________________
હમ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ હરિજીત્રા
સ્વયં ઉચ્ચકક્ષાનાં વિદ્વાન્ હોવા છતાં, આવા પ્રાથમિક ગ્રંથ ઉપર અનુવાદ લખવા . માટે આટલો પરિશ્રમ વેઠે છે, સમયનો ભોગ આપે છે, તે તેમની પ્રાથમિક અભ્યાસુઓ આ
પરની કરૂણાનું પરિણામ છે. વર્તમાનકાળે અભ્યાસની રૂચિ ધરાવનારાઓને પણ અભ્યાસ [ કરાવનાર અધ્યાપકોનો સંયોગ સરળતાથી નથી થતો, તેવું ઘણીવાર જોવા મળે છે અને સ્વયં અભ્યાસ કરવામાં કઠિન સ્થળો એ અટકી જવાથી હતોત્સાહ થઈ જાય છે.
એ સમસ્યાનું નિરાકરણ કરવા જ આ અનુવાદ પ્રસ્તુત થઈ રહ્યો છે.
પૂ. હરિભદ્રસૂરિ મહારાજની કઠિન પંક્તિઓને વિસ્તારથી સરળભાષામાં રજૂ કરવા તેમણે ઘણો પુરુષાર્થ કર્યો છે, તે અનુવાદ જોતાં જ સમજાઈ જશે.
પ્રત્યેક સાધુ-સાધ્વીજી ભગવંતો અવશ્ય આ ગ્રંથનો તલસ્પર્શી અભ્યાસ કરે તો તેમનું જીવન સંયમની સુવાસથી મહેકી ઊઠે, તે બાબતમાં કોઈ શંકા નથી. એટલે મારા સહિત સહુ આ ગ્રંથને ભણે, અને તેમાં આ અનુવાદ સહાયકસાથીની ગરજ સારે. અને તેના દ્વારા વિશુદ્ધસંયમજીવનની પ્રાપ્તિ કરી, પરમપદને નજીક લાવે, એ જ શુભાભિલાષા... |
»
લિ,
મુનિ ભવ્યસુંદરવિજય
|
P
પ
બ
૫
ક
૯
૯
S