Book Title: Anandghanji Maharaj Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 4
________________ શ્રમણભગવ તા ૩૫ ધર્મ અને વૈરાગ્ય પર પોતાના પ્રચંડ વાણીપ્રવાહ વહેતા મૂકયો. અમદાવાદ શહેરના શ્રોતાજના સ્થળકાળ ભૂલીને તેમના પ્રવચનમાં તણાઈ રહ્યા. સળી પડે તે સંભળાય એવી શાંતિ છવાઈ ગઈ હતી. વ્યાખ્યાનમાં માડેથી પહેોંચનારા પોતે કંઈક ગુમાવ્યું છે’એવે અનુભવ કરતા હતા. મેાડા આવનાર નગરશેઠને પણ ત્રીજા શ્રેાતાઓ પાછળ બેસી જવા સિવાય છૂટકો ન હતા. શ્રોતાજનોમાં બેઠા પછી પણ નગરશેઠનુ ધ્યાન પ્રવચનમાં ચોંટ્યુ' નહિ, કારણ કે તેને વાર'વાર એક જ વિચાર ડંખતા હતા કે - મારી હાજરીની રાહ ન જોવાઈ એ તે ઠીક, પણ હું અમદાવાદને નગરશેઠ છું તેની નોંધ સુધ્ધાં ન લેવાઈ ! ' - " પ્રવચન પૂરું થયું. શ્રોતાએ આનદઘનજીને પ્રશ્નોત્તરી કરી અને વંદન કરી વીખરાવા લાગ્યા. પછી નગરશે મહાત્મા પાસે આવીને ખેલ્યા, ‘આપે પ્રવચનને આરંભ કરવામાં થોડી ઉતાવળ કરી. હું પ્રવચનમાં આવવાના જ હતા. ' ‘હું” શબ્દ પરનુ વજન નિરભિમાની મહાત્માને ન ગમ્યું. તે મૌન રહ્યા. વળી નગરશેઠે એ જ વાત દેહરાવી ‘હું આવવાને જ હતા. આપના વક્તવ્યના લાભથી મને વચિત નહોતા રાખવે, ‘ ભાઇ! મારે મન તે અધા સમાન છે. એકાદ વ્યક્તિ માટે હું શા માટે થેભુ ? અંધાના સમયની બરબાદી કરવાનું નિમિત્ત હું અને તમે શા માટે બનીએ ? ’ આ સાંભળી નગરશેઠ ઊભરો દબાવી ન શકયા. તે પેાતાના મનની વાત ખુલ્લી રીતે ખાલી ગયા : · અમારા જેવા ધસેવકો પર આપની કૃપાદિષ્ટ હાવી ઘટે. એટલા માટે તે આપને મારા તરફથી આહાર અને કપડાં વહેારાવુ છું. અને ઘટતી સેવાનો પ્રબંધ કરું છું.' નગરશેઠનુ અભિમાન જોઈ આનંદઘનજી મેલ્યા, શેઠજી, તમે વહેરાવેલા આહાર તે હવે આ દેહમાં વપરાઇ ચૂકયો છે, એટલે એ તમને લેાહીમાંસ રૂપે પાળે આપી શકાય, જે શકય નથી અને ઇચ્છનીય પણ નથી. પરંતુ તમારાં કપડાં મારા શરીર પરથી અત્યારે જ ઉતારીને પાછા આપી શકું છું.’ · એટલુ' કહીને નગરશેઠે વહેારાવેલાં વસ્ત્રોના ઘા કરી, પેાતાની મસ્તીમાં ચાલી નીકળ્યા ને જગલમાં જઈ રહ્યા. તે સમયે તેમના હાઠે એક સ્તવન રમી રહ્યું : - આશા મેરન કી કથા કીજે, ગ્યાન સુધારસ પીજે, ...આશા દાસી કે જે જાયે, તે જન જગ કે દાસા.’ યેાગસિદ્ધિ : આબુની એક ગુફા બહાર બેઠાં બેઠાં આન ંદધનજી પદ્મા ગાતા હતા, ત્યાં તેમને ખેાળતે ખેાળતા કોઈ પ્રવાસી આવી ચડયો, ને 4 f મહાત્માજી ! આપના બાળપણના મિત્રે આ કૂપા મેાકલાવ્યે છે.' હા....આ ! શાનેા કૂપે છે, ભાઈ ? ' મહાત્માએ પૂછ્યું. આગ તુક અતિ ઉત્સાહમાં આવી ગયા, ' બાપજી ! આ કૂપામાં એવી વસ્તુ ભરી છે કે જેની પાસે તે હશે તેની પાછળ દુનિયા દેટ મૂકશે ! તમારા મિત્રે આ સાધનાની સિદ્ધિ રૂપે એ પ્રાપ્ત કરીને તેને ભાગ આપને પહોંચાડવા મને માકલ્યા છે. લા, ખાતરી કરો,’ Jain Education International 2010_04 મસ્તીમાં વૈરાગ્યનાં એક્લ્યા : For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6