Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 13
________________ ૨૧ ૨ ઈન્દ્રિયજયાષ્ટક - ૭ જ્ઞાનસાર જલથી ભરપૂર ભરેલા એવા ક્યારા તુલ્ય આ ઈન્દ્રિયો છે. અર્થાત્ ક્યારા જેમ પાણીથી ભરપૂર ભરેલા હોય છે તેમ ઈન્દ્રિયો લોભની અપરિમિત વૃદ્ધિથી ભરેલી છે. તે કારણથી તૃષ્ણાથી પ્રેરાયેલી આ પાંચે ઈન્દ્રિયો જીવને વિષયોમાં જ આસક્ત કરીને વિષયોને ભોગવવા તરફ જ સતત દોડાવે છે. તૃષ્ણાનું અનંતપણું નીચે પ્રમાણે શાસ્ત્રમાં કહેલું છે - કદાચ સોના અને રૂપાના કૈલાસ પર્વતતુલ્ય અસંખ્યાતા પર્વતો થઈ જાય તો પણ લોભી મનુષ્યને તે કંઈ નથી એમ જ દેખાય છે. કારણ કે ઈચ્છા (લોભ-તૃષ્ણા) આકાશની સમાન અનંતી છે. (ઉત્તરાધ્યયન સૂત્ર-૯-૪૮) અનંતીવાર સર્વે જીવો વડે ભોગવી ભોગવીને જે વમન કરાયેલા છે, ધીરપુરુષો વડે જે દૂરથી જ ત્યજાયા છે તેવા જગતની એંઠતુલ્ય ભોગો ભોગવવાને તૃષ્ણાથી ભરેલો જીવ ઈચ્છે છે. |. તૃષ્ણાથી આકુળ-વ્યાકુલ અને અતિશય ભોગાસક્ત એવા જીવને જ ભોગો રમણીય લાગે છે અને તે તૃષ્ણાનો અનાદિકાલથી અભ્યાસ છે માટે જ વૃદ્ધિ પામે છે. વિષયોની પ્રાપ્તિ થવાથી ઈન્જનથી જેમ આગ વધે તેમ તૃષ્ણા વધે છે. આ કારણે ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરવો યોગ્ય છે. વિષયભોગથી તૃષ્ણા વધે છે માટે પાંચે ઈન્દ્રિયોને તે તે વિષયોથી દૂર રાખવી એ જ કલ્યાણકારી માર્ગ છે. ગમે તેટલા ભોગો આ જીવ ભોગવે તો પણ ઈન્દ્રિયો ક્યારેય તૃપ્ત થવાની નથી. વળી આ ભોગો અનંત જીવો વડે વારંવાર ભોગવી ભોગવીને મુકાયેલા છે. એટલે જગતની એંઠતુલ્ય છે. માટે જ સંતપુરુષો રાજપાટ છોડીને સાધુ થાય છે. ગામ છોડીને અરણ્યવાસ સ્વીકારે છે. લોકસંપર્ક છોડીને નિર્જન વનમાં વસે છે. માટે ઈન્દ્રિયોને વિષયોથી દૂર જ રાખવી હિતાવહ છે. રા. सरित्सहस्रदुष्पूर-समुद्रोदरसोदरः । तृप्तिमान्नेन्द्रियग्रामो भव तृप्तोऽन्तरात्मना ॥३॥ ગાથાર્થ - હજારો નદીઓથી પણ દુઃખે દુઃખે પૂરાય તેવા અર્થાત્ ન પૂરાય તેવા સમુદ્રના મધ્ય ભાગ સરખો આ પાંચે ઈન્દ્રિયોનો સમૂહ છે. તે ક્યારેય તૃપ્તિમાન થવાનો નથી. માટે હે ભવ્ય જીવ ! તું આત્માની અંદર રહેલા પોતાના ગુણાત્મક સ્વરૂપ વડે તૃપ્ત થા. ||all ટીકા :- “રત્નતિ"- ભવ્ય ! દ્રિયગ્રામ: તૃપ્તિમાન ર, લાપ न तृप्तिं लभते । यतः "अभुक्तेषु ईहा, भुज्यमानेषु मग्नता, भुक्तपूर्वेषु स्मरणम्" इति त्रैकालिकी अशुद्धा प्रवृत्तिः इन्द्रियार्थरक्तस्य । तेन तृप्तिः का ? कथम्भूतः


Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 262