Book Title: Dashvaikalik Sutram Part 03 Author(s): Gunhansvijay, Bhavyasundarvijay Publisher: Kamal Prakashan Trust View full book textPage 7
________________ પ્રસ્તાવના આ જ દશવૈકાલિકસૂટા ભાગ-૩ હ ! પ્રસ્તાવના દશવૈકાલિક સૂત્ર! . પરમ પાવન પિસ્તાલીશ આગમોમાંનું એક અતિસુંદર આગમ ! ૨૧૦૦૦ વર્ષ પાંચમાં આરાનાં અંત સુધી જે અખંડ પણે ટકશે ! એનો મહિમા અપરંપાર છે, એ તો એના પરથી જ જણાઈ આવે કે ચૌદપૂર્વધર - શ્રુતકેવલિ – શય્યભવસૂરિ મહારાજાએ, માત્ર છ મહિનાનું જેનું આયુષ્ય શેષ હતું, તેવા - પોતાના દીક્ષિત પુત્ર “મનકનાં કલ્યાણ માટે પૂર્વોમાંથી તેને ઉદ્ધત કર્યું ! | કેવા સુંદર પદાર્થો હશે એમાં, જેને ભણવાથી ૬ મહિનામાં સાધુજીવનનો સાર - સમજાઈ જાય..આત્મકલ્યાણ નિશ્ચિત થઈ જાય ! આજે પણ એનો મહિમા અખંડ છે - એના ચાર અધ્યયન અર્થસહિત ભણાય નહીં , | ત્યાંસુધી મહાવ્રત આરોપણ (વડીદીક્ષા) ન કરવાની પરંપરા છે... એનું પાંચમું પિંડેષણાઅધ્યયન અર્થસહિત ભણ્યા વિના ગોચરી જવાનો અધિકાર નથી મળતો. If એનું સાતમું વાક્યશુદ્ધિ અધ્યયન અર્થસહિત ભણ્યા વિના દેશના આપવાનો - અરે ! બોલવાનો પણ અધિકાર નથી મળતો... ટંકશાળી અને અર્થશાલિ છે એના વચનો... દરેક સાધુભગવંતે અવશ્ય ભણવા - ગોખવા - સમજવા - ઉતારવા જેવા. I પણ, આ તો ચૌદપૂર્વધર મહર્ષિનાં વચનો ગંભીર, રહસ્યભરપૂર... અલ્પમતિ ના એવા આપણે તેનો તાગ શી રીતે પામી શકીએ? FT ઉપકાર કર્યો આપણા પર પૂર્વર્ષિઓએ...ભદ્રબાહુસ્વામી મહારાજાએ...નિર્યુક્તિ II રચીને...અગત્યસિંહસૂરિએ ચૂર્ણિ રચીને... હરિભદ્રસૂરિઆદિ મહાપુરુષોએ ટીકાઓ | F રચીને.... આ વિવરણો પ્રમાણમાં સરળ છે. તાર્કિકશિરોમણિ હરિભદ્રસૂરિ મ.સા.ની ટીકા? | સૌથી વિસ્તૃત છે. ખૂબ સુંદરપદાર્થો છે, તેમાં... છતાં, પડતાં કાળને કારણે પ્રાથમિક અભ્યાસીઓને તે પણ સમજવું કઠિન પડે, તે | સંભવિત છે. અને એટલે અનુવાદકાર પૂ.મુ.શ્રી ગુણવંસવિજયજી મ.સા. સરળ ગુજરાતી ભાષામાં છે તેનો અનુવાદ પ્રસ્તુત કરી રહ્યા છે. F BE E F |Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 294