Book Title: Atma sathe Karmna Pudgalono Sambandh ane Bandhan Mukti Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 3
________________ પારમાર્થિક લેખસંગ્રહ કે-જેમ ઝાડને ટકાવી રાખનાર અને પોષણ આપનાર તેનાં મૂળ છે, તેમ કર્મોને ટકાવી રાખનાર અને પોષણ આપનાર આ મિથ્યાત્વની લાગણી છે. મિથ્યાત્વની લાગણી ન હેય તે અવિરતિ-ઈચ્છાની લાગણી તેથી એ છે કર્મસંગ્રહ કરાવે છે. મિથ્યાત્વ અને અવિરતિ તે બન્ને લાગણી ન હેય તે કષાયની લાગણી તેથી પણ ઓછો સંગ્રહ કરાવે છે અને ઉપરની ત્રણેય લાગણી ન હોય તે પ્રસંગે મન આદિ ત્રણની લાગણી ઘણે જ શેડો કમબંધ કરાવે છે. આ ઉપરથી એ સ્પષ્ટ જણાય છે કે–આત્મભાન ભૂલવું તે ‘મિથ્યાત્વી ઇચ્છાઓને કાબૂમાં રાખવાનો નિયમ ન કરે તે “અવિરતિ” રાગદ્વેષવાળી પ્રવૃત્તિ તે “કષાય અને મનવચન–શરીરની સામાન્ય પ્રવૃત્તિ તે “ગ.” કઈ વખતે એક, કેઈ વખતે બે, કઈ વખતે ત્રણ અને કઈ પ્રસંગે ચારેય જાતની લાગણીઓ એકી સાથે હોય છે. આ ચાર કારણે વડે ગ્રહણ કરાયેલાં કર્મ પુદ્ગલેને આત્માની સાથે સંબંધ થાય છે. તે સંબંધ તે તે કારણે વડે વૃદ્ધિ પામે છે અને નિમિત્તની પ્રબળતાથી લાંબા વખત સુધી ટકી રહે છે. પ્રસ્તુત ચાર કારણોથી આત્મા સાથે બંધાતા કર્મપુદ્ગલેને તેના વિરોધી આ ચાર કારણથી દૂર કરી શકાય છે. બંધનમુક્તતા-અજ્ઞાનદશામાં આત્મા પિતાની શક્તિને ઉપગ રાગદ્વેષ સાથે કરે છે, એ કારણથી આત્મા અને કર્મપુદ્ગલેને સંબંધ ટકી રહે છે. તે કારણેને દૂર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6