસ્તકના ઊંડા અભ્યાસથી પોતે ધર્મસંબંધી સારે બોધ મેળવી શકશે. આજે કેટલાક જૈનેતર ભાઈઓ પણ જૈન ધર્મ સમજવા આતુર હોય છે, અગર તત્વના જિજ્ઞાસુ હોય છે એમને પ્રસ્તુત પુસ્તકથી જૈન ધર્મના વિવિધ અંગો સરળ ભાષામાં ટુંક વાંચને સમજવા માટે આ પુસ્તક આપી શકાય એવું છે. ગુરુગમ દ્વારા ઊંડા અભ્યાસથી સારામાં સારો બંધ મળી શકશે. આ પુસ્તક ભણવાના લાભ :- પહેલો લાભ એ, કે જેનધર્મમાં બતાવવામાં આવેલા તે કેટકેટલા અર્થગંભીર, અતુલ અને અસાધારણ છે અને એની પિતાની કેવી આગવી વિશેષતા દર્શાવે છે, એનો ખ્યાલ આવશે. તથા માનવજીવનની ઈતિકર્તવ્યતાનું ભાન થશે. બીજું આર્ય–સંસ્કૃતિ, જેનધર્મ અને એના શાસન સ્થાપક તીર્થકર ભગવાન પ્રત્યે અનહદ માન ઉપજશે વળી તે જીવનને ઉત્તમ રીતે જીવવામાં અતિ ઉપયોગી નીવડશે. સાથે એ પણ સમજાશે કે ભૌતિક વિજ્ઞાન કરતાં આધ્યાત્મિક વિજ્ઞાન કેટલું ચઢિયાતું અને જીવનમાં સાચી શાંતિ, કુર્તિ તથા આબાદી આપનારું, ભવ્યતત્ત્વદૃષ્ટિદાયી છે.... વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WWW

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 362