Book Title: Arvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Author(s): Bhanumati Jani
Publisher: Parshwa Publication

View full book text
Previous | Next

Page 16
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 15 “મૃત્યુલોકના માનવીઓમાં પ્રથમ મત્ય માનવ યમરાજ છે, જેઓએ મરીને વૈવસ્વત’ નામના સંગમસ્થાનની સ્થાપના કરી. ત્યાં મરણ પછી બીજા માનવોનાં આગમન થાય છે.” * (‘ઋગ્વદ પરિચય) “પહેલા મત્ય માનવ યમરાજે “જેનો જન્મ છે, તેનું મૃત્યુ છે,” એ નિયમનું પાલન કર્યું, ને બીજા મત્ય માનવો માટે એ માર્ગ સરળ કરી આપ્યો.” " (‘ઋગ્વદ પરિચય) સાધારણ રીતે “યમ” ને જ “મૃત્યુ” ગણવામાં આવે છે. પરંતુ યમ તો શુભાશુભ કર્મના નિયામક છે. યમરાજના દર્શન કરવા કુમાર નામનો એક બાલઋષિ ત્યાં જઈ પહોચે છે. ને યમરાજને ગુરુપદે સ્થાપે છે.” “યમરાજ પાસેથી મૃત્યુની રહસ્યવિદ્યા પામી પાછો આવેલો નચિકેતા યમલોકને પુણ્યશાળી જનોને આનંદ આપનાર વિશ્રામસ્થાન તરીકે ઓળખાવે છે.” (“ઋગ્વદ પરિચય”). “કઠોપનિષદમાં આખુંય નચિકેતાવૃત્તાંત આપવામાં આવ્યું છે. જેમાં મૃત્યુની રહસ્યકથાની વાત કરવામાં આવી છે. “કઠોપનિષદ'નો સંબંધ કુષ્ણયજુર્વેદની “કઠી શાખા સાથે છે. આ શાખા અત્યારે પણ પ્રાપ્ત થાય છે. આ શાખાનો એક પ્રાચીન “બ્રાહ્મણ' પણ હતો, જે હવે પ્રાપ્ય નથી. “કઠોપનિષદ' એ તેનો જ બચી ગયેલો અંશ છે. આમાં યમ પાસે જઈ મૃત્યુની રહસ્યકથા જાણી લાવનાર નચિકેતાનું વૃત્તાંત છે. નચિકેતા યમરાજાને ત્યાં પહોંચી જઈ, મૃત્યુ પછી જીવની સ્થિતિ અંગે જાણવાની ઇચ્છામાં, અનેક પ્રલોભનો છતાં અડગ રહ્યો ત્યારે યમરાજે એ મૃત્યુના રહસ્યની વિદ્યાનું જ્ઞાન નચિકેતાને આપ્યું. જીવનનો અંત શો? ને મૃત્યુ પછી જીવની શી ગતિ થાય છે? આ પ્રશ્નનો જવાબ યમે નચિકેતાને ચોવીસ શ્લોકમાં આપ્યો છે. જે બીજી વલ્લીમાં પ્રસિદ્ધ થયો છે. આત્મનિરૂપણ એ મેધાવી આત્મા ન તો જન્મે છે, કે ન મરે છે. એ જાતેજ સ્વયંભૂ બનેલો છે. એ અજન્મા નિત્ય, શાશ્વત અને પુરાતન છે. શરીર નષ્ટ થવા છતાં એ પોતે તો નથી જ મરતો.” (કઠોપનિષદ') મારનાર જો આત્માને મારવાનો વિચાર કરતો હોય કે મરનાર પોતાને મરેલો માનતો હોય તો, એ બંને એને ઓળખતા નથી. કારણ એ નથી કોઈને મારતો, કે નથી કોઈથી ભરાતો.” (“કઠોપનિષદ') “તું આત્માને રથી જાણ, શરીરને રથ, બુદ્ધિને સારથી, અને મનને લગામ સમજ.” (“કઠોપનિષદ') “આ શરીરમાંથી એમાં રહેનાર દેહી આત્મા) મુક્ત થઈ જતાં આ શરીરમાં પછી રહે પણ શું?” (“કઠોપનિષદ') . “એ આત્મા ન તો વાણી વડે, ન મન વડે, કે ન તો નેત્ર વડે પમાય છે. કે ન અન્ય ઈન્દ્રિયો વડે એ પમાય. તેમ છતાં તે જગતનું મૂળ છે એવું પ્રતીત થવાથી, “એ છે જ. કાર્યનો વિલય પણ, કોઈક અસ્તિત્વના આશ્રયે જ શક્ય છે.” (“કઠોપનિષદ') ચૌદમા શ્લોકમાં “અમરત્વ' વિશે કહેવાયું છે “હૃદયમાં રહેનારી સંપૂર્ણ કામનાઓ જે સમયે વિરમી જય, એ સમયે મય માનવ અમર બની જાય છે અને સદેહે જ બ્રહ્મભાવને પ્રાપ્ત કરે છે.” (“કઠોપનિષદ), “જ્યારે આ જ જીવનમાં એની હૃદયગ્રંથિઓ સંપૂર્ણપણે છેદાઈ જાય છે, ત્યારે મરણધર્મા અમર બની જાય છે.” (“કઠોપનિષદ). P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 512