Book Title: Bhimsen Nrup Tatha Kandu Rajani Katha
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 37
________________ | ઉક્ત તીર્થમાં આવેલ રાયણુ વૃક્ષ અને શત્રુંજયા નદીનો મહિમા. રાજદની (રાયણ વૃક્ષ ) અને તેની નીચે રહેલાં પ્રભુનાં ચરણ. આ રાયણનું વૃક્ષ શ્રી ઋષભદેવ ભગવાનની પાદુકાવડે પવિત્ર ગણાય છે. શ્રી ઋષભદેવ ભગવાન અનેક વખત આવી એ રાયણ નીચે સમવસર્યા છે, તેથી તે પવિત્ર તીર્થની પેરે વંદનિક છે. તેનાં પત્ર, ફળ તથા શાખા ઉપર દેવતાઓના વાસ હોવાથી પ્રમાદવડે તે તોડવાં કે છેદવાં નહિં. જ્યારે કોઇ સંઘપતિ પૂર્ણ ભક્તિભાવથી તેની પ્રદક્ષિણા દે છે ત્યારે જે તે રાયણ તેના ઉપર હર્ષથી દુધ વર્ષાવે છે તો તે ઉભય લેકમાં સુખી થાય છે. જો તેની શુદ્ધ દ્રવ્યથી આદર સહિત પૂજા કરવામાં આવે છે તો તેના અધિષ્ઠાયક સ્વપ્રમાં આવી સર્વ શુભાશુભ કહી દે છે. વળી તેની આદરસહિત પૂજા કરવાથી ભૂત, વેતાળ, શાકિની, રા રાસ પ્રસુ.ના વળગાડ હોય તે પણ જતો રહે છે અને બીજા વિકાર પણ થઈ શકતા નથી. એ ઉત્તમ વૃક્ષના પુત્ર, પુષ્પ કે શાખાદિક સહેજે પડેલાં હોય તો તેને આદર સહિત લઈ આવી જીવની જેમ સાચવવાં. એનાં ન્હવણ જળનું સિંચન કરવાથી સર્વ વિધ્રની શાંતિ થાય છે. એ પવિત્ર વૃક્ષને સાક્ષી રાખી જે પ્રભુ સાથે દોસ્તી બાંધે છે તે આ ભવમાં અત્યંત સુખ અનુભવી છેવટે પરમપદ પ્રાપ્ત કરે છે. એ રાયણવૃક્ષથી પશ્ચિમ દિશા તરફ એક દુર્લભ રસકૂપિકા છે. જે આસ્થા સહિત અઠ્ઠમ તપનું આરાધન કરે છે તેમાંના કેઈક ભાગ્યવાન પુરુષ તેના પ્રભાવથી તે રસકૂપિકાનો રસ મેળવી શકે છે. તે રસના સ્પર્શ માત્રથી લેતું સુવણ થઇ જાય છે. એક રાયણજ જો પ્રસન્ન હોય તો બીજી શાની જરુર છે ?

Loading...

Page Navigation
1 ... 35 36 37 38