Book Title: Aho Shruta gyanam Paripatra 14
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ મૂંઝવણમાં મળ્યું માર્ગદર્શના 0 દેરાસર-ઉપાશ્રયાદિ સ્થાનોમાં એકઠી થતી વસ્તુઓના સદુપયોગ અને નિકાલ બાબત ગતાંક થી ચાલુ... છે જેમ કે ઘરમાં કોઇ નકામી ચીજ વસ્તુઓનો સંગ્રહ કરતા નથી, તેમ સંઘરવાળાએ પણ બીનજરૂરી વસ્તુઓનો સંગ્રહ દેરાસર-ઉપાશ્રયાદિ ધર્મસ્થાનકોમાં ન કરવો જોઇએ. આરાધનાના સ્થાનમાં આવી નકામી વસ્તુઓના ઢગલા દ્વારા બાવા - જાળા- કંથવા - કરોળીયાદિની ઘણી વિરાધનાઓ થતી હોય છે. શ્રી સંઘમાં તૂટેલા ઉપકરણો, નકામી ફાટેલી પૂજાની જોડો-ઉપકરણો આદિની યોગ્ય સ્થાને પારિઠાવણી કરવા દ્વારા નીકાલ કરવો જોઇએ. એ સિવાય પણ ભંગારની વસ્તુઓ, તૂટેલા ટેબલો- કામકાજ કરાવ્યા પછીના ભંગારો સંઘમાં વર્ષોથી પડેલા હોય છે. દેરાસર શુદ્ધિના કાર્યની જેમ ઉપાશ્રય શુદ્ધિના કાર્યો પણ કરાવવા જેવા છે. ભેગી થયેલી વસ્તુઓમાં સારી -ઉપયોગી વસ્તુઓનો સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા માટે યથાયોગ્ય ઉપયોગ કરી શકાય. નકામી બિનજરૂરી વસ્તુઓનો (1) નદીની રેતીમાં (2) શહેર કે ગામની બહારની જગ્યાએ ખાડાઓ પડેલા હોય ત્યાં કે (3) હાઇવે ના રસ્તાઓમાં ડાબી/જમણી બાજુએ જ્યાં ખાડાઓ હોય ત્યાં નિકાલ કરી શકાય. પસ્તીવાળાને ડાયરેક્ટ આપવા કરતા રી-સાઇકલીંગ મીલ કે જેમાં કાગળનો માવો થાય તથા જેમાં મૂળભૂત સ્વરૂપ ઉભુ રહેતું નથી. તેમાં અત્યારે ઘણાં સંઘવાળા આપે છે. તેના જે પણ રૂપિયા આવે તે જ્ઞાનખાતામાં વાપરી શકાય. ઋણ સ્વીકાર - ફીર મીલેંગે... છેલ્લા ત્રણ વર્ષથી અહો ! શ્રુતજ્ઞાનમ ને માધ્યમે ચાતુર્માસ દરમ્યાન શ્રુતજ્ઞાનને લગતી વિવિધ માહિતિઓ સાથે અમે સકળ શ્રી ચતુર્વિધસંઘની સેવામાં ઉધત રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. આ બધાજ અંકો પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિશ્વરજી , તેમના શિષ્ય પૂ.આ.શ્રી કલ્યાણબોધિસૂરિજી તથા પૂ.આ.શ્રી મુનિચંદ્રસૂરિજી મ.સા.એ સતત માર્ગદર્શન અને સંશોધન કરીને આપ્યા છે. તેઓના અમે ઋણી છીએ. સં-૨૦૬૮ ના ચાતુર્માસ દરમ્યાન અષાઢ માસે ફી આપને મળીશું. શેષકાળ દરમ્યાન આપને શ્રુતજ્ઞાનસંબંધી કોઇપણ કાર્ય સેવા જેવા કે અભ્યાસાર્થે પુસ્તક-પ્રતાદિ મંગાવવા, સંશોધનાર્થે હસ્તલિખિત ગ્રંથની પ્રાપ્તિ આદિ કોઇપણ કાર્ય સેવા હોય તો સેવકને અચૂક યાદ કરશો. આપની સેવામાં અમે પ્રયત્નશીલ રહીશું. a Printed Matter BookPosted 114(7) 77J/C, 5A P&T Guide hence not be taxed Rs. 1 અહો ! શ્રદ્ધશાળ Ticket પ્રકાશક : શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હિરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો : 9426585904 (ઓ) 22132543 E-mail : ahoshrut.bs@gmail.com

Loading...

Page Navigation
1 ... 6 7 8