Book Title: Drawidiyan Sanskruti par Jain Dharmni Asar
Author(s): Mohanlal D Chokshi
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 1
________________ || [sો દ્રાવિડિયન સંસ્કૃતિ પર જૈન ધર્મની અસર – શ્રી મોહનલાલ દીપચંદ ચેકસી The Literary History of India (ભારતને સાહિત્ય વિષયક ઈતિહાસ) નામક મિ. કૅયરના ગ્રંથ ઉપરથી સહજ જાણી શકાય છે કે, તામિલ આદિ દક્ષિણની જે ભાષાઓ છે, એમાં ઉચ્ચ વિચાર અને ધ્યેયપ્રગભતાનાં જે દર્શન થાય છે, એ જૈન ધર્મના એ ભાષા પરના પ્રભાવને આભારી છે. શરૂઆતમાં પશુબલિ દેવામાં, દેવીને કે માતાને સંતુષ્ટ કરવા માટે જીવોનો ઘાત કરવામાં, અથવા તો પિશાચપૂજા જેવી કરણીમાં દ્રાવિડે ધર્મ માનતા હતા; પણ જૈન અને બૌદ્ધ ધર્મના ઉપદેશકેના સંસર્ગમાં આવ્યા પછી એ ઘર્મોના ઉદાર વિચારો અને ઉમદા તએ જનસમૂહમાં સુંદર છાપ બેસાડી. ઉત્તરોત્તર તેને વિસ્તાર વધતે ગયે અને અમુક કાળે જૈન ધર્મે રાષ્ટ્રધર્મનું અનોખું પદ પ્રાપ્ત કર્યું. સિલપદિકારમ” અને “મણિમેખલે” નામક બે પ્રસિદ્ધ ગ્રંથના આધારે વિના સંકોચથી કહી શકાય કે, ઈ. સ. ના બીજા સૈકાથી તામિલ દેશમાં જૈન અને બૌદ્ધ ધર્મ ઠીક ઠીક પાંગરવા માંડ્યા હતા. એ સંબંધી સંઘરાયેલા તેમાં સંખ્યાબંધ ઉલ્લેખે દૃષ્ટિગોચર થાય છે. લ” અને “પાંડ્ય” વંશના રાજાઓએ “જૈન ધમ” ને સારા પ્રમાણમાં આશ્રય આપેલ છે. “લ” રાજાઓની રાજધાની “કવિરિષ્પમપટ્ટિનમ” તથા “ઉરેપુર, “મદુરા આદિ નગરમાં જૈન મુનિસ્થાન અથવા ઉપાશ્રયે કે વસતીસ્થાન હતાં. વળી જૈન આર્યાઓ માટે જુદા આશ્રમો પણ હતા. જૈન મંદિરોમાં અરિહંત પ્રતિમાઓની પૂજા નિયમિત થતી. મણિમેખલે માં દર્શાવાયેલી ઉપરની બાબત ઉપરની તેમ જ મુનિઓ અને આયએ પણ અહીં વસતી પ્રજામાંથી જ વૈરાગ્ય પામી થયેલાં, એવી નેંધ ઉપલબ્ધ થતી હોવાથી, એ પણ સહજ કલ્પી શકાય છે કે, તામિલ દેશમાં વસતા નરનારી વર્ગમાં જૈન ધર્મના સંસ્કાર ઊંડાં જામેલા હતા અને એની જડ જામવામાં સંખ્યાબંધ વર્ષો વ્યતીત થયાં હતાં. એ કાળમાં રચાયેલા સાહિત્ય ઉપરથી પણ કહી શકાય છે કે, રાજાએ પરમત સહિષ્ણુ હતા. રાજધર્મ મ શ્રી આર્ય કયાાગો મસ્મૃતિગ્રંથો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3