Book Title: Agam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
BJદ્વીપ/૧૬૫
૧૫૩
ઘણાં જ ઘંટાયુગલ અને ચામર યુગલો, ઉત્પલ નામે જલજકુસુમ સમૂહ વિશેષ. એ રીતે પદાહસ્તક, નલિનહસ્તક આદિ. આ બધાં રત્નમય છે યાવત્ શબ્દથી સ્વચ્છ, ગ્લણ, લષ્ટ ચાવતુ પ્રતિરૂપ છે.
તે નાની વાવડી સાવત્ બિલપંક્તિના અપાંતરાલમાં તે-તે દેશમાં, તે દેશના તે-તે એદેશમાં ઘણાં ઉત્પાત પર્વતો છે. જ્યાં આવીને વ્યંતર દેવ-દેવી વિચિત્ર ક્રીડા નિમિતે વૈક્રિય શરીરની રચના કરે છે, તૈયત્યથી પર્વત તે નિયતિપર્વતા. નિયત-સદા, ભોગ્યત્વથી અવસ્થિત પર્વત. અહીં વ્યંતર દેવો-દેવી ભવઘારણીય અને વૈક્રિયા શરીરથી પ્રાયઃ સદા રમણ કરતા રહે છે.
જગતીપર્વત - એક પર્વત વિશેષ. દારુ પર્વત • લાકડામાંથી બનેલો એવો પર્વત. દકમંડ૫-સ્ફટિક મંડN. -• આ મંડપ આદિ કેટલાંક ઉત્કૃત-ઉચ્ચ, કેટલાંક ક્ષદ્ર-લઘુ, કેટલાંક નાના અને લાંબા તથા અંદોલક આદિ જયાં આવી મનુષ્યો પોતાને હીંચોડે છે, તે અંદોલક. જ્યાં પક્ષીઓ આવી પોતાને હીંચોડે છે તે પશ્ચંદોલક. તે વનખંડમાં તે-તે પ્રદેશમાં વ્યંતર દેવ-દેવી ક્રીડા યોગ્ય ઘણાં હોય છે. તે ઉત્પાત્પર્વતાદિ સર્વ રનમય, સ્વચ્છ ઈત્યાદિ છે.
તે ઉત્પાતપર્વતમાં ચાવતું પક્ષ્યદોલકમાં ઘણાં જ હંસામનો છે, તેમાં જે આસનોના અધો ભાગે હંસો રહેલા છે, જેમ સિંહાસનમાં સિંહ હોય તેમ હંસાસના જાણવું. એ પ્રમાણે ફીંચાસન, ગરુડાસનાદિ કહેવા. ઉન્નત આસન નામે જે ઉરયાસન, પ્રણતાસન-નિમ્નાસન, દીર્ધાસન-શધ્યારૂપ, ભદ્રાસન- જેમાં અધોભાગમાં પીઠિકાબંધ હોય છે. પસ્યાસન - જેના અધો ભાગે વિવિધ પક્ષીઓ છે. એ પ્રમાણે મકરાસન, સીંહાસન કહેવા. પાાસન-પા આકાર આસન. દિશા સૌવસ્તિકાસન - જેના અધો ભાગમાં દિકુ સૌવસ્તિક આલેખેલ છે. અહીં વૃત્તિકારશ્રીએ આસનોની સંગ્રાહક ગાથા નોંધી છે.
આ બધાં આસનો કેવા છે ? સર્વે રત્નમય ઇત્યાદિ પૂર્વવતુ. તે વનખંડ મળે તે-તે પ્રદેશમાં તે જ દેશના એકદેશમાં ઘણાં આલિઝટકો ઈત્યાદિ છે. અહીં માત્ર • વનસ્પતિ વિશેષ છે, તેનાથી યુક્ત ગૃહક તે આલિગૃહક. એ રીતે માનિ - વનસ્પતિ વિશેષ છે. કદલી અને લતા પ્રસિદ્ધ છે. અવસ્થાનગૃહક - જેમાં ગમે ત્યારે આવીને ઘણાં લોકો સુખે બેસીને રહે છે. પ્રેક્ષણકગૃહ - જ્યાં આવીને પ્રેક્ષકો નિરખે છે. મજ્જનકગૃહ • જ્યાં આવીને સ્વેચ્છાએ મજ્જન કરે છે, પ્રસાધનગૃહક - જ્યાં આવી
સ્વ અને પરને મંડન કરે છે. મોહતગૃહ - મૈથુન સેવા, તેનાથી પ્રધાનગૃહ તે મોહનગૃહ-વાસભવન. શાલાગૃહક - પશાલા પ્રધાન ગૃહક, જાલગૃહક • જાલયુકતગૃહક. કુસુમગૃહક-કુસુમ પ્રકોપચિત ગૃહક. વિગૃહક - યિન પ્રધાનગૃહક. ગંઘર્વગૃહક ” ગીત, નૃત્ય, અભ્યાસ યોગ્ય ગૃહકો. બધાં રતનમય છે.
તે આલીગૃહાદિમાં હંસાસનાદિ પૂર્વવત્ જાણવા. તે વનખંડ મધ્યે તે દેશમાં, તે દેશના એકદેશમાં ઘણાં જાતિ મંડપો, ચૂચિકા
૧૫૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) મંડપો ઈત્યાદિ છે. તેમાં દધિવાસુકા અને સૂરિલ્લિ બંને વનસ્પતિ વિશેષ છે. તેનાથી યુક્ત મંડપ સમજવો. તાંબૂલી-નાગવલ્લી, તેનાથી યુક્ત મંડપક. નાગ-દ્રુમવિશેષ, તે જ લતા. • x • x - મોવ - વનસ્પતિ વિશેષ, તેનાથી યુક્ત મંડપ. માનુ - એકાસ્થિક ફળ વૃક્ષ વિશેષ, તેનાથી યુક્ત મંડપ, તે માલુકા મંડપ. આ બધાં મંડપો કેવા છે ? સર્વ રત્નમય ઈત્યાદિ.
તે જાતીયમંડપ યાવત્ માલુકામંડ૫. ત્યાં ઘણાં શિલાપક કહેલ છે. તે આ રીતે - કેટલાંક હંસાસન વત્ સંસ્થિત, વાવ કેટલાંક દિકુ સૌવસ્તિકાસન સંસ્થિત. ચાવત શબ્દથી કેટલાંક કચાસન સંસ્થિત, કેટલાંક ગરડાસન સંસ્થિત, કેટલાંક ઉન્નતાસન સંસ્થિત, કેટલાંક પ્રણતાસન સંસ્થિત, કેટલાંક ભદ્રાસન સંસ્થિત, કેટલાંક પક્ષાસન સંસ્થિત, કેટલાંક મકરાસન સંસ્થિત, કેટલાંક વૃષભાસન સંસ્થિત, કેટલાંક સહાસન સંસ્થિત, કેટલાંક પાાસન સંસ્થિત, કેટલાંક દીર્ધાસન સંસ્થિત, એમ ગ્રહણ કરવું. બીજા પણ ઘણાં શિલાપક, જે વિશિષ્ટચિહ્નો અને વિશિષ્ટ નામો છે. તે પ્રધાન શયન અને આસન, તેની જેમ સંસ્થિત. પાઠાંતરથી બીજા ઘણાં શિલાપક માંસલની માફક માંસલ - અકઠિન હતા. મુર્ણ - અતિશય મકૃણ. વિશિષ્ટ સંસ્થાના સંસ્થિત.
ત્યાં આ ઉત્પાતુ પર્વતાદિના હંસાસનાદિમાં જ્યાં વિવિધ સંસ્થાના સંસ્થિત પૃથ્વીશિલાપટ્ટકમાં પૂર્વવતુ ઘણાં વ્યંતર દેવો અને દેવીઓ સુખે બેસે છે. કાયાને પ્રસારીને રહે છે પણ નિદ્રા કરતા નથી. કેમકે તેમને દેવ યોનિપણાથી નિદ્રાનો અભાવ હોય છે, ઉદ્ધસ્થાને રહે છે, બેસે છે, પડખાં ફેરવે છે. તિ-રમણ કરે છે. મનને ઈણિત લાગે તેમ વર્તે છે યથાસુખ અહીં-તહીં ગમનવિનોદ કે ગીતનૃત્યાદિ વિનોદથી રહે છે. મૈથુન સેવા કરે છે. પૂર્વભવે કરેલાં કર્મો જે સુચરિત હોય. કાર્યમાં કારણના ઉપચારથી સુચરિત કહ્યા. વિશિષ્ટ તથાવિધ ધમનુષ્ઠાન વિષય પમાદ કરણ ક્ષાંત્યાદિ સુચરિત તથા સુપરાકાંત કે તેના વડે જનિત કર્મો. સર્વ જીવો પ્રત્યે મૈત્રી, સત્ય ભાષણ, પદ્રવ્ય ન લેવું, સુશીલ આદિ રૂપ સુપરાક્રમ જનિત કર્યો. તેથી જ શુભ ફળવાળા. હવે કેટલાંક અશુભ ફળ પણ ઈન્દ્રિય અને મતિ વિપર્યાસથી શભફળ જેવા લાગે છે. તેથી તાત્વિક શુભત્વ પ્રતિપત્તિ અર્થે તેના પર્યાય શબ્દને કહે છે - કન્યા - dવવૃત્તિથી તલાવિધ વિશિષ્ટ ફળ દેનાર અથવા કલ્યાણ - અનર્થ ઉપશમકારી કે કલ્યાણરૂપ ફળ વિપાકને અનુભવતા વિચરે છે.
હવે તે જ પાવરવેદિકાની પૂર્વની ગતી ઉપર જે વનખંડ તેની જેમ વક્તવ્યતા જણાવતા કહે છે - તે જગતી ઉપર પાવરવેદિકાના મધ્ય ભાગે એક મોટું વનખંડ કહેલ છે. બધું જ બહિર્વનખંડવત્ સંપૂર્ણ કહેવું. માત્ર અહીં મણી-તૃણોના શબ્દો ન કહેવા. કેમકે પાવર વેદિકાથી અંતરિતપણે હોવાથી તથાવિધ વાયુના અભાવે મણી અને તૃણોના ચલનનો અભાવ થવાથી પરસ્પર સંઘર્ષનો અભાવ છે.
હવે દ્વાર સંખ્યા કહે છે -