Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉજ્જયીની પહેાંચીને સઘળી વાત ચ'ડપ્રદ્યોતનને કહી સંભળાવી. સાંભળતાં જ ચડપ્રદ્યોતન ક્રોધના આવેશમાં આવી ગયા અને તરત જ તેણે દ્વિમુખી સામે યુદ્ધ કરવા માટેનું રણશીંગુ ફુંકાવ્યું. રણશીંગ ને શબ્દ સાંમળીને સૈન્ય એકત્રિત થઈ ગયુ. રાજા ચડપ્રદ્યાહન સૈન્ય લઇને પૃથ્વીને ક પાત્રતા કપાવતા પાંચાલ દેશની તરફ ચાલ્યું. તેની સાથે બે લાખ હાથી હતા તે સઘળા મેઘગનાની માફક ગડગડાટના શબ્દો દ્વારા સઘળી દિશાઓને વ્યાપ્ત કરતા ચાલી રહેલ હતા. તે સમયે તેના મેધધારા સમાન વરસતા મદળે!થી પૃથ્વી કિચડમય બની ગયેલ હતી. એ સઘળા હાથીઓ વિદ્યુતંત્રતા સમ્પન સેનાના આભૂષણેાથી ચમકતા હતા. એ જોનારને એવુ પ્રતીત થતું હતુ કે, જાણે આકાશમાં મેઘાનું એક સાથે મિલન થયેલ છે. સેનામાં પેાતાની ગતિથી વાયુની ગતિને પણ નબળી કરવાવાળા પચાસ હજાર ઘોડેસ્વારોનો સમૂહ હતા અનેક પ્રકારનાં શસ્રઅસ્ત્રાથી ભરેલા વીસહાર રથ હતા જેને જાતિમાન અન્ધ જોડેલ હતા. સાત કરોડ મહાનશક્તિશાળી એવા પાયદળ નિકા હતા. આવી વિશાળ સેનાથી સજ્જ થઈને ચડપ્રદ્યોતન રાન્ન થાડા સમયમાં પાંચાલ દેશની પાસે આવી પહાંચ્યા. દ્વિમુખ રાજાને ફ્તા દ્વારા એમના આવવાના સમાચાર મળ્યા ત્યારે તે પણુ ખમણી સેનાથી સજ્જ થઈને પેાતાના ચાર પુત્રાની સાથે ચંડપ્રદ્યોતન સાથે યુદ્ધ કરવા માટે પેાતાના નગરથી નીકળ્યે. અન્ને સેનાએ પાંચાલની સરહદ ઉપર સામસામે આવી ગઇ. પ્રચંડ યુદ્ધ જામી પડયું. દ્વિમુખના સૈનિકાએ અંતે ચંડપ્રદ્યોતના સઘળા સૈનિકાને અસ્તવ્યસ્ત બનાવી દીધા. આથી તેએ યુદ્ધભૂમિને છેાડીને ભાગી ગયા. કેટલાકના નાશ થયેા. જ્યારે ચડપ્રદ્યોતે પેાતાને અસહાય જોયા ત્યારે તે પણ અંતે પેાતાના પ્રાણને બચાવવા ત્યાંથી નાસી છૂટયેા. પરંતુ દ્વિમુખે તેના પિછા છેડયા નહીં સસલાની માફક ભાગી રહેલા તે રાજાને દ્વિમુખ રાજાએ પકડી લીધા અને તેને બંદીવાન બનાવી દીધા. આ પ્રમાણે ચંડપ્રદ્યાતનને આંધીને એને પોતાની સાથે લઇને દ્વિમુખ રાજા વિજય મેળવીને પેાતાના નગરમાં પ્રવેશ્યા. આ સમયે શહેરને શણગારમાં આવેલ હતું. આ યુદ્ધમાં મળેલા વિજયને કારણે પુરવાસીએએ તેમજ બંદીજનેાએ તેમની ખૂબ સ્તુતિ કરી. સઘળા તરફથી પ્રશંસા મેળવેલ એ દ્વિમુખ રાજા પછી મહેલમાં ગયા. ત્યાં તેઓએ ચડપ્રદ્યોતના ખન્ને પગેામાં ખેડીએ પહેરાવી દીધી, અને કારાગારમાં પૂરી દીધા. ધીરે ધીરે જ્યારે દ્વિમુખ રાજાના કાપ શાંત થવા લાગ્યા ત્યારે તેને વિચાર આવવા લાગ્યું કે ભલે આ ચંડપ્રદ્યોતન રાજા દૈવ ુવિ`પાકથી જ આ દુ શાને પામ્યા છે, પરંતુ મારા તરફથી હવે તેને કેઇ પ્રકારનું દુઃખ થવું ન જોઇએ. આ પ્રકારના સુ ંદર વિચારથી દ્વિમુખ રાજાએ તેને ધનરહિત કરીને કારાગારમાથી મુક્ત કરી દીધા, અને વિવિધ પ્રકારની ભાજન સામગ્રીથી તેને સત્કાર કરવા લાગ્યા, તથા જે સમયે તે પેાતાની સભામાં સિંહાસન ઉપર બેસતા ત્યારે પણ તે તેને પેાતાની સાથે જ અર્ધો સિહાસન ઉપર ઘણા જ આદરની સાથે બેસાડતા.
એક દિવસ ચંડપ્રદ્યોતનને દ્વિમુખ રાજાની પુત્રી મદનમંજરી કે જેનાં નેત્રો
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૦૮