Book Title: Anekantvad Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 7
________________ અનેકાંતવાદ 211 વખતે કે આધાર તે સામાન્ય ઉપનિષદને લીધે, પણ એમાંથી વિશિષ્ટદૈતનું નિરૂપણ કરતી વખતે અનેકાંતદષ્ટિને ઉપયોગ કર્યો, અથવા એમ કહે કે, રામાનુજે પિતાની બે અનેકાંતદષ્ટિને વિશિષ્ટાદ્વૈતની રચનામાં પરિણત કરી અને એને પનિષદ તત્વને જામે પહેરાવીને અનેકાંતદૃષ્ટિમાંથી વિશિષ્ટાદ્વૈતવાદ ઊભો કરીને અનેકાંતદષ્ટિ તરફ આકર્ષાયેલી જનતાને વેદાંતના માર્ગમાં સ્થિર કરી. પુષ્ટિમાર્ગના પુરસ્કર્તા વલ્લભાચાર્ય, જેઓ દક્ષિણ ભારતમાં થઈ ગયા, એમના શુદ્ધાદ્વૈતવિષયક બધાં તવ જેકે છે તે ઉપનિષદના આધારવાળાં, પણ એમની સમગ્ર વિચારસરણી અનેકાંતદષ્ટિને આપવામાં આવેલું નવીન વેદાંત વરૂપ છે. આ બાજુ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં બીજા વિદ્વાન સાથે થતાંબર સંપ્રદાયના મહાન વિદ્વાનોનું ખંડનમંડનવિષયક જે દૂધ થયું એના પરિણામે અનેકાંતવાદને પ્રભાવ જનતામાં ફેલાય અને સાંપ્રદાયિક ઢબે અનેકાંતવાદનો વિરોધ કરવાવાળા પણ જાણતા-અજાણતાં અનેકાંતદષ્ટિને અપનાવવા લાગ્યા. આ રીતે જો કે એક વાદરૂપે અનેકાંતદષ્ટિ અત્યાર સુધી જેનેની જ લેખાય છે, તો પણ એને પ્રભાવ કઈ ને કઈ રૂપે, અહિંસાની જેમ વિક્ત કે અર્ધવિકૃત રૂપે, ભારતના દરેક ભાગમાં ફેલાયેલો છે. આની સાબિતી બધા ભાગોના સાહિત્યમાંથી મળી શકે છે. દિઔચિં ખં, 2, 50 ૧૫૧-૧૫ર, 155-156] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7