________________
મૂલ-૧૧૩૯ થી ૧૧૪૩
-૦- મૃષા - પારમાર્થિક અને સર્વોત્તમ જે પરમાર્થ મોક્ષ, તેની સાથે સંબંધ રાખનાર તાત્ત્વિક ધર્મનો ઉપદેશ છોડીને મૃષાવાદ કરવો.
-૦- ચોરી - ઉદ્ગમ, ઉત્પાદના, એષણા અને માંડલીના દોષયુક્ત ગૌચરી વાપરે તે ચોરી છે. તે રીતે ઉપધિ, ઉપકરણાદિ અશુદ્ધ વાપરે તે પણ ચોરી છે. તીર્થંકર આજ્ઞા વિરુદ્ધ વર્તતા તીર્થંકર અદત્ત લાગે. એ રીતે સ્વામી અદત્ત, જીવ અદત્ત, ગુરુ દત્ત પણ સમજવું.
-૦- મૈથુન - માત્ર મનથી પણ દિવ્ય કામ રતિના સુખને કે ઔદારિક રતિ સુખને ચિંતવે તેને અબ્રહ્મચારી માનવો. કદાચ અબ્રહ્મ ન સેવે તો પણ સ્ત્રી કયા કરે,
સ્ત્રીની વસતિમાં રહે. એ રીતે બ્રહ્મચર્યની વાડ વિરાધી. સરાગદૃષ્ટિ કરે તો પણ બ્રહ્મચર્ય ભંજક છે.
-૦- પરિગ્રહ - સંખ્યા અને પ્રમાણથી વધારે એવું જે ધર્મોપકરણ તે પરિગ્રહ પાપ છે. આગળ વધીને કહીએ તો મૂર્છા જ પરિગ્રહ છે.
પ્રશસ્તયોગોનું આચરણ તે હિંસા, થોડો પણ આરંભ તે હિંસા.
કષાય કે કુરભાવથી કલુષિત વાણી અને સાવધ વચન - મૃષાવાદ. એક તણખલું પણ માલિકની રજા વિના લે તે ચોરી. હસ્તકર્મ, શબ્દાદિ વિષયમાં આસક્તિ હોવી તે મૈથુન. જ્યાં મૂર્છા, લોભ, કાંક્ષા, મમત્વ હોય તે પરિગ્રહ. ઉણોદરી ન રાખે અને આકંઠ વાપરે તે રાત્રિ ભોજન.
૨૪૭
-૦- શબ્દાદિ વિષયો - ઈષ્ટ હોય કે અનિષ્ટ, પરંતુ તેના ઉપર ન રાગ કરવો
કે ન દ્વેષ ન કરવો. રાગદ્વેષથી આત્માને કર્મબંધ થાય.
ન
-૦- કપાયો - ક્રોધ, માન, માયા, લોભથી કર્મ બંધાય છે.
-૦- યોગો - મન, વચન, કાયાનો ખોટો પ્રયોગ, તેથી કર્મ બંધાય.
-૦- પ્રતિસેવના - ચાસ્ત્રિ પાલનમાં જે-જે વિરુદ્ધ આચરણ થાય તે.
મુનિ દીપરત્નસાગરે કરેલ
પ્રતિસેવના દ્વારનો સટીક સંક્ષેપ પરિચય પૂર્ણ
૨૪૮
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર
જ દ્વાર-૬-“આલોચના" -x-x - x - x-x
૦ [આ દ્વારનો અહીં તો અતિ સંક્ષેપ જ રજૂ કરેલ છે, પણ જિજ્ઞાસુ, ભવભીરુ, આત્માર્થી, મોક્ષાર્થી કે સંયમના ખપી સાધુ-સાધ્વીને નમ્ર પ્રાર્થના છે કે મૂળ નિયુક્તિ પાઠટીકા સહિત ખાસ વાંચવો - સમજવો - ચિંતવવો
૦ આલોચના બે ભેદે છે - મૂળગુણ સંબંધી, ઉત્તરગુણ સંબંધી. આ બંને આલોચના સાધુ, સાધ્વી વર્ગમાં ચાર કાનવાળી કહી છે. કેવી રીતે ?
સાધુમાં એક આચાર્ય અને બીજા આલોચના કરનાર સાધુ. એ બંનેના થઈને ચાર કાન થશે. એ પ્રમાણે સાધ્વીમાં પણ એક પ્રવર્તિની અને બીજી સાધ્વી એમ
બંનેના થઈને ચાર કાનો થશે.
તેઓ આચાર્ય પાસે મૂલગુણ અને ઉત્તરગુણની આલોચના કરે. એ રીતે બંનેની મળીને આઠ કાનવાળા આલોચના થાય છે.
આચાર્ય વૃદ્ધ હોય તો છ કાનવાળી આલોચના પણ થાય.
સાધ્વીજીએ આચાર્ય પાસે આલોચના લેતી વખતે સાથે બીજા સાધ્વી અવશ્ય રાખવા, પણ એકલા સાધ્વીએ કદી આલોચના ન કરવી.
૦ ઉત્સર્ગ માર્ગે આલોયના આચાર્ય ભગવંત પાસે જ કરવી જોઈએ. જો આચાર્ય ભગવંત ન હોય તો –
– બીજા દેશ કે ગામમાં તપાસ કરીને આચાર્ય પાસે આલોચના કરે. – આચાર્ય મહારાજ ન હોય તો ગીતાર્થ પાસે આલોચના કરવી.
ગીતાર્થ પણ ન મળે તો યાવત્ છેલ્લે સિદ્ધ ભગવંતની સાક્ષીએ પણ અવશ્ય આલોચના કરી આત્મશુદ્ધિ કરવી.
આચાર્ય જે રીતે આલોચના આપે તેને તે રીતે પૂર્ણ કરવી જોઈએ. ૦ આલોચનાના એકાર્થિક નામો આલોચના, વિકટના, શુદ્ધિ, સદ્ભાવદાપના, નિંદા, ગર્ભા, વિટ્ટણં, સલ્લુદ્ધરણ.
૦ શલ્ય – બે પ્રકારના છે, (૧) સૂક્ષ્મ અને બાદર. - તે બંને પણ ત્રણ ત્રણ
પ્રકારે કહેલા છે, તે આ પ્રમાણે – (૧) ઘોર (૨) ઉગ્રઘોર, (૩) ઉગ્રહરઘોર.
-
(૧) ઘોર - અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન માયા. (૨) ઉગ્રઘોર - અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, સંજ્વલની માનયુક્ત માયા. (૩) ઉગ્રતરઘોર - અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલની ચારેથી ક્રોધ-લોભ અને માનયુક્ત એવી માયા.
૦ સૂક્ષ્મ કે બાદર કોઈ પણ શલ્ય હોય, તો તેનો તત્કાળ અને જલ્દી ઉદ્ધાર કરવો જોઈએ. તે વિશે શ્રી મહાનિશીય સૂત્રમાં જોવું.
૦ ક્ષણવાર પણ શલ્ય સહિત ન રહેવું જોઈએ.
-
જેમ નાના સાપોલીયાની ઉપેક્ષા પણ ઝેર ફેલાવી શકે છે.
-
– જેમ નાનો અગ્નિનો કણીયો પણ જો બુઝાવવામાં ન આવે તો થોડીવારમાં