Book Title: Bhavlinghnu Pradhanya
Author(s): Bhagvandas Mehta
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૧૨૪ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ પણ પાવન ૪ “ના વાવના હોય છે, એમના દર્શન કરતાં પણ આત્મા પાવન થઈ જાય એવા તે પરમ પવિત્રાત્મા હોય છે. એમના પવિત્ર આત્મચારિત્રનો કોઈ એવો અદ્ભુત મૂક પ્રભાવું પડે છે કે બીજા જીવોને દેખતાં વેંત જ તેની અજબ જાદુઈ અસર થાય છે. આવા કલ્યાણમૂતિ, દર્શનથી પણ પાવન, નિર્દોષ, નિવિકાર વીતરાગ એવા જ્ઞાની પુરુષ, એમની સહજ દર્શનમાત્રથી પણ પાવનકારિણી ચમત્કારિક પ્રભાવતાથી સાચા મુમુક્ષુ યોગીઓને શીધ્ર ઓળખાઈ જાય છે. કારણ કે તેવા મૌન મુનિનું. દર્શન પણ હજારો વાગાબરી વાચસ્પતિઓનાં લાખો વ્યાખ્યાનો કરતાં અનંતગણો સચોટ બોધ આપે છે. દેહમાં પણ નિર્મમ એવા આ અવધૂત વીતરાગ મુનિનું સહજ ગુણસ્વરૂપ જ એવું અદ્ભુત હોય છે. જેમકેઃ “શાંતિકે સાગર અર, નીતિકે નાગર નેક, - દયાકે આગર જ્ઞાન ધ્યાનકે નિધાન હો; શુદ્ધ બુદ્ધિ બ્રહ્મચારી, મુખ બાનિ પૂર્ણ પ્યારી, સબનકે હિતકારી, ધર્મ કે ઉદ્યાન હો; રાગદ્વેષસે રહિત, પરમ પુનિત નિત્ય, ગુનસે ખચિત ચિત્ત, સજજન સમાન હો; રાજચંદ્ર પૈર્ય પાળ, ધર્મ ઢાલ ક્રોધ કાલ, મુનિ તુમ આગે મેરે, પ્રનામ અમાન હો.” – શ્રીમદ્ રાજચંદ્રજી શ્રી સૂત્રકૃતાંગના કિ. મૃ. ૪. ના ૭૦ મા સત્રમાં નિગ્રંથમુનિનું આ પ્રકારે પરમસુંદર હદયંગમ વર્ણન કર્યું છે: “તે અણગાર ભગવંતો ઈસમિત, ભાષાસમિત, એષણસમિત, આદાનભંડમાત્ર નિક્ષેપણસમિત, પારિજાપનિકાસમિત, મનસમિત, વચન સમિત, કાયસમિત, સૂત્રકૃતાંગમાં વર્ણવેલું નગુપ્ત, વચનગુપ્ત, કાયગુપ્ત, ગુપ્ત, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી, અક્રોધ, અમાન, નિગ્રંથમુનિનું આદર્શ અમાય, અલોભ, શાંત, પ્રશાંત, ઉપશાંત, પરિનિવૃત્ત, અનાશ્રવ, અગ્રંથ, સ્વરૂપ છિન્નશ્રોત, નિરુપલેપ, કાંરયપાત્ર જેવા મુક્તજલ, શંખ જેવા નિરંજન, જીવ જેવા અપ્રતિહતગતિ, ગગનતલ જેવા નિરાલંબન, વાયુ જેવા અપ્રતિબંધ, શારદજલ જેવા શુદ્ધહૃદય, પુષ્કરપત્ર જેવા નિમ્પલેપ, કૂર્મ જેવા ગુદ્રિય, વિહગ જેવા વિપ્રમુક્ત, ગડાના શીંગડા જેવા એકજાત, ભારંડ પક્ષી જેવા અપ્રમત્ત, કુંજર જેવા ઊંડીર (મસ્ત), વૃષભ જેવા સ્થિરસ્થામ. સિંહ જેવા દધર્ષ, મંદર જેવા અપ્રકંપ, સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવા સૌમ્ય વેશ્યાવંત, સૂર્ય જેવા દીuતેજ, જાત્યસુવર્ણ જેવા જાતરૂપ, વસુંધરા જેવા સર્વસ્પર્શવિષહ, સુત હુતાશન જેવા તેજથી જવલંત હોય છે. તે ભગવંતોને ક્યાંય પણ પ્રતિબંધ હોતો નથી. ૪. “સક્રિ: કલ્યાળસંપક કરનાર વ: | તથાનતો થોનો યોજાવવા તે ” – શ્રી યોગદરિસમુચ્ચય આ યોગાવંચકઆદિનું વરૂપ સમજવા જુઓ મસ્તૃત ચોગકિસમુચ્ચય વિવેચન. ૫. તે ના નામ મળમારા મનાવતો હરિયાણમિયા માતામિયા ઈ. ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6