Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જુએ! ચંદ્રમા કદી પણ પેાતાના આશ્રિતજન મૃગનો પરિત્યાગ કરતા નથી, તેમ સમુદ્રે પણ આજ સુધી વડવાનલના પત્યિગ કરેલ નથી. જો આપની દૃષ્ટીમાં પરિત્યાગ કરવા યેાગ્ય જ હતી તે પછી આપે શા માટે વિવહુ કરવાનું સ્વીકારીને મારી વિટ‘બના કરી. આથી વધુ શું કહું? આપને તે આમાં થોડો પણ દોષ નથી. ઢાષ તે મારા જ છે કે, આપના જેવા પ્રાપ્ત ન કરી શકાય તેવી વ્યકિતમાં અનુરકત બની. કાગડી ને હસમાં અનુરકત અને તે તેમાં હુંસને દોષ નથી પરંતુ કાગડીના જ દ્વાષ છે. હું ત્રિભુવન સુદર! આપે જયારે મા પરિત્યાગ જ કરી દીધા છે તેા, હવે મારૂ' રૂપ, કલા કૌશલ્ય, લાવણ્ય. યૌવન અને કુળ એ સઘળું નકામું છે હે પ્રાણપ્રિય ! હવે હું શું કરૂ? આપના વિયેાગની વ્યથાથી મારા પ્રાણ નીકળી રહ્યો છે. હ્રદય ફાટે છે, વક્ષઃ સ્થળ ફાટે છે, અને મારૂં' આ શરીર મળી રહ્યુ છે. હે કરૂણાકર ! જ્યારે તમાએ પશુએ ઉપર આટલી અગાધ દયા બતાવી તે પછી મારા ઉપર આટલા અકરૂણ કેમ ખની ગયા? આપના વિયેાગથી ઉભી થયેલ આ આપત્તિથી જે રીતે થઇ શકે તે રીતે મારૂ' રક્ષણ કરા. શું હું એ પશુએથી પણ હીન છું કે, તેના ઉપર આપની દયાના પ્રભાવ વસ્યા છે અને મારા ઉપર નહીં, આપના જેવા મહાપુરૂષની દૃષ્ટીમાં એવા પકિતભેદ ના નહાવા જોઇએ. એછામાં એછું આપ એક વખત મારી સામે જોઇ લેત તેા પણ મારા દિલમા એથી સતાષ થાત. અથવા હવે મારે શુ કરવુ જોઇએ તે વાત પણ જો આપ મને આપતા મુખેથી કહી જાત તેા પશુ હું એથી મારા જીવનને સફળ માનીલેત. પરં તુ આપે એવું કર્યું જ નહીં. કોઈ પણ પ્રકારના પરિચય મેળવ્યા સિવાય જ અ પે મને છાડી દીધી છે. જેથી આ પ્રકારના પરિત્યાગ આપના ઉચિત મનાતા નથી, આપે શુ' સમજીને મારે ત્યાગ કરેલ છે એ વાત તા ઓછામાં ઓછી હું જાણી શકત તે પણ હું મન મારીને ઘરમાં બેઠી રહેત. કહેા ! કયાંય એવું પણ બન્યું છે કે ફળના સ્વાદ લીધા વગરજ તેની મધુરતા અથવા તે કડવાશ જાણી શકાઇ હાય. સાંભળેલ છે કે આપ તે સિદ્ધિરૂપ વધૂમાં ઉત્ક ંઠિત ખન્યા છે. આ સ્થિતિમાં જ્યારે આપના મનને ઇંદ્રાણી જેવી સ્ત્રી પણ માહિત કરવામાં સમ થઇ શકે તેવું નથી તા પછી મારા જેવી મનુષ્યરૂપી કીડી તા શુંજ કરી શકે? હું તે પછો કઇ ગણત્રીમાં ? આ પ્રમાણે જ્યારે રાજીમતી વિલાપ કરી રહેલ હતી ત્યારે તેની સખીઓએ તેને એવું કહ્યું કે, સખી! તમે વિલાપ ન કરી, રાવું તે એને માટે જોઇએ કે, જેના ચિત્તમાં રાવાને પ્રભાવ પડી શકે. આ ને મકુમાર તે તદ્દન નિષ્ઠુર છે. નારના સમાગમ જન્ય રસને તે શું જાણે. એજ કારણ છે કે, જેથી તેમણે આપને
આ પ્રકારથી પરિત્યાગ કરી દીધેલ છે ભલે ક્રાઇ ચિંતાની વાત નથી. એમનાથી પ્રભાવશાળી એવા બીજા પણ ઘણા રાજકુમારે છે કે, જેઓ તમાકુ ચગ્ય છે એમાં જેને ચાહા તેને વરી શકા છે. એકલા નૈમિકુમારથી જ કયાં અટકયુ છે. વ્યમાં વિલાપ કરીને ચિત્તને શા માટે દુઃખ પહેાચાડા છે. આ માટે જ્યના આ વિલાપને છેડી દે।. આ પ્રકારનાં સખીજનાનાં વચનાને સાંભળીને રાજીમતાએ પેતાના બન્ને હાથેાને કાનની આડા રાખીને કાનને બંધ કરી દીધા, અને કહ્યું—હે સખીએ તમે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૩૪