Book Title: Jain Adarsh Prasango Part 06
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay
View full book text
________________
પાલીતાણા નીકળતાં નણંદ બા કહે, “ભાભી, તમે પણ ચાલો. મારા ભાઇએ તમને પણ આવવા રજા આપી છે. ! ૩-૪ દિવસ તમારા બધાં વિના ભાઈ પોતાનું બધું સંભાળી લેશે.' દાદા એ પોતાને માફ કરી, એમ વિચારી ધર્મજ્ઞા બહેન તો રાજી રાજી થઇ પાલીતાણા જવા તરત તૈયાર થઇ ગયા. નીકળ્યા પણ ઉડે ઉડે ભય લાગતો કે ભયંકર પાપ કર્યા છે. કોઇ વિપ્ન તો નહીં આવે ને ? માંડ પુણ્યોદ્ય જાગ્યો છે તો દાદાની યાત્રા તો થશેને ? પરંતુ સાચા પશ્ચાતાપના કારણે હેમખેમ પાલીતાણા પહોંચ્યા ત્યારે આનંદ આનંદ થઇ ગયો. બીજે દિ’ યાત્રા કરવા ગયા. બહેન ની તબિયત અસ્વસ્થ હતી. તેથી નણંદ વગેરેએ ડોળીમાં બેસવા ખૂબ આગ્રહ કર્યો, પરંતુ ૧૪ વર્ષે ભાગ્ય જાગ્યું છે તેથી મનમાં ઉલ્લાસ જાગ્યો કે ગમે તે થાય પણ યાત્રા તો ચઢીને જ કરવી છે. ઉમંગથી ઉપર પહોંચ્યા. ત્યારે ધર્મજ્ઞાબહેનનો મનમોરલો નાચી. ઉઠડ્યો! દાદાના દર્શન કરતા આભાસ થયો કે જાણે દાદા મને આવકાર આપી રહ્યા છે. હર્ષાશ્રુ સાથે ઘદાનો ખૂબ ખૂબ આભાર માનવાપૂર્વક ભાવથી ખૂબ ભકિત કરી.
બીજી બે યુવતીઓ પણ યાત્રાએ ગયેલી. ખૂબ થાક થી પગ દુખવાથી એકે વિચાર્યું કે આવી યાત્રા ફરી નહિ કરું. પછી ભાન આવતાં પશ્ચાતાપ કર્યો. હે જેનો ! તમે શુભ ભાવથી શત્રુંજય જાવ છો. દાદા અને કવડ યક્ષને નિર્વિઘ્ન યાત્રાની વિનંતી કરી યથા શક્તિ ધીમે ચડવું ને ધીમે ઉતરવું, ભક્તિભાવ વધારવો અને આશાતનાના પાપો. ત્યજવા. દાદાનો અચિંત્ય પ્રભાવ છે કે બિમારને પણ ખૂબ સારી રીતે યાત્રા ચોક્કસ થશે !!!
आभुषण बननेके लिये सोनेको गलना पडता है, बात बातमे मत रुठो यारो, चिल्लानेसे क्या मिलता है ?
महापुरुष बनने वालों को, धरतीकी तरह सहना होता है। డీడీటీడీడీ @ డీడీటీటీడీ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36