Book Title: Anandghanji Maharaj
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ge શાસનના શીલભદ્ર જાહers સારસ્વત પુરુષો છે અલગારી, નિઃસ્પૃહી, યોગી અને અનેક સિદ્ધિના સર્જક, કવિવર શ્રી આનંદઘનજી મહારાજ મુનિપ્રવર શ્રી આનંદઘનજી મહાન યોગી અને કવિવર હતા. તેમને ગસાધના દ્વારા અનેક સિદ્ધિ સહજપણે પ્રાપ્ત થઈ હતી. તેમની આત્મસાધના અને ત્યાગભાવના અપૂર્વ અને અલૌકિક હતી. તેઓ નિસ્પૃહી, અલગારી તેમ જ અધ્યાત્મના ઉચ્ચ સાધક-ગીરાજઅવધૂત હતા. શ્રી આનંદઘનજી મહારાજના જન્મ કે દિક્ષાનાં સ્થળ-સમયની કે ગુરુ–સંબંધી કઈ આધારભૂત માહિતી, તેમની કાવ્યકૃતિઓ કે અન્ય સાધનો દ્વારા, પ્રાપ્ત થતી નથી. તેમના જીવન વિષે કેટલીક ઘટના—કેટલાક પ્રસંગે અને અન્ય ડીઘણી માહિતી મળે છે તે લોકમુખે વહેતી આવેલી વાતોમાંથી, તેમની કાવ્યકૃતિઓના હાર્દમાંથી અને મહોપાધ્યાય શ્રી યશેવિજયજીની અષ્ટપદી' રચના વગેરેમાંથી પ્રાપ્ત થાય છે. શ્રી આનંદઘનજીને સમય આશરે વિ. સં. ૧૯૬૦ થી ૧૩૦ સુધીને મનાય છે. તેમને જન્મ પ્રાયઃ બુંદેલખંડના કેઈ ગામમાં થયું હતું. તેમનું દીક્ષાવસ્થાનું નામ લાભાનંદ” હતું અને “આનંદઘન” એ તેમનું ઉપનામ હતું. શ્રી આનંદઘનજી મહારાજના સંપર્કમાં મહ૦ યશવિજયજી અને પંન્યાસ શ્રી સત્યવિજયજી આવ્યા હતા. તેમાં માત્ર યશોવિજયજી તે ત્યાં સુધી કહે છે કે – “પારસમણિ સમા આનંદધનજીના સમાગમથી લેહ જે હું યશવિજય સુવર્ણ બજે!” જ્યારે પં. સત્યવિજયજી તેમની સાથે કેટલાક સમય વનમાં રહ્યા હતા. પં. સત્યવિજયજી દ્વારા કિયોદ્ધાર, શ્રી આનંદઘનજી દ્વારા અધ્યાત્મયોગ અને મહેર યશોવિજયજી દ્વારા જ્ઞાન – એમ આત્મજ્ઞાનનાં ત્રણ અંગને ત્રિવેણીસંગમ એ સમયમાં સધાયે હતે. પંન્યાસજી દ્વારા ક્રિોદ્ધાર કરવામાં આવ્યું ત્યારે-તે સમયમાં જે શિથિલાચાર વગેરે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6