Book Title: Atmanand Prakash Pustak 009 Ank 12
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ સંમેલન, છે. આપણું એટલે શ્રીમદ્ વિજયાનંદસૂરિના સંઘાડામાં દેશકાળાનુચાર પ્રાયે આચાર શીથીલતા નથી તેપણ ભવીષ્યને માટે જમાનાને અનુસરીને કેટલાકનીયમે કરવાની જરૂર છે, તેને પણ તમારે વિચાર કરવાને છે. સાધુએના જુદા જુદા સમુદાયમાં આચાર સંબંધી પ્રવૃત્તિ એક સરખી ચાલતી નથી. ને તેથી સંગતને દેષ લાગવાના પણ સંભ છે, તેને પણ વિચાર કરી ઘટીત પગલાં ભરવાં એ તમારૂ કામ છે. કેટલાક સાધુઓ વિહાર કરતી વખતે પિતાનાં ઉપકરણે બીજા ગૃહસ્થ પાસે ઉપડાવે છે, તેમજ પિતાનાં કપડાંને કાપ સાથ્વી યા કેઈ ગૃહસ્થ પાસે કઢાવે છે. વળી કેટલાક સાધુઓ જે વડીલ સાધુની નીશ્રાએ રહે છે તેની પરવાનગી સિવાય કાગળ પત્રને વહેવાર પણ ચલાવે છે. આ વિગેરે ઘણી બાબતે એવી છે કે આ પણે આપણું સાધુઓને માટે બંધારણ નહીં કરીએ તે દેખાદેખી નું પરીણામ કઈ વખતે આપણને હાનીકારક થાય. દેશ કાળનો વિચાર કર્યા વગર શિષ્ય વધારવા તરફના મેહમાં તણુઈ કેટલાક સાધુએમાં ન સહન થાય તેવી વર્તણુક ચાલે છે, ને તેના પરિણામે તે જૈન ધર્મની નીંદાનું કારણ થઈ પડે છે, તે તેને માટે પણ આપણે એવી કે ગોઠવણ કરવી જોઈએ કે જેથી આ પ્રસરેલી બદીને ચેપ આપણા સાધુઓને લાગે નહીં. આ જમાને ખંડન મંડન યા સખત ભાષાને ઉપયોગ કરવાનું નથી. કિંતુ ખરા તને સમજાવવાનો છે. જે આપણુમાં શક્તિ હોય તે જૈનેત્તર કેમાં આપણું તને બહાળે ફેલાવે આપણે કરી શકીએ. તેને માટે અંગ્રેજી કેળવણીની પણ આપણને જરૂર છે. તે તે તરફ પણ તમે ધ્યાન આપશે. આપણું સાધુઓ પૈકી ઘણાની એવી સંચિત વૃત્તિ છે કે તેઓ ઉપાશ્રય બહાર શું છે ને શું થાય છે, તેને ખ્યાલ પણ કરતા નથી. અને તેના પરીણમે જૈનેની સંખ્યા દિનપરદિન વધવાને બદલે ઘટતી જાય છે. બીજી કેમે વખતને લાભ લઈ જયારે આગળ વધે છે ત્યારે આપણે પાછળ હકીએ છીએ. આવી સ્થિતિ આપણે બે ચાર સઈકા સુધી ચાલે તે ઈતિહાસમાં આપણે દરજજે કયાં આવીને અટકશે તેવું કહી શકતો નથી. માટે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71