Book Title: Gujarat na Aetihasik Lekho Part 02
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 6
________________ પ્રસ્તાવના — — -* 66 ગુજરાતના ઐતિહાસિક લેખા ” ભાગ ખીજામાં ગુર્જર વંશના લેખાથી રારૂ કરી ચાલુકય વંશના અંત સુધીના લેખા દાખલ કરવામાં આવેલ છે. સભાના વિચાર એ ભાગમાં બધા લેખાને સમાવેશ કરવાના હતા પણ તેમ કરવાથી ખીજા ભાગનું કદ અહુ વધી જશે એમ જણાયાથી ખીજો ભાગ આંહીજ અંધ કરી વાઘેલા વંશના તેમજ પ્રકીણ લેખા ત્રીજા ભાગમાં આપવાના નિશ્ચય કરવા પડયા. ઉપરાંત મુસ્લિમ કાળના લેખો પણ સંગ્રહીત કરવાની ચેજના વિચારાય છે અને તે અમલમાં મુકવાની સગવડતા થશે તે આ લેખમાલા આગળ ચાલુ રહેશે. બધા લેખાના સંગ્રહ એકી વખતે તૈયાર કરી સાંપી દેવામાં આવેલ તેથી સંગ્રહ તેમ જ સંકલનાની પદ્ધતિ અગર નિયમે સંબંધી પ્રથમ વિભાગની પ્રરતાવનામાં નોંધ કરી છે, તેથી વિશેષ કાંઈ કહેવાનું રહેતું નથી. પહેલા ભાગ માટે અભિપ્રાયા તેમ જ અવલાકના જુદાં જુદાં છાપાં તેમ જ માસિકામાં છપાયાં છે. તેમાં ઉત્તેજક તેમજ સ્ત્યાત્મક ઉર્દૂગારા તેમ જ સુધારા વધારા અને ઉપેા સંબંધી સહાય અને રચનાત્મક સુચનાએ કરવામાં આવેલ છે. તેવી સૂચનાએામાંથી બની શકે તેવી અને તેટલી ગ્રહણ કરવી અને ન બની શકે તેવી સૂચના માટે કાંઇક ખુલાસેા કરવા આવશ્યક ગણાય. Jain Education International આ કાર્ય કાંઇપણ ઉત્સાહ કે રસવિના સાવ યંત્રવત્ થએલું છે એવે અસંતષ જાહેર થયેલ છે. નવલકથામાં આગળ પાછળના સંબંધ જાળવવા માટે તેમ જ તેને રસિક બનાવવાના હેતુથી જે કલ્પનાના ઘેાડા દેડાવવામાં આવે છે, તેવી ઘટના આવા સંગ્રહાત્મક ગ્રંથમાં થઇ શકે નહીં. જુદાં જુદાં સ્થળે અને જુદા જુદા પ્રસંગે લખાએલા અગર કે।તરાવેલા લેખામાં રસપ્રવાહ ચાલુ રહે તેવા ઉત્તરાત્તર સંબંધ શી રીતે સંભવે ? તેવા લેખાન કાળક્રમ અનુસાર ગાઠવીને જ સતેષ માનવા રહ્યો. આવી ઐતિહાસિક સામગ્રી ઉપરથી જે ઇતિહાસ લખવામાં આવે તે રસિક બનાવી શકાય પણ આવા સંગ્રહ તે તેમાં રસ લઈ શકે તેવી કેટિએ નહીં પહોંચેલી વ્યક્તિને શુષ્ક જ રહેવાના. રવ. ભાઇ રણજીતરામે આ કાર્ય આરંભેલું ત્યારે એમની મુરાદ હતી તે પાર નથી પડી એમ પણ ફરીયાદ રજી થઇ છે અને સ્વ. ભાઈ રણજીતરામે કરેલું કામ કેટલું હતું અને સંપાદકે કરેલુ નવું કેટલું છે તે જાણવાની જીજ્ઞાસા બતાવવામાં આવેલ છે. આ બન્ને ખાખતા માટે ગ્રંથ ૧લાની પ્રસ્તાવનાના પહેલા ત્રણ પારીથ્રામાં બધા ખુલાસા મળી શકે તેમ છે તેથી આંહી કરી તે વિષય ચર્ચવાની જરૂર જોતા નથી. વિશેષ મારીક સરખામણી માટે બન્ને સંગ્રહા સભાના પુસ્તકાલયમાં મેાજુદછે તે જોવાની ભળામણુ કરી શકાય. આ ગ્રંથના સંખ'ધમાં એક સર્વસામાન્ય અભિલાષા દર્શાવવામાં આવી છે કે લેખના સંગ્રહુ માટેનું ક્ષેત્ર વધુ વિશાળ થવું જોઇએ, એટલે કે કુમારપાલ અને સિદ્ધરાજ જેવા રાજાએ જેની . For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 398