Book Title: Dashvaikalik Sutram Part 03 Author(s): Gunhansvijay, Bhavyasundarvijay Publisher: Kamal Prakashan Trust View full book textPage 9
________________ IT , e “E દશવૈકાલિકસૂર ભાગ-૩ મિ . બે શબ્દો બે શબ્દો ) દશવૈકાલિક જેવા મહાન સૂત્રની રચના કરી છે ચૌદપૂર્વધર શ્રી શય્યભવસૂરીશ્વરજી મહારાજાએ! એના જ ઉપર નિર્યક્તિની રચના કરી છે ચૌદપર્વધર શ્રી ભદ્રબાહસ્વામીજીએ ! ચૂર્ણિની રચના કરી છે શ્રી જિનદાસગણિમહત્તરજીએ ! વૃત્તિની રચના કરી છે ૧૪૪૪ ગ્રન્થરચયિતા શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ! હજારો વર્ષો પૂર્વેનું આ અણમોલ સાહિત્ય કાળના પ્રવાહમાં ક્યાંય ખતમ ન થઈ જાય અને આપણાં સુધી પહોંચે એ માટે એની સુરક્ષા કાજે જબરદસ્ત ભોગ આપ્યો છે હજારો શ્રમણ-શ્રમણીઓએ અને શ્રાવક" શ્રાવિકાઓએ ! ને મારા જેવા સાધુ પણ આનું ભાષાંતરાદિ કામ સારી રીતે પાર પાડી શકે એ માટે કૃપાબળ-પીઠબળ પૂરું ને પાડ્યું છે પરમોપકારી પૂજ્યપાદ ભવોદધિતારક ગુરુદેવશ્રીએ ! ભાષાંતરમાં ભૂલો ન રહી જાય એ માટે અક્ષરશઃ બધું જ તપાસી આપવાનો અનહદ ઉપકાર કર્યો છે તુ પૂજયપાદ શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ.સાહેબના શિષ્ય મુનિરાજ નું ભવ્યસુંદરવિજયજીએ ! - ત્રણ-ત્રણ મુફો જોવા - ક્રમશઃ ગોઠવવા... વગેરે વગેરે અતિ મહેનત અને ઘણો લાંબો સમય માંગી લેતું કપરું કામ સહર્ષ વધાવી લઈને સંપૂર્ણ કરી દીધું છે વિદ્યાશિષ્ય મુનિરાજ રાજહંસવિજયજીએ ! પ્રકાશનનાં કાર્યમાં ખૂબ ઉલ્લાસથી સહકાર આપ્યો છે તે કમલ પ્રકાશનનાં ગુણવંતભાઈ અને તેમની a - પ્રેસની ટીમે ' આવી તો ઢગલાબંધ સહાય બાદ જે કામ શક્ય બન્યું છે, એમાં ભાષાંતરકર્તા તરીકેનો યશ લેવાનો મને કોઈ જ હક નથી. આ આખાય કાર્યમાં મારા ભાગે તો ૧% જેટલો ય હિસ્સો માંડ આવે... એટલે જો આ કાર્ય ખરેખર સારું થયેલું લાગે, ઉપયોગી લાગે તો એનો યશ મને આપવાને બદલે આ તમામ ઉત્તમ આત્માઓને જ આપવો એવી મારી નમ્ર વિનંતી છે. હા ! જે કંઈ ક્ષતિઓ હશે, એ મારી જ હશે એ પણ નિશ્ચિત હકીકત ન જાણવી. વર્તમાન ૧૫ હજાર સાધુ-સાધ્વીજી ભગવંતો અઘરી ભાષાદિને કારણે આ ગ્રન્થનાં અમુલ્યપદાર્થોથી : વંચિત ન રહી જાય, એ માટે તેઓને ગુજરાતી ભાષામાં સ્પષ્ટતાવાળું ભાષાંતર આપવું જરૂરી લાગ્યું, માટે જ આ ભાષાંતર કર્યું છે. બાકી તો સંયમી સંસ્કૃતમાં જ અભ્યાસ કરે, ભાષાંતરને ન અડે એ જ અમને ઈષ્ટ શા | છે. ભાષાંતર વિના વૃત્તિ નહી સમજી શકનારાઓ માટે જ આ ભાષાંતર છે, એ ખાસ ધ્યાનમાં લેવું. વળી જો અધ્યાપન કરાવનાર સગરનો યોગ મળે તો એમની પાસે જ જ્ઞાન મેળવવું... એ ન મળે તો જ નાછૂટકે . ભાષાંતરના સહારે વાંચન કરવાનું છે. આ ભાષાંતરમાં નિક્ષેપાદિની સમજમાં સરળતા રહે તે માટે પૂ.પં.શ્રી હીરચંદ્રવિજયજી મ.સાહેબના જ | શિષ્યવૃંદે તૈયાર કરેલ અધ્યયનપ્રમાણેના કોષ્ટકો પણ લીધા છે. કોઇક તૈયાર કરનાર મહાત્માનો પણ હું સિબહુમાન આભાર માનું છું. પ્રાંતે આ આખાય ભાષાંતરમાં મહાપુરુષોની ઈચ્છા વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો મન-વચન-કાયાથી જ આ ત્રિવિધે-ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ... લિ. મુનિ ગુણહંસવિજય . ભા.સુ. ૧૩ સં. ૨૦૬૫ ' વE = ક = = = = . *Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 294