Book Title: Atmanand Prakash Pustak 002 Ank 09
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૬ મા-માનદ પ્રકા. ઓશવાળ જૈન પાઠશાલાના સ્થાપનથી ઘણે દરજજે પરિપૂર્ણ થયેલી છે. તેમાં ધાર્મિક, વયવહારિક અને શારીરિક કેલવણી આપવાની ઉત્તમ પ્રકારની ગોઠવણ કરવામાં આવી છે. આ ઊપયોગી ખાતાની સ્થાપના કર્યા હજુ લાંબે વખત નથી, તેટલામાં તે પવિત્ર ખાતાએ જે કામ કર્યું છે, તે બેશક સંતેજ આપનારૂં છે તેને માટે તે ખાતાના વ્યવસ્થાપકને સારું માન ઘટે છે. ધર્મજ્ઞાન સાથે વ્યવહારિક જ્ઞાન આપવાની પદ્ધતી વિષે ઘણું વિદ્ધાના પ્રથમથી જ ઉચ્ચ અભિપ્રાય છે. મનુષ્યના આત્માનું માં ઊંડુ રહસ્ય ધમે છે, અને તેના ઉપર વ્યવહારની સર્વ પ્રવૃત્તિને આધાર છે ધર્મ વ્હાય તે પ્રવૃત્તિ સારી હોય છે. જનમંડલના ગૃહ-વ્યવહાર રાજય વિગેરે અને વૈરાગ્ય ભાવે જેવા માટે ધર્મની જરૂર છે. ધાર્મિક જ્ઞાનવિના કેવલ વ્યવહાર જ્ઞાન પગી નથી. આર્ય જીવનની સમાધિ ધર્મ ભાવનામાં જ કૃતાર્થ છે. તેવી ઉત્તમ હતી સાથે આ જૈન પાઠશાલાની પ્રવૃત્તિ જોઈ વિશેષ સતિષ પેદા થાય છે. પાઠશાલામાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યામાં જે જૂનાધિકય દેખાય છે, તે જોઈએ તેટલું સંતોષકારક નથી તથાપિ એકર અભ્યાસીઓની સંખ્યા સારી છે. મુંબાપુરી વિશાલ નગરી છે. તેથી દરેક લત્તામાંથી અભ્યાસ કરવા આવવાની અનુકૂલતા પણ ન હેવાને સંભવ છે તથાપિ દરેક મુંબઈ નિવાસી જન ગૃહસ્થ જે ખંતથી પોતાના પુત્રને મોકલવા ઉત્સાહ બતાવે તે આ પાશાલામાં અભ્યાસીઓની સંખ્યા વધે ખરી. શાલાને અંગે એક પુસ્તકાલયની જમા કરવામાં આવી છે જેમાંથી વાચક વૃંદ સારે લાભ મેલો છે, વિશેષ ખુશીની વાત તે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24