Book Title: Jain Adarsh Prasango Part 07
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 14
________________ અપમાન રોજ-બરોજ હસતાં હસતાં સહ્યાં!! મચ્છરોના ડંખથી આતમાનેં એવો અભ્યસ્ત બનાવી દીધો કે સમતાથી ડંખ સહન કરે!! સામાયિક, પ્રતિક્રમણ, ધ્યાન વગેરે આરાધના નિયમિત કરતા! સંસ્કૃત, પ્રાકૃતનો અભ્યાસ કર્યો. પૂજ્યશ્રી જંબૂવિજય મ.સા.ના આગમ સંશોધનના કામમાં આમણે ઘણી ભક્તિ કરી છે!! રાતના મૌન પાળે !! ૭૧ વર્ષે ન્યુમોનિયા થયા છતાં હોસ્પીટલમાં જવાની કે દવા લેવાની ચોખ્ખી ના પાડી દીધી!!! કેવી દેહ-નિસ્પૃહતા!! આવા એક સુપ્રીમ સાધક સમાધિથી સ્વર્ગમાં પહોંચી ગયા હશે!! હે મારા આત્મીયબંધુઓ! તમે આ વાંચી મહાન પ્રાચીન કવિની આટલી વાત સ્વીકારો. “દોહિલો માનવભવ લાધ્યો, તુમે કાંઇ કરીને સાધો.....” અર્થાત્ ગમે તેમ કરીને પણ આ દુર્લભ રૂડા ભવમાં થોડીઘણી પણ ધર્મસાધના કરી લો. ૬.ભક્તિપ્રભાવે માળામાં માંસ્થરતા વડોદરાના કલ્પિતાબહેન મારા સુપરિચિત છે. એમનો આ અનુભવ ધ્યાનથી વાંચી તમે બધાં પણ આ શ્રેષ્ઠ લાભ મેળવો. આ સુશ્રાવિકા નવકારવાળી ગણે. પણ ફાલતુ ઘણાં વિચારો આવે. તેમને ઘણી વાર થતું કે આ શાશ્વત સર્વશ્રેષ્ઠ મંત્રમાં તલ્લીનતા આવે તો કેવું સારું. એક વાર ભીલડીયાજી યાત્રાએ ગયાં. ત્યાં પ્રભુદર્શન કરતાં તેમને આનંદ આનંદ થઇ ગયો ! 卐卐 Jain Education International 卐 ૧ ૨ 卐 For Personal & Private Use Only 卐 卐 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20