Book Title: Atmanand Prakash Pustak 041 Ank 02
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - શ્રી આદિનાથ પ્રભુ ચરિત્ર (શ્રી અમરચંદ્રસૂતિ ) 103 02 શ્વેકપ્રમાણ, મૂળ સંસ્કૃત ભાષામાં કાવ્યરૂપે અને સુંદર શૈલીમાં વિસ્તારપૂર્વક જુદા જુદા આગમે તથા પૂર્વાચાકૃત અનેક ગ્રંથામાંથી દેહન કરી શ્રીમાન અમચંદ્રસૂરિજીએ રચેલે આ અપૂર્વ ચં'ય છે. રચનાર મહાત્માની કવિત્વશક્તિ અદ્દભુત ; છે. તેમાં આવેલ સર્વ પ્રકારના રસ, અલંકાર, શબ્દલાલિય વગેરેથી રચના ઘણી જ સુંદર છે. તેનું આ સાદું, સરલ અને સુંદર ગુજરાતી ભાષાંતર છે. - આ ગ્રંથમાં પ્રભુના તેર ભવા તથા યુગલિકા સંબંધી અપૂર્વ વર્ણન, આ ચાવીસીમાં શ્રી આદિનાથ પ્રભુ પ્રથમ તીર્થકર થયેલ હોવાથી મનુષ્યના વ્યવહારધર્મ, શિ૯૫કળા, લેકવ્યવહારનું નિરુપણુ, નગરસ્થાપના, રાજ્યવ્યવસ્થા અને પ્રભુના સુરાજ્યનું વિવેચન, ઇદ્રો વગેરે એ પ્રભુના પંચ કલ્યાણકના પ્રસગાએ કરેલ અપૂર્વ ભક્તિપૂર્વક મહોત્સવનું જાણવા યોગ્ય અનુપમ વૃત્તાંત, પ્રભુએ આપેલ ભવતારણી દેશના અને અનેક બેધપ્રદ કથાઓ વગેરે અનેક વિષયા ઘણા વિસ્તારપૂર્વક આવેલા છે. આ ગ્રંથની કૃતિ આંતરિક જેમ ઉત્તમત્તમ છે, તેમ બાહ્ય સુંદરતામાં આ ગ્રંથમાં વિવિધ રંગની છબીઓ જેવી કે:-(૧) શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી ( આત્મારામજી ) મહારાજની–તે પાંચ રંગામાં સુશોભિત કે જે ગ્રંથ ઉધાડતાં પ્રથમ ગુરુદર્શન થાય છે, (2) આર્થિક સહાય કરનાર દાનવીર નરરતન રાવસાહેબ શેઠશ્રી કાન્તિલાલભાઈ ઈશ્વરલાલ જે. પી.ની છબી જોતાં તેમની સખાવતા માટે અનુમાન કરવું પડે છે, (3) પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તીર્થસ્થાપન કરે છે તે વખતની પ્રભુ સાથે ગૌમુખ યક્ષ અને ચક્રેશ્વરી શાસનદેવીની પાંચ રંગની છબીના દર્શન કરતાં આત્માને અનહદ પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, ( 4 ) પરમપવિત્ર શ્રી શત્રુંજયગિરિ તીર્થની સુંદર છબી દર્શનના અભિલાષીઓના આત્માને શાંતિ આપે છે, (5) શ્રી અષ્ટાપદ પર્વત ઉપર પ્રભુ મેક્ષમાં પધારે છે. તે વખતની અનેક રંગમાં તૈયાર કરેલી ભગ્ય સુંદર, શુક્લધ્યાનારૂઢ, સૌમ્ય, શીતલ મૂત્તિના દર્શન કરતાં આત્માને શીતળતા અને અપૂર્વ શાંતિ પ્રાપ્ત થાય છે, તેમજ ( 6 ) પૂઠા ઉપર પવિત્ર શ્રી શકાય તીથની સુંદર છમ્મી એ રંગમાં બનાવી બાહ્ય રચના કરી ગ્રથની ગૌરવતામાં એાર વૃદ્ધિ કરી છે. પુસ્તક હાથમાં લેતાં પ્રથમ શત્રુંજય તીર્થનું દાન થાય છે. ઉપરોક્ત બંને પ્રકારની સુંદરતા કરવામાં મેટા ખર્ચ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં પ્રગટ થયેલા કોઈ પણ ગ્રંથપ્રકાશનમાં આ ગ્રંથમાં આવેલાં સુંદર ચિત્રા કરતાં વધુ સુંદર હજુ સુધી આવેલા નથી અને તે માટે આવા સખ્ત માંધવારીના સમયમાં ધણા માટે ખર્ચ થવા છતાં વ્યાપારીદષ્ટિ નહિ રાખતાં બહોળા પ્રચારની અપેક્ષા રાખી છે, તે ગ્રંથ જેવાથી માલુમ પડે તેવું છે. - એકદરે આ ચરિત્ર પહેલેથી છેલ્લે સુધી મનનપૂર્વક વાંચવા જેવું’ અને પઠનપાઠનમાં નિરતર ઉપયોગ કરવા યોગ્ય છે, જેને માટે વિશેષ લખવા કરતાં અનુભવ કરવા જરૂર છે. સુમારે પચાસ ફામ, ક્રાઉન આઠપેજ ચારસો પાનાંના આ સુંદર દળદાર ગ્રંથ ઊંચા એન્ટિક પેપર ઉપર સુંદર ગુજરાતી અક્ષરે, પાકા કપડાના સુશોભિત બાઈડીંગથી અલંકૃત કરવામાં આવેલ છે. કિંમત રૂા. 5-7-9 પાટેજ અલગ.. મુદ્રક શાહુ ગુલાબચંદ લલ્લુભાઈ : મી મહાય પ્રીન્ટીંગ પ્રેસ : દાણાપીઠ-ભાવનગર. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24