Book Title: Buddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 56
________________ બુદ્ધિપ્રભા. સના સંબંધમાં યુનીવર્સીટીની ડીગ્રીઓ ઉભી કરાવવામાં આવતી જાય છે. આ સ્થિતી છે. ગ્લાંડ તેમજ હદમાં જોવામાં આવે છે તો પણ વિલાયતમાં તેની સામે એક વર્ગ ઉભો થયો છે, અને સાચી ખાતેના મેનેજરે જેમ જણાવ્યું છે તેમ તેઓ કહે છે કે કારખાનાઓમાં જુદા જુદા ઉદ્યોગોની બાબતમાં ખરેખર ઉપયોગી થવા માટે નાનામાં નાના કામદાર તરીકે કામ કરતાં આગળ વધવાની જરૂર છે, કેમકે તેવી રીતે સંગીન જ્ઞાન મેળવી શકાય છે, અને કારખાનામાં ચહડતા હેદા ધરાવવાની લાયકાત મેળવી શકાય છે. આવી લાયકાત યુનીવરસીટીએ ઠરાવેલી ચોપડીઓ વગેરેના અભ્યાસ મારફતે મેળવી શકાતી નથી. વળી યુનીવરસીટીની ડીગ્રી મેળવેલા આસામીઓ નાના કામદારોના જેવું કામ કરવા તરફ વલણ ધરાવતા નથી અને એકદમ ચહડતા હોદ્દા મેળવવાની ઇચ્છા ધરાવે છે. આવી. તેમની માન્યતા ભુલ ભરેલી છે. અને તેથી બીજી રીતે પણ ઉપયોગી થઈ શકે એવા જવાને પિતાના ભવીષ્યને બગાડવાનું જોખમ ખેડે છે. ઉદ્યોગ હુન્નરની લાઈનમાં પડવા ઈચ્છતા આસામીઓને ઉપરની હકીકતથી કેટલેક બોધ મળી શકે છે જે ઉપર તેઓએ પુરતું લક્ષ આપવાની જરૂર છે. સુરતમાં મિ. . પુનાના વિધવા આશ્રમના જાણીતા સ્થાપક પ્રેસર કૉએ સુરત ખાતે જીલ્લા અને સેસન્સ જજ મી. અડવાણનાં બાનું મીસીસ અડવાણીના પ્રમુખપણ નીચે એક જાહેર મેળાવડા રૂબરૂ સ્ત્રીઓ માટેની યુનીવર્સીટીની પિતાની યેજના સંબંધે એક ભાષણ આપ્યું હતું. પ્રમુખ મીસીસ અડવાણીએ કેસર કર્વેની ઓળખાણ કરાવતાં જણાવ્યું કે તેઓ હીંદુસ્તાનની સન્નારીઓમાં ઉંચી કેળવણીને ફેલાવો કરવાના મહાન કાર્યમાં પિતાનો આત્મભેગ આપી રહ્યા છે, તેઓ પોતાની આ યોજના જાહેર પ્રજા પાસે મુકે છે અને તેઓને તેમાં પૈસા અને કામ કરનારાઓને જરૂર છે. છોકરાંઓની કેળવણી માટે ગોઠવણે થાય છે. પરંતુ છોકરીઓની યોગ્ય કેળવણી માટે પણ યોગ્ય વ્યવસ્થા થવી જોઈએ. જુદે જુદે સ્થળે છોકરીઓ માટે સ્કુલે ખુલ્લી છે. પરંતુ તેની સંખ્યામાં વધારો થવાની જરૂર છે. આવી કુલેમાં કેળવણી લઈ ઉંચી કેળવણી લેવા માટે છોકરીઓને પુના ખાતે એકલવી જોઇએ, કે જેને માટે પ્રોફેસર કએ આટલો બધે પરિશ્રમ ઉઠાવે છે. ત્યારબાદ પ્રેફેસર કએ પિતાના ભાષણમાં જણાવ્યું હતું કે હીંદુસ્થાનમાં સ્ત્રીઓની ઉંચી કેળવણી માટે કોઈપણ જાતની હાલ સગવડ નથી, હાલમાં આપણાં કુટુંબે સ્ત્રીઓની ઉંચી કેળવણી વિના સુખી હતાં નથી, એક છોકરાને વિલાયત કેળવણું લેવા મેકલવાને બાપ ખુશી હેય તે મા નારાજ હોય છે, કારણ કે એક સરખા વિસરે ધણુંઘણીઆણીમાં હેતા નથી. જ્યાં સ્ત્રીઓ અને તેની પ્રજામાં ઉંચી કેળવણી હોય છે તે ઘરે સુખી જોવામાં આવે છે. મુંબઈ યુનીવરસીટીમાં સ્ત્રીઓને ઉચી કેળવણી અપાય છે તેમાં હીંદી સ્ત્રીઓને અનેક મુશ્કેલીઓ નડે છે. સઘળી કેળવણી છે એટલે પર ભા ષામાં અપાય છે તે બહુ કઠીન કામ થઈ પડે છે. વળી એ ગોઠવણથી જે છોકરી કુમારીકા હોય અથવા વીધવા હેય તેજ તેમાં ભણી શકે છે, હીંદમાં ૧૫થી ૧૭ વરસ સુધીમાં છેકરીઓ પરણે છે અને હીંદુ સંસારમાં પતી હોવાથી ભણું શકતી નથી, જેમાં સુધારે થ

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100