Book Title: Jain Dharm Prakash 1953 Pustak 069 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - અંક ૧ લે તે જર્મન અને ઈટાલીયન અનુવાદથી અલંકૃત જેન કૃતિઓ. ૧૯ શકે તેમ હોવાથી હું અહીં જે જૈન કૃતિઓના જર્મન અનુવાદે મેં નજરે જોયા છે કે એ વિષે મેં વાંચ્યું છે તેની એક કામચલાઉ યાદી આપું છું. એ પરિપૂર્ણ રજૂ કરાય તે માટે મેં મારા મિત્ર એક જર્મન વિદ્વાનને પત્ર લખી માહિતી માગી છે પણ એ તે એમની પરિસ્થિતિને આધીન વાત રહી એટલે અત્યારે આ ખાતું ખોલી રાખું છું. સાથે સાથે ઇટાલિયન અનુવાદો વિષે પણ ડુંક કહું છું. જૈન સાહિત્યના આપણે બે વર્ગ પાડી શકીએ. (૧) આ મમિક સાહિત્ય અને (૨) અનામિક સાહિત્ય. આમિક સાહિત્ય એટલે આગમે અને એને લગતી વિવરણાત્મક કૃતિઓ. અનાગમિક સાહિત્યના દાર્શનિક, કથાત્મક ઇત્યાદિ વિભાગો પડી શકે. ઉપલબ્ધ સાહિત્યની દૃષ્ટિએ આગમોની રચના થી પ્રથમ થઈ હોવાથી હું એને અંગાદિ કિમે અહીં વિચાર કરું છું. - આયાર નામના પહેલા અંગનું પહેલું સુખધતું જર્મન ભાષાંતર છે. વૈથર શુદ્ધિગે કર્યું છે અને એ લાઈસંગથી ઈ. સ. ૧૯૨૬માં છપાયેલા એમના પુતક નામે Worte Mahaviras ના એક અંશ તરીકે છપાયું છે. (જુઓ પૃ. ૬-૧૨). આ જર્મન પુસ્તકમાં સૂયગડના અમુક ભાગનો જર્મન અનુવાદ છે. 21. gulu's Die Jainas ( Religions-gesch, Lesebuch ) Hi fuleygarde અમુક અમુક ભાગને જર્મન અનુવાદ આપે છે, સ્ટાર્ગથી ઇ. સ. ૧૯૦૭માં ડબલ્યુ હિમનને Die Jata-Erzahlungen in sechsten Aiga des Kanons der Jinesken નામને જે જર્મન ભાષામાં નિબંધ છપાય છે તેમાં નાયાધમ્મકહાની કથાઓને જર્મનમાં સારાંશ વગેરે છે. પણહાવાગરણને અંગે, જર્મન ભાષામાં એક નિબંધ આપણા દેશના કોઈ વિદ્વાને લખ્યાનું અને એ છપાયાનું સાંભળ્યું છે, પણ એ નિબંધ મારા જેવામાં આવ્યો નથી.. આવવાયનાં છેલ્લાં કેટલાંક પોનું છે, શુબ્રિગે Die Jainas( Rel. Leseb)માં જર્મન ભાષાંતર કર્યું છે. સૂરપણુત્તિ-સંબંધી છે. વેબરને નિબંધ નામે Uber die suryaprajnapti ઈ. સ. ૧૮૬૮માં છપાયે છે. આ આગમન ચંદપણત્તિ સાથે સંબંધ પ્રો. 1શુબ્રિગે Die Lehre der Jainas( પૃ. ૭૧)માં વિચાર્યું છે. પ્રો. અનંટ લૈંયમેને આવસ્મયને લગતા સાહિત્ય વિષે જર્મન ભાષામાં જે વિસ્તૃત નિબંધ નામે Ubersicht der Avasyaka-Literatur લખ્યો હતો તે એમના અવસાન બાદ હેમ્બર્ગથી ઈ. સ. ૧૯૩૪ માં પ્રસિદ્ધ કરે છે. 1. જુઓ મારું પુસ્તક નામે આગમોનું દિગ્દર્શન (પૃ. ૮૭). ૨. વિશેષ માટે જુઓ આ૦ દિ. (પૃ. ૧૦૨). મહાન સીહ એમણે બલિનથી ઈ. સ. ૧૯૧૮ માં છપાવ્યું છે. આને અંગે હાલમાં એમણે એક અભ્યાસ પૂર્ણ નિબંધ લખ્યો છે એમ જાણવા મળે છે. ૪. આના સંક્ષિપ્ત પરિચય માટે જુઓ આ. દિ (પૃ. ૧૫૭). For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28