Book Title: Jain Bhugol
Author(s): Nyayavijay
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 6
________________ જૈન ભૂગોલ ૧૧૦ કે જેમાં વસનારા મનુષ્યો કેઈ જાતને પરસ્પર વ્યવહાર કરી શકતા નથી. અર્થાત એક ખંડમાંથી બીજા ખંડમાં જવામાં બહુ મુશ્કેલીઓ રહેલી છે-આર્યખંડના મધ્યમાં શાશ્વતા સ્વસ્તિક ઉપર બાર યોજન લાંબી અને નવ જન પહોળી વિનીતા નગરીનું સ્થાન છે જેની ઉત્તરમાં અષ્ટાપદ પર્વત છે. વિનીતા અને લવણું સમુદ્રના મધ્યમાં શત્રુંજય પર્વત છે તથા ભરતક્ષેત્રની દક્ષિણમાં ત્રણ તીર્થભૂમિ છે. પુરાણ ગ્રંથે પણ જબુદીપના નવમા સ્થાનને પવિત્ર ભરત તરીકે ઓળખાવે છે પરંતુ તેને વિસ્તાર નવ જન હોવાનું કહે છે. વિનીતા (પ્રાચીન અધ્યા) ની ઉત્તરમાં રહેલા અષ્ટાપદ પર્વતનું પૌરાણિક નામ કૈલાસ પર્વત છે. જન ભૂમિતિ ગણનામાં ત્રણ પ્રકારના જન કલ્પેલ છે. પ્રથમ ઉસેવાંગુલથી ગણતાં કેષ્ટકમાં આધુનિક માપને મળતું જનનું માપ છે. બીજા સ્વાત્માંગુલથી ગણતા કેષ્ટકમાં વિવિધ મનુષ્યમાં ઉંચાઈ નીચાઈને ફેરફાર પડતું હોવાથી વિવિધ કાલનું માપ ઘડાય છે. અને ત્રીજા પ્રમાણગુલથી ગણાતા કોષ્ટકમાં ઉવાંગુલથી કલ્પેલ ચેજિન કરતાં લંબાઈમાં ચાર ગણું અને પહેલાઈમાં અઢી ગણું માપ આવે છે. આ અંતિમ યજનની લંબાઈથી કે પહેલાઈથી દ્વીપ ક્ષેત્રની જન ગણના કરેલ છે. આ રીતિએ ગણના કરતાં સમસ્ત દેશ પ્રદેશને સમાવેશ સુલભતાથી ભરત ક્ષેત્રમાં થઈ શકે એમ છે અને ભરત ક્ષેત્ર સિવાયની પૃથ્વીનું કેવું કદ છે તે પણ તુરત કલ્પનામાં આવી શકે તેમ છે. આ પ્રમાણે જૈન દર્શને દર્શાવેલ પૃથ્વીનું પ્રમાણ બહુ વિશાલ છે. ( પુરાણ ગ્રંથ પણ ભરતખંડના બહુ દેશોનાં અને કેટલાક દીનાં નામે તથા વર્ણને સંક્ષેપમાં કરે છે છતાં આ માન્યતા અલ્પાંશે જૈન દર્શનથી જુદી પડે છે. આ લોકસ્થિતિ શાને આધારે છે, ત્યારે આ પૃથ્વી જેની ઉપર સ્થિર છે તે વિષયમાં દીર્ધદશી જૈન દર્શને અતિ સુક્ષ્મ દૃષ્ટિનો ઉપયોગ કર્યો છે. કેમકે પૃથ્વી મૂર્ત છે અને તેને ધારી રાખનાર પણ કોઈ તેજ મૂર્ત પદાર્થ હોય તો પછી તે પૃથ્વીના આધારભૂત પદાર્થને આકાશમાં ટકાવી રાખનાર કેઈ ત્રીજે પદાર્થ પણ કહ૫વો પડે. પરંતુ આ પ્રમાણે અંતે અનાસ્થળેષ આવે છે માટે અનવસ્થા દેષની અડચણ દૂર થાય તેવા માર્ગને અવલંબવા જૈન દર્શને અપૂર્વ યુક્તિ વાપરી છે. આપણે જાણીએ છીએ કે આપણી પાસેનું વાતાવરણ બહુ પાતળું છે પણ જેમ જેમ ઉપર ઉંચે ચડીએ છીએ તેમ તેમ ત્યાં ઘટ્ટ વાતાવરણ જોઈ શકાય છે. ઉંચે અમુક હદે તે વાયુમાં પક્ષી કે વિમાનને ભારને ઝીલી શકે તેવી નક્કરતા અનુભવાય છે. ગેલુસેક પિતાના ઈ. સ. ૧૮૦૪ ના વર્ણનમાં લખે છે કે સુમારે ચાર ભાઇલ ઉંચે જતાં ઠંડી હવાના સબબે અમારી શાહી પણ સુકાઈ ગઈ હતી. વળી ત્યાં અમારું પક્ષી પણ ઉડી શકયું નહીં. આથી વધારે આગળ જઈએ તો ફેફસાં પણ ન સંગ્રહી શકે એવી હવા છે. સને ૧૮૬૨ માં ૭ માઈલ જતાં જર્મન વિદ્વાન ગ્લેશીયાને બેભાનની અસર થઈ હતી. ત્યાં એવી હવા છે કે જેના આધારે વાદળાં અને પાણી સ્થિર રહી શકે છે. આપ્ત પુરુષોના જ્ઞાનથી જન દર્શન આ જ બુદ્ધિને સ્વીકાર કરી જણાવે છે કે તન વાયુ (પાતળા વાયુ) ની ઉપર ઘન વાયુ છે ને તેની ઉપર ઘને દધિ બરફની જેવું ઘટ્ટ પાણી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7