Book Title: Arya Kalyan Gautam Smruti Granth
Author(s): Kalaprabhsagar
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra

Previous | Next

Page 1147
________________ પૂ. દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ જૈન ધાર્મિક જ્ઞાનસત્ર - મુંબઈવાસી કચ્છી જૈન સમાજના બાળકો અને યુવાનોમાં જૈન ધર્મ અને મેક્ષલક્ષી સુસંસ્કૃતિના સંસ્કારોના વપન માટે “જ્ઞાનસત્ર” જેવા એટદાર અનોખા પ્રગનું સર્વ પ્રથમ આયોજન સં. ૨૦૩૩નાં દીવાળી વેકેશનમાં ઘાટકોપર (પૂર્વ) મધે કરાયું. આ સર્વપ્રથમ ઐતિહાસિક જ્ઞાનસત્ર શ્રી જીરાવલિ પાર્શ્વનાથ (તીથ) દેરાસર–ઉપાશ્રયના યાને શ્રી ક. વિ. એ. દેરાવાસી જૈન વાડીના હાલલ્માં જાયેલ. આશીર્વાદદાતા અને માર્ગદર્શક હતા. પૂ. અચલગચ્છાધિપતિશ્રી અને પ્રેરણાદાતા–નિશ્રાદાતા હતા સાહિત્યરત્ન પૂ. મુનિશ્રી કલાપ્રભસાગરજી મ. સાહેબ. આ જ્ઞાનસત્ર પૂ. દાદાશ્રી કલ્યાણસાગરસૂરિના ચતુર્થ જન્મશતાબ્દિ વર્ષની સ્મૃતિ નિમિતે તેઓના પુનિત નામે યોજાયેલ. આ પ્રથમ જ્ઞાનસત્રના ખર્ચને સંપૂર્ણ લાભ શ્રી ઘાટકોપર ક. . મૂ. પૂ. જૈન સંઘે લીધેલ. સં. ૨૦૩૪ માં પૂ. અચલગચ્છાધિપતિ આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. મુંબઇ પધારતાં તેઓશ્રીની નિશ્રામાં જ્ઞાનસત્ર યોજાયા. ચેથા જ્ઞાનસત્રથી તેનું સંચાલન શ્રી આ. ૨. જૈન ત. વિદ્યાપીઠ સંસ્થાએ સ્વીકારેલ છે. પૂ. અચલગચ્છાધિપતિશ્રીની સતત પ્રેરણાથી વિવિધ દાતાઓ આ જ્ઞાનસત્રમાં આર્થિક સહકાર આપત્તા રહ્યા છે. દશમાં જ્ઞાનસત્ર પહેલા જ્ઞાનસત્રના કાયમી કંડનો પ્રારંભ કરાયો. અને સં. ૨૦૩૮ ના પૂ. અચલગચ્છાધિપતિશ્રીના મહાલક્ષ્મી (તીરૂપતિ એપાર્ટમેન્ટ)ના તુમાસ દરમ્યાન પૂજ્યશ્રીની પ્રેરણાથી પયુષણમાં ભાદરવા સુદ ૫ ના પૂ. મુનિશ્રી કલાપ્રભસાગરજી મ. સા. જૈન શાસનના પાંચ અંગો તથા જ્ઞાનસત્ર દૌનિક કાર્યક્રમ અને મહત્તા ૫ર ચોટીલું અને પ્રભાવક પ્રવચન આપતાં માત્ર અડધા કલાકમાં ૩ લાખ રૂ. જેટલે વિરાટ ફંડ થયેલ. યોગાનુયોગ આ ચાતુર્માસના દીવાળી વેકેશન દરમ્યાનના શ્રી અમર સન્સવાળા શ્રેષ્ઠિશ્રી શામજીભાઈ ટોકરશી, ડુંગરશીભાઈ ટોકરશી નવીવારવાલાએ ૧૧મા જ્ઞાનસત્રના ખર્ચને સંપૂર્ણ લાભ લીધેલ. આ જ્ઞાનસત્રમાં રેકર્ડબ્રેક રૂ૫ ૨૨૫ જેટલી ડબલ સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયેલા અને અનેક યુવાન–આળકોએ પિતાના ભૂતકાલીન પાપની ભવાલોચના સ્વીકારેલ. આવા જ્ઞાનસત્રો ચલાવવા વાર્ષિક પચાસ હજાર રૂ. જેટલે ખચ આવે છે. - કછી જૈન સમાજની કન્યાઓના આધ્યાત્મિક ઉથાન કાજે સં. ૨૦૩૬ ને સં. ૨૦૩૭ના દીવાળી વેકેશન દરમ્યાન પૂ. વિદૂષી સાધ્વીશ્રી પુણ્યદયશ્રીજી મ. સા. ની પ્રેરણાથી મુલુંડ (મુંબઈ) માં અચલગચ્છ જૈન સમાજના સૌજન્યથી અને કચ્છ ભીંશરામાં સંધાન શ્રી ઝવેરચંદ જે સાવલાના સૌજન્યથી એમ બે આય સમય ગુણ જૈન કન્યા જ્ઞાનસત્ર (૮ દિવસના) યેાયા જેમાં બે વખતમાં ૨૫૦ અને ૧૫૦ જેટલી કન્યાઓ જોડાયેલી. અન્ય પૂ. સાધ્વીજી મ. સાહેબોની નિશ્રામાં કલાક-કલાકની નાની ધાર્મિક કન્યા શિબિર પણ યોજાયેલ છે. શ્રી આર્યરક્ષિત જૈન યુવક પરિષદની સ્થાપના અને પ્રવૃત્તિઓ પ્રથમ જ્ઞાનસત્ર બાદ દર મહિને જ્ઞાનસત્રમાં જોડાએલા યુવાનો અને બાળકનું ૫ મુનિશ્રી કલાપ્રભસાગરજી મ. સા. આદિની નિશ્રામાં ત્રણેક વખત મિલન યોજવામાં આવેલ. ૫ણ ચતુર્થ જ્ઞાનસત્ર દરમ્યાન સં. ૨૦૩૫ના જેઠ સુદ ૯ રવિવાર તા. ૩–૬–૭૯ના પાવન દિવસે યુગપ્રભાવક અચલગચ્છાધિપતિ પૂ. આભ. શ્રી ગુણસાગરસુરીશ્વરજી મ. સા.ના વરદ હસ્તે તેઓશ્રીની પરમ તારક નિશ્રામાં જૈન શાસન અને આર્ય સંસ્કૃતિના પ્રચાર અને રક્ષણ કાજે શ્રી આયંરક્ષિત જેન યુવક પરિષદની સ્થાપના કરવામાં આવી. (૧) આ પરિષદના યુવાનો માટે દર રવિવારે ખાસ ધાર્મિક શિબિરેનું પૂ. અચલગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં આયોજન કરવામાં આવે છે. (૨) ચાતુર્માસ દરમ્યાનની રવિવારીય શિબિરમાં પરિષદના યુવાને પર્યુષણમાં વ્યાખ્યાન વાંચન વિ.ની તાલીમ મેળવે છે. જેઓને પૂજ્યશ્રીની નિશ્રામાં રહેલા પૂ. મુનિભગવંત વાચના આપે છે. (૩) પરિષદના યુવાને વિદ્યાપીઠના યુવાનની જેમ સાધુ-સાધ્વીજીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1145 1146 1147 1148 1149 1150 1151 1152 1153 1154 1155 1156 1157 1158 1159 1160