________________
૧૯
૨૦
એમ થાય કે આ મેં શું બગાડ્યું છે, તે મારું આ બગાડે છે.
પ્રશ્નકર્તા : એવું થાય છે. આપણે કોઈનું નામ લેતાં નથી, તો અમને લોક શું કરવા દંડા મારે છે ?
દાદાશ્રી : હા. તેથી તો આ કોર્ટો, વકીલો બધાનું ચાલે છે. એવું ના થાય તો કોર્ટોનું શી રીતે ચાલે ? વકીલનો કોઈ ઘરાક જ ના થાય ને ! પણ વકીલો ય કેવાં પુણ્યશાળી, ને અસીલો ય સવારમાં ઊઠીને વહેલા વહેલા આવે ને વકીલ સાહેબ હજામત કરતા હોય. તો પેલો બેસી રહે થોડીવાર, સાહેબને ઘેર બેઠાં રૂપિયા આપવા આવે. સાહેબ પુણ્યશાળી છે ને ! નોટિસ લખાવી જાય ને પચાસ રૂપિયા આપે. એટલે ન્યાય ખોળશો નહીં તો બધું ગાડું રાગે પડશે. તમે ન્યાય ખોળો છો એ જ ઉપાધિ છે.
પ્રશ્નકર્તા: પણ દાદા, એવો વખત આવ્યો છે ને કોઈનું ભલું કરતાં હોય, તો એ જ દંડા મારે.
બધાને સોળા પડી ગયા. ને બન્યું એનું એ જ પાછું. સરવાળે તો એનું એ જ આવ્યું હોય. તો પછી શા માટે પહેલેથી ના સમજીએ. આ તો અહંકારની ડખલ છે ખાલી !
બન્યું એ જ ન્યાય ! માટે ન્યાય ખોળવા જશો નહીં. તારા ફાધર કહે, ‘તું આવો છે, તેવો છે.” એ બન્યું અને એ જ જાય છે. એની પર દાવો નહીં આપવાનો કે તમે આ શા સારું આમ બોલ્યા ? આ વાત અનુભવની છે અને નહીં તો ય જાય તો કરવો જ પડશે ને છેવટે થાકીને ય ! સ્વીકારતા હશે કે નહીં લોકો ? એટલે આમ ફાંફા મારે, પણ હતો તેનો તે જ ? તો રાજીખુશીથી કરી લીધું હોય તો શું ખોટું ? હા, મોઢે એમને કહેવાનું નહીં, નહીં તો પાછાં ઊંધે રસ્તે ચાલે. મનમાં જ સમજી જવાનું કે બન્યું એ જ જાય.
બુદ્ધિને વાપરો નહીં હવે, જે બને છે એ ન્યાય કહો. આ તો કહેશે, ‘તમને કોણે કહ્યું હતું, જઈને ઊનું પાણી મૂક્યું ? ‘અલ્યા, બન્યું એ જ ન્યાય.” આ ન્યાય સમજાય તો, ‘હવે હું દાવો નહીં માંડું.” કહેશે. કહે કે ના કહે ?
આપણે કોઈને જમવા બેસાડીએ, ભૂખ્યા હોય એટલે અને પછી એ કહે, ‘તમને કોણે કહ્યું હતું જમાડવાનું ? નકામા અમને ઉપાધિ કરી, અમારો ટાઈમ ગયો !” એવું બોલે તો આપણે શું કરવું ? વાંધો ઉઠાવવો ? આ બન્યું એ જ ન્યાય છે.
- ઘરમાંથી બેમાંથી એક જણ બુદ્ધિ સમાવી દે ને, તો રાગે પડી જાય. એ એની બુદ્ધિમાં હોય, તો પછી શું થાય ? રાતે ખાવાનું ય ના ભાવે પછી ?
વરસાદ વરસતો નથી, એ ન્યાય છે. ત્યારે ખેડૂત શું કહે ? ભગવાન અન્યાય કરે છે. એ એની અણસમજણથી બોલે છે. તેથી કરીને કંઈ વરસાદ વરસી જશે ? નથી વરસતો એ જ ન્યાય. જો કાયમ વરસાદ પડતો હોય ને, દર સાલ ચોમાસું સારું કરતો હોયને તો વરસાદને શું
દાદાશ્રી : એનું ભલું કર્યું અને એ પછી દંડા આપે છે, એનું નામ જ જાય. અને એ મોઢે કહેવાનું નહીં. મોઢે કહીએ ત્યારે પાછું એના મનમાં એમ થાય કે આ લીહટ થઈ ગયા છે.
પ્રશ્નકર્તા : આપણે કોઈની જોડે બિલકુલ સીધા ચાલતા હોઈએ, તો ય આપણને લાકડી મારે.
દાદાશ્રી : લાકડી મારી તે જ જાય ! શાંતિથી રહેવા નથી દેતા?
પ્રશ્નકર્તા : બુશકોટ પહેર્યો, તો કહેશે, બુશકોટ કેમ પહેર્યો ? અને આ ટીશર્ટ પહેર્યું, તો કહે, ટીશર્ટ કેમ પહેર્યું ? એ ઉતારી નાખીએ તો ય કહે, કેમ ઉતારી નાખ્યું?
દાદાશ્રી : એ જ ન્યાય આપણે કહીએ છીએ ને ! અને તેમાં ન્યાય ખોળવા ગયા, તેનો માર પડે છે આ બધો. એટલે ન્યાય ખોળવો નહીં. આ અમે સાદી-સીધી શોધખોળ કરેલી છે. ન્યાય ખોળીને તો આ