Book Title: Arihantcheiyanamna Kausaggama aavta Shraddhadi Panch Guno Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 4
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૬૫ મન-વચન-કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ, (કાયેત્સર્ગથી જ મને વન્દનનું ફળ કેવી રીતે મળે? એમ સર્વત્ર સમજી લેવું.) પૂજન નિમિત્ત, સત્કાર નિમિત્તે, સન્માન નિમિત્ત, બધિલાભ નિમિત્તે, નિરુપસર્ગ-મક્ષ નિમિત્તે, વધતી એવી શ્રદ્ધાવડે, મેધાવડે, તિવડે, ધારણવડ અને અનુપ્રેક્ષાવડે કાત્સર્ગમાં સ્થિત રહું છું.” વધતી કિન્તુ અવસ્થિત નહિ. વધતી શ્રદ્ધા, વધતી મેધા, વધતી ધૃતિ, વધતી ધારણા અને વધતી અનુપ્રેક્ષા. શ્રદ્ધાથી રહિત આત્માને કાત્સગ કરવા છતાં અભિલષિત અર્થની સિદ્ધિ માટે થતો નથી, માટે “રા' ઈત્યાદિ પદે કહેલાં છે. આ રીતે ભગવાન શ્રી અરિહંતની પ્રતિમાને વન્દનાદિ નિમિત્તે કત્સગ કરવામાં આવે છે. આ શ્રદ્ધાદિ પાંચ ગુણે અપૂર્વકરણ નામની મહાસમાધિના બીજ છે. તેના પરિપાક અને અતિશયથી “અપૂર્વકરણની પ્રાપ્તિ થાય છે. કુતર્કોથી ઉત્પન્ન થતા મિથ્યા વિકાને દૂર કરી શ્રવણ, પઠન, પ્રતિપત્તિ, ઈચ્છા અને પ્રવૃત્તિમાં જોડાવું એ એને પરિપાક છે તથા સ્વૈર્ય અને સિદ્ધિ પ્રાપ્ત કરવી એ એને અતિશય છે. શ્રદ્ધાદિ ગુણના પરિપાક અને અતિશયથી પ્રધાન પર પકારના હેતુભૂત “અપૂર્વકરણ” નામના ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. લાભને કમ પણ એ રીતે જ છે. શ્રદ્ધાથી મેધા, મેધાથી કૃતિ, વૃતિથી ધારણા અને ધારણાથી અનુપ્રેક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5