________________
પ્રસ્તાવના
આ જ દશવૈકાલિકસૂટા ભાગ-૩ હ
!
પ્રસ્તાવના દશવૈકાલિક સૂત્ર! . પરમ પાવન પિસ્તાલીશ આગમોમાંનું એક અતિસુંદર આગમ ! ૨૧૦૦૦ વર્ષ પાંચમાં આરાનાં અંત સુધી જે અખંડ પણે ટકશે !
એનો મહિમા અપરંપાર છે, એ તો એના પરથી જ જણાઈ આવે કે ચૌદપૂર્વધર - શ્રુતકેવલિ – શય્યભવસૂરિ મહારાજાએ, માત્ર છ મહિનાનું જેનું આયુષ્ય શેષ હતું, તેવા - પોતાના દીક્ષિત પુત્ર “મનકનાં કલ્યાણ માટે પૂર્વોમાંથી તેને ઉદ્ધત કર્યું ! | કેવા સુંદર પદાર્થો હશે એમાં, જેને ભણવાથી ૬ મહિનામાં સાધુજીવનનો સાર - સમજાઈ જાય..આત્મકલ્યાણ નિશ્ચિત થઈ જાય !
આજે પણ એનો મહિમા અખંડ છે - એના ચાર અધ્યયન અર્થસહિત ભણાય નહીં , | ત્યાંસુધી મહાવ્રત આરોપણ (વડીદીક્ષા) ન કરવાની પરંપરા છે... એનું પાંચમું પિંડેષણાઅધ્યયન અર્થસહિત ભણ્યા વિના ગોચરી જવાનો અધિકાર નથી મળતો. If
એનું સાતમું વાક્યશુદ્ધિ અધ્યયન અર્થસહિત ભણ્યા વિના દેશના આપવાનો - અરે ! બોલવાનો પણ અધિકાર નથી મળતો... ટંકશાળી અને અર્થશાલિ છે એના વચનો... દરેક
સાધુભગવંતે અવશ્ય ભણવા - ગોખવા - સમજવા - ઉતારવા જેવા. I પણ, આ તો ચૌદપૂર્વધર મહર્ષિનાં વચનો ગંભીર, રહસ્યભરપૂર... અલ્પમતિ ના
એવા આપણે તેનો તાગ શી રીતે પામી શકીએ? FT ઉપકાર કર્યો આપણા પર પૂર્વર્ષિઓએ...ભદ્રબાહુસ્વામી મહારાજાએ...નિર્યુક્તિ II રચીને...અગત્યસિંહસૂરિએ ચૂર્ણિ રચીને... હરિભદ્રસૂરિઆદિ મહાપુરુષોએ ટીકાઓ | F રચીને....
આ વિવરણો પ્રમાણમાં સરળ છે. તાર્કિકશિરોમણિ હરિભદ્રસૂરિ મ.સા.ની ટીકા? | સૌથી વિસ્તૃત છે. ખૂબ સુંદરપદાર્થો છે, તેમાં...
છતાં, પડતાં કાળને કારણે પ્રાથમિક અભ્યાસીઓને તે પણ સમજવું કઠિન પડે, તે | સંભવિત છે.
અને એટલે અનુવાદકાર પૂ.મુ.શ્રી ગુણવંસવિજયજી મ.સા. સરળ ગુજરાતી ભાષામાં છે તેનો અનુવાદ પ્રસ્તુત કરી રહ્યા છે.
F
BE
E
F
|