Book Title: Buddhiprabha 1965 01 SrNo 62
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 91
________________ ઘડીમાં નરકે, ઘડીમાં સ્વર્ગો: કવર પેજ બીજાનું ચાલુ આ ભવમાં અનિવાર્ય દુખ તમે ભગવે છે તે પૂર્વભવમાં સેવેલી નઠારી લેશ્વાના વિચારે છે એમ નક્કી સમજે ને તે દુઃખ તે લેસ્યાથી નિર્માણ થયેલા કર્મથી ઉદયમાં આવ્યું છે તે જ તમારે હાલ ભેગવવું પડે છે. દુનિયામાં અનેક જીવો સારાં અગર નઠારાં કર્મનાં ફળ ભેગવતાં. નજરે પડે છે તે બધાં વિચારનું ફળ છે. માણસ જેવું છે કે છે તેવું તે વિચારથી પામે છે. જેવા વિચાર સેવવામાં આવે છે તે માણસ બની જાય છે. તમે ચિંતાના વિચારતે સેવાશે તે અલ્પ સમયમાં તમને જવાં ત્યાંથી ચિંતાનાં કારણે જ ઉમાં થયેલાં જણાશે. વિચારનું સામર્થ્ય માણસ જાણે છે તે કરતાં મોટું છે. તમે રોગી છે, ગરીબ છે, તમને તમારી જે કંઈ અપ્રિય સ્થિતિ મળી હય, તે સ્થિતિ માટે તમે પિતે જ જવાબદાર છે કારણ કે તમારા પૂર્વભવના વિચારે જ તમે જે ભગવે છે તે આપ્યું છે. દીવાના ઉપર હડી ઢાંકતાં કાળે પ્રકાશ આવે છે તેમાં દેષ શું દીવાનો છે? અથવા તેના પર ઘડે ઢાંકતાં બીલકુલ પ્રકાશ પડે નહિ તેમાં શું દીવાન દેવ સમજ? કાળી હાંડીમાં કાળે પ્રકાશ અને લીલી હાંડીમાં લીલે પ્રકાશ મળશે અને ઘડામાં દિી મૂકશે તે પ્રકાશ બંધ થશે. તેમ તમે જે પપનાં વિચાર કરે તે પાપી બનો તેમાં બીજને શો દોષ ? પુના વિચાર કરે તે પદ્ધશાળી બને. નરકના વિચાર કરો તે નરકમાં જાવે તેમાં બીજાને શેષ? તમે તમારી મેળે જ વિચાર કર્યા છે માટે તમારે તેનાં ફળ ભેગવવાં જ પડશે. તેમાં કંઇજ આશ્ચર્ય નથી. [ “આમશક્તિ પ્રકાશ ગ્રંથ” પારર-૩૪]

Loading...

Page Navigation
1 ... 89 90 91 92