Book Title: Bhavlinghnu Pradhanya
Author(s): Bhagvandas Mehta
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 6
________________ 125 ભાવલિંગનું પ્રાધાન્ય પરમ ભાવિતાત્મા સાધુચરિત શ્રીમદ્ રાજચંદ્રજી પણ નિગ્રંથ દશાનું તેવું જ હૃદયંગમ શબ્દચિત્ર કરતું સ્વસંવેદનમય અપૂર્વ ભાવવાહી દિવ્ય સંગીત લલકારી ગયા છે કેઃ “સર્વ ભાવથી ઔદાસી વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જે; અન્ય કારણે અન્ય કશું કર્ભે નહિ, દેહે પણ કિંચિત મૂચ્છ નવ જેય જે–અપૂર્વ અવસર મુખ્યપણે તો વર્ત દેહ પર્યત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિ તે સ્થિરતાનો અંત જે–અપૂર્વ અવસર સંયમના હેતુથી યોગ પ્રવર્તના, સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા આધીન જો; અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જે—-અપૂર્વ અવસર બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ ક્રોધ નહિં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જે; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહિ છો પ્રબળ સિદ્ધિ નિદાન જે–અપૂર્વ અવસર” ઇત્યાદિ. - શ્રીમદ્ રાજચંદ્રજી આવા પરમ નિર્દોષ, પરમ નિવિકાર, વીતરાગ જ્ઞાની પવિત્ર પુરુષ જે કોઈ હોય તે જ બાહ્યાભ્યતર ગ્રંથથી રહિત સાચા ભાવનિગ્રંથ છે, તે જ શાસ્ત્રોક્ત સકલ સાધુગુણથી શોભતા સાધુચરિત સાચા સપુરુષ છે, તે જ આત્માના પ્રત્યક્ષ પ્રગટ સતસ્વરૂપને પ્રાપ્ત થયેલા સાચા ભાવલિંગી સદગુરુ છે, તેજ સર્વ પરભાવ-વિભાવનો સંન્યાસ-ત્યાગ કરનારા આત્મારામી ભાવસાધુનું જ સાચા “સંન્યાસી —ધર્મસંન્યાસયોગી છે, તે જ સર્વ પરભાવ-વિભાવ પ્રત્યે પ્રાધાન્ય અગ્રહણબુદ્ધિરૂપ મન ભજનારા સાચા “મુનિ' છે, તે જ રવરૂપવિશ્રાંત ' શાંતમૂર્તિ સાચા “સંત” છે, તેજ સહજ આત્મસ્વરૂપ પદનો સાક્ષાત યોગ પામેલ સાચા ભાવયોગી છે, તે જ સમભાવભાવિત સાચા ભાવશ્રમણ છે, તે જ યથોક્ત ભાવલિંગસંપન્ન સાચા ભાવસાધુ છે અને તે ભાવલિંગી ભાવસાધુનું જ પ્રાધાન્ય છે. હજારો દ્રવ્યલિંગીઓની જમાત એકઠી થતાં પણ જે જનકલ્યાણ કે શાસન ઉદ્યોત નથી કરી શકતી, તે આવો એક ભાવલિંગી સાચો આદર્શ ભાવનિર્ચથ સહજ સ્વભાવે કરી શકે છે,–જેમ એક જ સૂર્ય કે ચંદ્ર વિશ્વમાં પ્રકાશ રેલાવી શકે છે: હજારો ટમટમતા તારાઓ એકત્રપણે પણ તેમ કરી શકતા નથી. IMG-IN: :: || ર પાક સાdus: TILL રહી Tryinister N/ Insii seks : ';K e BIRJ Balliણી aધ ના કામithjil/USA it d , le: - ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6