Book Title: Jain Dharm no Pran
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 16
________________ જૈનધર્મને પ્રાણ આવ્યો છે, અને જન્મજન્માંતરમાં સાથે જનાર ભૌતિક શરીરરૂપ દ્રવ્યકર્મને પણ સ્વીકાર કરવામાં આવ્યું છે. ન્યાય-વૈશેષિક પરંપરા, જેમાં આવા સૂક્ષ્મ શરીરનો કોઈ ખાસ સ્વીકાર કરવામાં નથી આવ્યા, એણે પણ જન્મજન્માંતરમાં જનાર અણુરૂપ મનને સ્વીકાર કરીને વ્યકર્મના વિચારને અપનાવ્યો છે. પુનર્જન્મ અને કર્મની માન્યતાની પછી જ્યારે મેક્ષની કલ્પના પણ તત્ત્વચિંતનમાં સ્થિર થઈ ત્યારથી અત્યાર સુધીની બધ-મેક્ષવાદી ભારતીય તત્વચિંતકની આત્માના સ્વરૂપ સંબંધી માન્યતાઓ કેવી કેવી છે અને એમાં વિકાસક્રમની દૃષ્ટિએ જેન મંતવ્યના સ્વરૂપનું શું સ્થાન છે, એને સમજવા સાર ટૂંકાણમાં બંધ-મેક્ષવાદી મુખ્ય મુખ્ય બધી પરંપરાઓનાં મંતવ્ય નીચે આપવામાં આવે છે – ૧) જૈન પરંપરા મુજબ પ્રત્યેક શરીરમાં જુદો જુદો આત્મા છે. એ પિતે શુભાશુભ કર્મનો કર્તા અને કર્મના ફળ–સુખ, દુઃખ વગેરે–ને ભોક્તા છે. એ જન્માંતર વખતે બીજા સ્થાનમાં જાય છે. અને સ્થૂળ દેહ પ્રમાણે સકાચ કે વિસ્તારને ધારણ કરે છે. એ જ મુક્તિને પામે છે અને મોક્ષકાળમાં સાંસારિક સુખ-દુઃખ, જ્ઞાન-અજ્ઞાન. વગેરે શુભ-અશુભ કર્મ વગેરે ભાવથી સર્વથા મુક્ત બની જાય છે. (૨) સાંખ્ય-ગ પરંપરા પ્રમાણે આત્મા ભિન્ન ભિન્ન છે, પણ એ ફૂટથ અને વ્યાપક હેવાને લીધે ન તે કર્મને કર્તા, ભક્તા, જન્માંતરમાં જનાર, ગતિશીલ છે કે ન તે મુક્તિગામી જ છે, એ પરંપરા પ્રમાણે તે પ્રાકૃત બુદ્ધિ કે અંતઃકરણ જ કમનું કર્તા, ભોક્તા, જન્માંતરગામી, સંકોચ-વિસ્તારશીલ, જ્ઞાન-અજ્ઞાન વગેરે ભાવોનું આધાર અને મુક્તિકાળમાં એ ભાવથી રહિત છે. સાંખ્યયોગ પરંપરા અંતઃકરણના બંધ-મોક્ષને જ ઉપચારથી પુરુષના માની લે છે. (૩) ન્યાય-વૈશેષિક પરંપરા પ્રમાણે આત્મા અનેક છે, એને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22