Book Title: Agam Deep 37 DasaSuyakkhandam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 36
________________ 208 દસાસુથબંધ- 10104 બ્રહ્મચર્ય પાલનનું કોઈ ફળ હોય તો હું પણ પૂર્વ વણત સ્ત્રી જેવા મનુષ્ય સંબંધિ કામભોગ ભોગવતી મારું જીવન વિતાવું. હે આયુષ્યમતી શ્રમવીઓ ! તે નિર્ચન્દી નિદાન કરીને તે નિદાન ની આલોચના અને પ્રતિક્રમણ કર્યા સિવાય જીવનની અંતિમ ક્ષણે દેહ ત્યાગ કરી કોઈ એક દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. યાવતુ (પૂર્વવતું) બાલિકા રૂપે ઉત્પન્ન થઈ સુંદર પતિની ઈષ્ટ, કાંત.યાવ. રત્નની પેટી. જેવી કેવળ એક પત્ની પણ થાય છે. (બધું પહેલા નિદાન માફક જાણવું તેને કેવલિ. પ્રરૂપિત ધર્મ સાંભળવા પણ મળે. તો પણ તે શ્રદ્ધાપૂર્વક સાંભળતી નથી કેમકે તે તેને માટે અયોગ્ય છે. ઉત્કૃષ્ટ ઈચ્છા વાળી તથા મહાઆરંભ- મહાપરિગ્રહ વાળી તે અધાર્મિક સ્ત્રી યાવતું દક્ષિણ દિશા વાળી નરકમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થાય છે. હે આયુષ્યમાનું શ્રમણો ! આ તે નિદાન શલ્યનો વિપાક ફળ છે. જેનાની તેને કેવલિ પ્રરૂપિત ધર્મનું શ્રવણ થઈ શકતું નથી (એ પ્રમાણે બીજું નિયાણું) (105) હે આયુષ્યમાનું શ્રમણો! મેં ધર્મનું નિરૂપણ કરેલું છે. આ જ નિર્ચન્થ પ્રવચન સત્ય છે .... થાવ. બધાં દુઃખોનો અંત કરે છે. જો કોઈ નિર્ચન્થ કેવલિ પ્રરૂપિત ધર્મની આરાધના માટે તત્પર થાય, ભૂખ-તરસ આદિ પરિષહ સહન કરતા કદાચિતું કામવાસનાનો પ્રબળ ઉદય થઈ જાય તો તપ-સંયમની ઉગ્ર સાધના દ્વારા તે કામવાસના ને શમન કરવા પ્રયત્ન કરે છે. તે સમયે તે નિર્ચન્થ કોઈ એક સ્ત્રી ને જુએ છે. જે તેના પતિની કેવળ એકમાત્ર પ્રાણપ્રિયા છે વાવતુ ...(સર્વે પહેલા નિદાન માફક જાણવું) નિર્મન્થ તે સ્ત્રી ને જોઈને નિદાન કરે છે, “પરષ નું જીવન દુઃખમય છે.” જે આ વિશુદ્ધ માતૃપિત પક્ષવાળા ઉગ્રવંશી કે ભોગવંશી પુરષ છે. તે કોઈ નાના-મોટા યુદ્ધમાં જાય છે, નાના-મોટા શસ્ત્રોના પ્રહાર છાતીમાં લાગતા વેદનાથી વ્યથિત હોય છે. આમ પુરુષનું જીવન દુઃખમય છે અને સ્ત્રીનું જીવન સુખમય છે. જો મારા તપનિયમ અને બ્રહ્મચર્યપાલનનું કોઈ વિશિષ્ટ ફળ હોય તો હું પણ ભવિષ્યમાં તે સ્ત્રી ની જેમ મનુષ્ય સંબંધિ ભોગો ભોગવું. હે આયુષ્યમાન શ્રમણો તે નિર્ચન્ય નિદાન કરીને તે નિદાન શલ્ય ની આલોચના-પ્રતિક્રમણ કર્યા વિના જીવનની અંતિમ ક્ષણે દેહ ત્યાગ કરે. કોઈ દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. તે દેવ મોટી ઋદ્ધિવાળા યાવતુ . ઉત્કૃષ્ટ સ્થિતિ વાળો થાય છે. (એ બધું પહેલા નિદાન માફક જાણવી તે બાલિકા થાય, ભાયરૂપે અપાય. તે પોતાના પતિની એકમાત્ર પ્રાણપ્રિયા થાય છે. (એ બધું પૂર્વવતુ જાણવું તેને કેવલિ પ્રરૂપિત ધર્મ સાંભળવા તો મળે છે પણ તે શ્રદ્ધા પૂર્વક સાંભળતી નથી કેમકે તે ઘમ શ્રવણને માટે અયોગ્ય છે. તે ઉત્કટ અભિલાષાવાળી ..... યાવતુ ...દક્ષિણ દિશાવતી નરકમાં નારકી રૂપે ઉત્પન્ન થાય છે. ભવિષ્યમાં બોધિ દુર્લભ થાય છે. હે આયુષ્યમાનું શ્રમણો ! તે નિદાન નું આ પાપરૂપ ફળ છે. તેથી તે કેવલિ પ્રરૂપિત ધર્મને સાંભળી શકતી નથી. આ ત્રીજું નિદાન) [10] હે આયુષ્યમાન્ શ્રમણો ! મેં ધર્મનું પ્રતિપાદન કરેલું છે. આ નિગ્રંથ પ્રવચન સત્ય છે.....વાવત્....બધાં દુઃખો નો અંત કરે છે. એ કેવલિ પ્રરૂપિત ધર્મની આરાધના માટે કોઈ નિર્ચન્ધી તત્પર થાય. ક્ષુધા-આદિ પરિષહ સહન કરતા પણ કદાચિત્ કામ વાસનાનો પ્રબળ ઉદય થઈ જાય તો તે તપ સંયમની ઉગ્ર સાધના થકી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41