Book Title: Atmadravyathi Bhinn Parichintan
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 1
________________ - ૫૦ ] - શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા આભદ્રવ્યથી ભિન્ન ૫રચિંતન द्वितीये वस्तुनि सति चिंता भवेत् , ततः चिंतयाः सकाशाद कर्म, तेन कर्मणा कृत्वा जन्म संसार वर्तते । પચિંતન કરવું તે જ કમબંધનું કારણ છે. તે કમવડે જન્મ-સંસાર વતે છે. એ પરચિંતનને ત્યાગ કરી પવિત્ર આત્મદ્રવ્યનું ચિંતન કરવું તે કેવળ મોક્ષનું જ કારણ છે. - સજીવ અને નિર્જીવ બને પદાર્થોથી આ વિશ્વ ભરેલું છે. સજીવ પદાર્થમાં અનંતા છવદ્રવ્યો છે. અજીવ પદાર્થમાં જીવદ્રવ્ય કરતાં અનંતગુણા જડદ્રવ્યા છે. અનંતા છવદ્રમાંથી પિતાના આત્માને જુદે કરીને તેને વિચાર કરે તેનું ચિંતન કરવું અને તેમાં જ સ્થિર થઈ રહેવું તે જ મોક્ષનું કારણ છે. તે સિવાય બાકી રહ્યા તે સર્વે સજીવ અને નિજીવ દ્રવ્યો છે. તે પરદ્રવ્ય છે. તેનું ચિંતન કરવું, તેમાં શુભાશુભ ઉપગ દેવ અને તેમાં તદાકારે પરિણમવું તે પરદ્રવ્યનું ચિંતન કહેવાય છે, જે કર્મબંધનું કારણ છે. ચિંતન બે પ્રકારે થાય છે. એક તે તેના સ્વરૂપને વિચાર કરી પરિણામે દુઃખરૂપ જાણું તેનાથી પાછા હઠવારૂપે હોય છે. બીજું ચિંતન રાગદ્વેષની લાગણીથી થાય છે. અહીં જે વાત કહેવામાં આવે છે, તે રાગદ્વેષની લાગણીઓ પેદા કરનાર ચિંતનના ત્યાગ માટે છે. જડ વસ્તુનું ચિંતન તેના આકર્ષક ને મોહક ગુણને લઈને થાય છે અને બીજું તેના સ્વભાવથી આત્માને સ્વભાવ જુદે છે તેની સરખામણી અથવા નિશ્ચય કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7