Book Title: Buddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ બુદ્ધિપ્રભા. વર્ષા થઈ વસુધા ઉપર કૃતિકા કઠીન ભીંજાઈ છે, આવન-લતા પણ સર્વ રૂડા રંગથી રંજાઈ છે; એવું છતાં મમહેદય કંઈ ભીજાતુ–પંજાતું નથી, જામત અમર કે સ્વમ આ? તેની ખબર પડતી નથી. કયારે હવે કરશું હૃદયમાં શાન્તિના આવાસને, ક્યારે અનુભવ પિયુષથી છીપાવશું પીપાસને; તેની અરે તલભાર માલુમ આજ સાંપડતી નથી, જાગ્રત અગર કે સ્વમ આ? તેની ખબર પડતી નથી. જેને લઇ ઉધમ કરું રાખું અગર મર્યાદને, પિષક થયાં તે વૈરિ કરુ હું કયાં જઈ ફરિયાદને; કરવો ઘટે ના ત્યાગ તેને રાગ પણ સુન્દર નથી, જાગ્રત અગર કે વેમ આ તેની ખબર પડતી નથી. નેવેથી પડતું પાણિ થરથર પવન બલથી થાય છે, તવત્ હૃદય મમ દુઃખથી દોલાયમાન જણાય છે; કરશે કદા નિર્વાત દીપવત તેની કળ પડતી નથી, જાગ્રત્ અગર કે સ્વમ આ? તેની ખબર પડતી નથી. નિઃસંગ રૂ૫ તલવાર લઇ ઘૂમીશ અરિ દળમાં જઈ, સહુ શત્રુનો સંહાર કરિ પામીશ સુખ અન અરિ થઈ; પિખીરા પ્રેમ પ્રભા પછી એ ઉર્મિ આવે અતી, જાગ્રત અગર કે સ્વમ આ તેની ખબર પડતી નથી. ૧૫ -ઈતિ–પૂર્ણ-સર્વે જનાસુખિનો ભવતુ. લેખક:સદગુરૂ શ્રી બુદ્ધિસાગરજી મહારાજની કુપાવડે અછત સાગર, જ વ્યાકરણ (પાહા-વાગરણ,) (અંક ૬ છાના પાને ૧૮૪ થી અનુસંધાન.) આ બે મુખ્ય ભેદો તેમ છતાં પાછળથી સૂમ મેડમાં વહેંચાયા અને આપણે નેમિચંદ્ર સિદ્ધાન્ત ચક્વર્તિના દ્રવ્ય સંગ્રહમાં એવું જોઈએ છીએ કે જે રાગાદિથી જ કર્મ ઉદભવે છે તે ભાવાસ્રવ છે અને જે જડ કર્મ છવમાં પ્રવેશ કરે છે તે દ્રવ્યાસ્ત્રવ છે.? १ आसददि जेण कम्मं परिणामेणप्पणो स विष्णेओ । भावासको जिणुत्तो कम्मासव गं परो होदि ॥ णाणावरणादीणं जोग्गं जं पुग्गलं समासवदि । दवासवो सणेओ अणेयभेो जिणकूखादो ॥ -કન્યસંહ ગાયા , ૩.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 100