Book Title: Arvachin Gujarati Kavitama Mrutyunu Nirupan Author(s): Bhanumati Jani Publisher: Parshwa Publication View full book textPage 8
________________ તો વળી બળવત્તરાય ઠાકોર મૃત્યુના શોકને માત્ર લાગણીવેડાની સ્થિતિએ નહીં પરમ બૌદ્ધિકની પૈર્ય-ધર્મવૃત્તિથી નવાજે છે તે આ રીતે : ડૂબું હું શીદ શોકમાં ગયો જ તું અશોકમાં. ત્રિભુવન પ્રેમશંકરે ૧૯૦૨માં “કલાપીવિરહ' પ્રકાશિત કર્યું. તેમાં આલંકારિક રીતે જીવનમરણની સાતત્યપૂર્ણ ઘટનાને આમ નિરૂપે છે. ખરતાં જૂનાં પાન નવીન તરુવર ધરતાં એવાં દેહનાં દાન જન્મ જન્મ જીવને મળે.' જ્યારે ન્હાનાલાલ દ્વારિકાપ્રલયમાં યુદ્ધજન્ય મૃત્યુનું આમ નિરૂપણ કરે છે. પાનખરમાં પાંદડાં ખરે એવા ખરતા'તા યદુકુમારો મારો જાણે મમરા પડ્યા કાળ-દેષ્ટ્રાઓમાં ખબરદાર જેવા ઉપકવિ પણ પુત્રીવિરહના શોકમાંથી સમ્યફ જ્ઞાનોદય થતાં મૃત્યુને સુન્દર રૂપે નિહાળે છે : કોણ સૌંદર્ય એ મૃત્યુનું નિરખશે? કોણ જોશે બધી એની લીલા ?" ગાંધીયુગના કવિઓએ પણ મૃત્યુને વિભિન્ન રીતે ચિંતવ્યું-નિરૂપ્યું છે. રા.વિ. પાઠકે પત્નીના મૃત્યુની છેલ્લી સ્થિતિ-ધટનાને “છેલ્લું દર્શન'માં શાન્ત-સ્વસ્થ રૂપે નિરૂપી છે અને મૃત્યુના શોકને ગૌરવાન્વિત કરી બતાવ્યો છે. એમના એક બીજા કાવ્ય “ઓચિંતી ઊર્મિમાં ગતપાત્રની સ્મૃતિની જાગ્રતિને આમ ધીરગંભીર ભાવશૈલીએ વણર્વે છે. ઓચિંતી વાયુ ઊર્મિથી વાસેલી પોથી ઊઘડે - પર્ણોમાં ગૂઢ ઢંકાયું હિમબિંદુથી ખરી પડે.” ગોવિંદ સ્વામી જેવા અકાળે ચાલ્યા ગયેલા આશાસ્પદ કવિએ પણ શોકના અનુભવને કેવી ધારદાર અભિવ્યક્તિ આપી છે! ‘રે ત્યાં વચ્ચે સમયની કટારે ઉરે કાપ મૂક્યો હૈયાકેરું અરધ જ કરી સાવ રે છેહ દીધો. ઉમાશંકર મૃત્યુની કરાલતા અને ભવ્યતાને પિછાની યુગપત અભિવ્યક્તિ કરે છે : આવ મોત, સંદેશ બોલ તવ ઘર્ઘર નાદે નહીં ન્યૂન, વધુ ભલે રુદ્ર તવ રૂપ, ધરીશ તું.” અને જાણે વીરવભર્યો પડકાર ફેંકતા હોય તેવી ઉક્તિ રજૂ કરે છે : “વક્રદંત, અતિચંડ, ઘમંડ ભરેલ વિષાદ ના મુખ ઉઘાડ તુજ, શાંત ચિત્ત તવ દંત ગણીશ હું.” તો વળી “સપ્તપદી'માં મૃત્યુનું સમીકરણ પ્રભુ સાથે માંડે છે : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 512