Book Title: Bhartuhari Nirvedam
Author(s): Harihar Upadhyaya
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 41
________________ - ભર્તુહરિનિર્વે હું देवतिलका - राजन् ! प्राधान्यतः स्वर्गसुखहेतवः पुत्रा इति तानाद्रियन्ते महान्तः। {ના છે . પર્ટુરિનિર્વેવમ્ - केलीलम्बामलकपटली पाणिनोन्नीय धूलीનિતં હથવસનશા યમુન્નાર્નીત્વ: ?Wારના राजा - (आत्मगतम् ।) कस्य नामैतादृशानि ललितान्यकुशीभवन्ति હૈયા (પ્રારા ) મન્નિન્ ! क्षणिकादाविलीभावाभावादेवंविधादपि। निर्मलस्यात्मनः किं स्यादर्पणस्येव फूत्कृतात् ।।२१।। अपि चस्त्रीव्रणान्नधरे रक्तरेताक्लेदोद्गते च्युते। किमावनाहितश्रद्धाः पुत्रे बद्धादराः कुतः ?।।२२।। - વૈરાગ્યોપનિષદ્ દોડીને આવી ગયો હોય, તેને ખોળામાં બેસાડી દીધો હોય, કીડા કરતા લાંબા થઈ ગયેલા વાળને હાથથી સરખા કરીને, ધૂળથી ખરડાયેલું એવું આ કુમારનું મુખ પોતાના વાના છેડાથી કોણ લૂછશે ? ઓહ.. હવે આ કુમાર પિતૃસુખથી તદ્દન વંચિત થઈ જશે. રાજા (પોતાન) - દીકરાની આ ચેષ્ટાઓ રાગીના હૃદયનો જ કબજો લઈ શકે. વૈરાગીના હૃદય પર આ લલિતો અંકુશરૂપ બની શકતા નથી. (પ્રગટ કહે છે) મંત્રી ! આવા ભાવો ક્ષણિક છે, રાગાદિથી મિશ્રિત પણ છે. પણ જેનો આત્મા નિર્મળ છે તેના પર તેની શું અસર થઈ શકે ? જેમ અરીસા પર ફૂંક મારવાથી કોઈ અસર થતી નથી. તેમ પુત્રની મનમોહક ચેષ્ટાઓથી પણ વૈરાગીને કોઈ ફરક પડતો નથી. વળી - જે સ્ત્રીના વ્રણ (ગુમડાં જેવી અતિ બીભત્સ એવી યોનિ) માંથી બહાર આવ્યો છે, શુક્ર અને શોણિતના અશુચિ-કાદવમાંથી ઉદભવ પામ્યો છે, જે નશ્વર છે, તેના રક્ષણમાં લોકો કેમ અભિલાષા કરે છે ? એવા યુગમાં લોકોને કેમ અતિ સ્નેહ જાગે છે ? चिराचीणैर्दुःखैः समुदयति यन्नाशनियतं, तदाशङ्कादुःखैः स्थितमपि चिरं यद्यथयति। विनाशे दुःखानां विधिरहह ! यत्तत्र विदुषां, सुखे स्वर्गादौ चेद्रतिरतितरां नापदि कुतः ।।२३।। अत एव कियन्ति दुःखदुर्दिनानि कियती सुखखद्योतिकेत्युदाहरन्ति महान्तः । अपि चब्रह्मानन्दघनाम्भोधेः कणाः स्वाप्रमुखं सुखम् । – વૈરાગ્યોપનિષદ્ - દેવતિલક :- રાજન ! પ્રાધાન્યથી પત્રો સ્વર્ગના સુખના હેતુ છે. માટે મહાપુરુષો તેમનો આદર કરે છે = તેમના પર ખૂબ સ્નેહ રાખે છે. રાજા :- લાંબા સમય સુધી દુ:ખોને સહન કર્યા પછી જેનો ઉદય થાય છે. જેનો વિનાશ નિશ્ચિત છે. અરે, હજી એનો વિનાશ ન થયો હોય, તો પણ તેના વિનાશનો ભય જ દુઃખોના ડુંગરો જેવો બની જાય છે. ચિરકાળ સુધી વ્યથાકારી બને છે. અને વિનાશ પામે ત્યારે જે દુ:ખોનો વિધાતા થાય છે. એવા સ્વર્ગ, સમૃદ્ધિ વગેરેમાં જો બુદ્ધિશાળીઓ રતિ કરતા હોય, તો આપત્તિમાં રતિ કેમ કરતા નથી ? વાસ્તવમાં તો સ્વર્ગ વગેરે અને આપત્તિ તુલ્ય જ છે. માટે જ મહાપુરુષો કહે છે કે દુ:ખના દુર્દિનો (વાદળો ઘેરાયેલા હોય, એવા અંધારા દિવસો) ઘણા હોય છે. અને આગિયાના ચમકારા જેવા સુખો થોડા જ હોય છે. વળી બ્રહ્માનંદઘન એ દરિયા જેવો છે, અને સ્વર્ગ વગેરેનું સુખ એ

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44