________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
0
૨૦૦૦૦૦૦૦૦૦- ober 2009 શ્રી આદિનાથ પ્રભુ ચરિત્ર (ભાષાંતર) માટે મળેલ અભિપ્રાયે ૧. મુનિરાજશ્રી દનવિજયજી (ત્રિપુટી) મહારાજઅમદાવાદથી લખી જણાવે છે કે
(
સચિત્ર ' શ્રી આદિનાથ પ્રભુ ચરિત્ર' પુસ્તક મળેલ છે. પુસ્તક દરેક રીતે સુ-સુંદર પ્રકાશિત કર્યું છે. ગ્રંથ પણ અપૂર્વ પ્રકાશિત છે. અને ભાષાંતર છપાવવાની ઢબ-વ્યવસ્થા દરેક સરસ છે.
મુનિરાજશ્રી દર્શનવિજ્યજી
(ત્રિપુટી)
૨. આ. શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજજૂના ડીસાથી લખી જણાવે છે કે:
શ્રી આદિનાથ પ્રભુના જીવનચરિત્રો પૂર્વાચાર્યોએ સંસ્કૃત-પ્રાકૃતમાં અત્યંત સુંદર રીતે આલેખ્યાં છે, તે પણ શ્રી અમરચંદ્રસૂરિની કૃતિ સાહિત્યના ક્ષેત્રમાં અદ્વિતીય પ્રકાશ પાડે છે. આ શ્રી આદિનાથ પ્રભુ ચરિત્ર સૂરિજીની કૃતિનો જ અનુવાદ છે. સંસ્કૃત ભાષાથી અણજાણ માટે તે આ પુસ્તક અત્યંત ઉપયોગી છે; કારણ કે અનુવાદક અનુવાદ કરવામાં અત્યંત કુશળતા વાપરી છે. ભાષા સુસંબદ્ધ, સરળ, રોચક અને ભાવવાહી છે. માત્ર ગુજ. રાતી સારું લખી, વાંચી જાણનાર પણ આ અનુવાદ વાંચીને શ્રી સૂરિજીની કૃતિનો આસ્વાદ લઈ શકે છે અને પ્રભુશ્રીન ઉચ્ચતમ જીવનના બોધની સાથે સાહિત્યનું પણ જ્ઞાન મેળવી શકે છે. ભાષા હૃદયંગમ અને મીઠી હોવાથી વાંચતાં કંટાળો આવે તેમ નથી, એટલે વાંચનાર રસપૂર્વક વાંચી શકે છે.
૩. શેઠશ્રી કુંવરજીભાઈ આણંદજી–ભાવનગરથી લખી જણાવે છે કે: પ્રિય લઘુબંધુ વલભદાસ ત્રિભુવનદાસ
:: Eાબ
તમારી લેખનશક્તિ અને હૃદયની નિર્મળતા ઉપરાંત આ શ્રી આદિનાથ ચરિત્ર ભેટ મલવા સાથે આવેલ તમારી પત્રિકામાં મારા પ્રત્યેને સદ્દભાવ પ્રદર્શિત કર્યો છે.
-
તમેએ સભા તરફથી મોકલેલ શ્રી આદિનાથ ચરિત્રની બુક ઘણું આભાર સાથે સ્વીકારી છે, અને તે બુકનું બાહ્ય અને આંતરિક સ્વરૂપ જે તમારા તે પ્રવાસ માટે અભિનંદન આપવા મન થઈ જાય છે. હાલ એ જ. સં. ૧૯૯૯ ને શ્રાવણ વદિ ૧૦
હિતેચ્છુ કુંવરજીના સસ્નેહ પ્રણામ
For Private And Personal Use Only