Book Title: Jain Adarsh Prasango Part 06
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 22
________________ ની ની 99છુ નું છે ૧૩. તીરથની આશાતના નવિ કરીયે ! વડોદરાની શ્રાવિકા આશાતનાના માઠા ફળ અનુભવી આપણને ચેતવે છે કે ભાઈઓ! તીર્થ વગેરેની શક્ય એટલી ભક્તિ કરો. પણ મારો. આગ્રહ છે કે આશાતના તો થોડી પણ ન કરતા. આમને આપણે ધર્મજ્ઞા નામ આપીએ. આ બહેન લખે છે :- મેં કરેલી એ આશાતના મારાથી જીંદગીભર ભૂલાશે નહિ. ૨૪ વર્ષની ઉમરે પાલીતાણા પહેલી વાર યાત્રા કરવા મળી. ૨ યાત્રા કર્યા પછી થાકથી પગમાં ખૂબ કળતર થતું હતું. ચાલતા પગ આડા અવળા પડતા હતાં. દર્દથી કંટાળી મારાથી બોલાઇ ગયું, ‘બાપરે!આવી ત્રાસદાયક યાત્રા કરવા બીજી વાર નહીં આવું” સાંભળી સગાઓએ મને ઘણું સમજાવ્યું કે આવું ન બોલાય. પણ કોઇનું માન્યું નહીં. ૫-૭ વર્ષ પછી ફરી કાકાજી ના સંઘમાં જવાનું થયું. ત્યારે યાત્રા કર્યા પછી ખુબ પગ દર્દ થવાથી ફરી એવું જ બોલી પડી. પછી પણ આ ભંયકર પાપનો પસ્તાવો પણ ન થયો. કોણ જાણે આ પાપને કારણે જ પછી ૧૪ વર્ષ સુધી યાત્રા કરવા ન મળી! પાલીતાણા યાત્રા કરવાના પ્રોગ્રામ ઘણીવાર ઘડ્યા પણ કોઇને કોઇ વિપ્ન આવી પડે ને યાત્રા થાય જ નહીં. આવું ધણીવાર થવાથી મન વિચારે ચડ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે મેં બે વાર આ ભંયકર આશાતના કરી. તેથી ૧૪-૧૪વર્ષથી યાત્રા થતી નથી. તેથી ખૂબ જ પસ્તાવાપૂર્વક દાદાને અંતરથી ઘણીવાર કાકલૂદી કરે, માફી માંગે. છોકરાઓને પણ સમજાવે કે તીર્થની આશાતના કદી ન કરવી. ૧૪ વર્ષ પછી નણંદ સપરિવાર પાલીતાણા ની યાત્રા કરવા જતા હતા. આમંત્રણ આપવાથી. આ બહેને પોતાના બે સંતાનને સાથે મોકલવા વિચાર્યું. પોતાને ૨ દ્વિસ ઘણો પશ્ચાતાપ થયો કે ૧૪ વર્ષથી યાત્રા થતી નથી. મારે પણ યાત્રા થાય તો કેવું સારૂ? ભલે ! અત્યારે પુત્ર પુત્રી ને તો થાય છે ન! તેમના ધન્ય ભાગ્ય ! પોતે પણ દાદાને યાત્રાએ બોલાવવા આજીજી કરી કે “સજા માફ કરો. હવે ક્યારેક કોઈપણ તીર્થની આશાતના નહીં કરું.” దీదీదీదీదీ @ దీదీదీదీదీ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36