________________
શ્રી સિદ્ધચકની તાત્વિક ભાવના
૩૪૯
૩૪૯
શ્રી સિદ્ધચક્રની તાત્ત્વિકભાવના આ લેખક. વિજયપધસૂરિ
(ગતાંક પૃષ્ઠ ૩૧૮ થી અનુસંધાન) આ ત્રણ પ્રકારની આરાધનામાં છેલ્લી બે આરાધના ત્યાગ કરવા લાયક છે. કારણ કે તે બંને મોક્ષ સુખને આપવાને અસમર્થ છે. એ પ્રમાણે આરાધ નાના ભેદે સમજી નવપદમય શ્રી સિદ્ધચકની સાત્વિકી આરાધના કરવાના અભિલાષિ જીવોએ નવપદેના યથાર્થ સ્વરૂપને અવશ્ય જાણવું જોઈએ. તેથી હવે નવપદમય શ્રી સિદ્ધચક્રનું સ્વરૂપ કહીયે છીયે. તેમાં પહેલું અરિહંત પદ , માટે તેનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે.
૧. અરિહંતપદ-નવપદમય શ્રી સિદ્ધચક્રમાં પ્રથમપદે જણાવેલા શ્રી અરિહંત પ્રભુના સ્વરૂપને જણાવવાના જેકે અનેક પ્રકાર શાસ્ત્રમાં બતાવેલા છે તોપણ તેઓમાં સરલ પ્રકાર આ છે અહીં આરાધનાને પ્રસંગ હોવાથી જે પ્રભુ ની ધ્યાનાદિ સાધન દ્વારા આપણે આરાધના કરવાની છે, તે પ્રભુ વર્તમાન સ્વરૂપમાં એટલે ભાવ નિક્ષેપાની વિચારણાએ કેવા સ્વરૂપે વતે છે એ બીના–“વિવિધ ગણને દેખાડનારા અહંન વિગેરે ૮ નામોને વિસ્તારથી જણુંવવાના પ્રસંગે જણાવી, તેવી સ્થિતિ પ્રભુએ ક્યા ક્રમે પ્રાપ્ત કરી? એ પણ જણાવી, છેવટે તે સ્વરૂપને મેળવવા માટે આપણું હાર્દિક ભાવના કેવા પ્રકારની હોવી જોઈએ, આ બાબત પણ ટુંકામાં કહેવાશે- અરિહંત પ્રભુના ૮ નામે આ પ્રમાણે જાણવા ૧ અહંન્ ૨ અરહોન્ત ૩ અરથાન્ત ૪ અરહંત ૫ અરહયન ૬ અરિહંત ૭ અરહંત ૮ નડહ. આ આઠ નામનું અનુક્રમે સ્વરૂપ આ પ્રમાણે જાણવું. ૧ અન=અશોકવૃક્ષ સુર પુષ્પવૃષ્ટિ દિવ્યધ્વનિ વિગેરે સ્વરૂપે ઇન્દ્રાદિ દેવોથી કરાતી પૂજાને લાયક જે હોય એટલે ઈન્દ્રાદિ દેવ આઠ મહા પ્રાતિહાર્યોએ કરી જેમની પૂજા કરે, તે અહંન કહેવાય. વિશેષાવશ્યકમાં કહ્યું પણ છે કે-અતિ વૈરાનમંગળ િસરિતિ પૂર I સિવિલમાં જ અરા, કરતા તે કુત્તિ / ૧ // જે કે સ્થાનાંગ સૂત્રમાં અપેક્ષાથી ૧ કાવધિમન ૨ માર્યવાન ૩ વઢશાનાર્દન . આ ત્રણ પ્રકારે અન બતાવ્યા છે. તે પણ ઉપર કહેલું સ્વરૂપ પહેલા બે અઈમાં નહિ ઘટતું હોવાથી નવપદની આરાધનામાં ત્રીજા અર્હનને અધિકાર છે, એમ સમજવું. / ૨ અરેહાન્ત પ્રભુ પિતે સર્વજ્ઞ હોવાથી શૂન્ય પ્રદેશમાં પણ બનેલી સર્વ બીના અથવા તે ભયંકર અંધકારમય પર્વતની ગુફા વિગેરે સ્થલે પણ બનેલી તમામ બીનાને કેવલજ્ઞાનથી જાણે છે. માટે અહિડન્ત પણ કહી શકાય . ૩ અરથાન્ત–પ્રભુએ રથ વિગેરે