________________
ગાથા-૧
૩
૨૭ ભક્તપરિજ્ઞા-પ્રકીર્ણક સૂત્ર-૪
મૂળસૂત્રનો અનુવાદ
૦ [ભક્તપરિ સૂત્ર ઉપર ગુણરત્નસૂરિ થિત અવસૂરીનો ઉલ્લેખ મળે જ છે, અમોએ તેમની વતુ:શરણ આદિ પયાની અવસૂરી જોઈને તેના અંશો નોંધ્યા પણ છે. પરંતુ અમોને “ભક્તપરિજ્ઞા” વિષયે પ્રાપ્ત અવચૂર્ણી ઘણી ખુટક લાગતાં છોડી દીધેલી હોવાથી અને પછી વિશેષ પુરુષાર્થ પણ નહીં કરેલ હોવાથી અહીં માત્ર મૂળ ગાથાનો અનુવાદ જ નોંધેલ છે.]ø ૦ સૂત્રાર્થ અને વિવેચનાં બંને ન હોવાથી અમારી સ્ટાઈલ મુજબ ૭ સૂત્ર-૧, સૂત્ર-૨... અને વિવેચન-૧, વિવેચન-૨... એવો ક્રમ ન હોવાથી અહીં સીધો ગાયાક્રમ જ ક્રમશઃ લખ્યો છે –
[૧] મહાઅતિશયવંત, મહાનુભાવ મુનિ મહાવીરને નમીને પોતાના અને બીજાના સ્મરણ માટે હું ભક્તપરિજ્ઞા કહીશ.
[૨] સંસારરૂપી ગહનવનમાં ભમતાં, પીડાયેલા જીવે જેને આશરે મોક્ષ સુખ પામે છે, તે કલ્પવૃક્ષના ઉધાન સમાન સુખને આપનારું જૈન શાસન જયવંતુ વર્તે છે. [૩] દુર્લભ મનુષ્યત્વ અને જિનવચનને પામીને સત્પુરુષો શાશ્વત સુખના એક રસિક એવા જ્ઞાનને વશવર્તી થવું જોઈએ.
[૪,૫] જે સુખ આજ થવાનું, તે કાલે સંભારવા યોગ્ય થશે, તેથી પંડિતો ઉપસર્ગરહિત મોક્ષસુખ વાંછે. મનુષ્ય અને દેવતાનું સુખ પરમાર્થથી દુઃખ જ છે, કેમકે પરિણામે દારુણ છે. તેનાથી શું?
[૬,૭] જિનવચનમાં વિશુદ્ધ બુદ્ધિવાળાએ શાશ્વત સુખનું સાધન જે જિનાજ્ઞાનું આરાધન છે, તે માટે ઉધમ કરવો. જિનપ્રણિત જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, તપનું જે આરાધન, તે જ અહીં આજ્ઞારાધન કહ્યું.
[૮] પ્રવ્રજ્યામાં અશ્રુધત આત્મા પણ મરણ અવસરે યથાસૂત્ર આરાધના કરતો સંપૂર્ણ આરાધકપણું પામે.
[૯] અમરણધર્મો ધીરોએ તે ઉધમવંતનું મરણ ત્રણ ભેદે કહ્યું છે – ભક્તપરિજ્ઞા, ઇંગિનિ, પાદોગમ.
[૧૦,૧૧] ભક્તપરિજ્ઞા મરણ બે ભેદે – સવિચાર, અવિચાર. સંલેખનાથી દુર્બળ શરીરી સપરાક્રમી મુનિનું સવિચાર અને અપરાક્રમી સાધુનું સંલેખના રહિત જે મરણ તે અવિચાર ભક્ત પરિજ્ઞા મરણ તે અવિચારને હું યથામતિ કહીશ.
[૧૨] ધૃતિ-બલરહિત અકાળમરણ કરનાર અને અકૃતના કરનાર નિરવધ વર્તમાનકાલિક યતી નિરુપસર્ગ મરણ યોગ્ય છે.
[૧૩,૧૪] પ્રશમસુખપિપાસુ, શોક-હાસ્ય રહિત, જીવિત વિશે આશારહિત, વિષયસુખ વિગતરાગ, ધર્મોધમથી જાત સંવેગ, નિશ્ચિત મરણાવસ્થા કરેલ, સંસારનું
28/7
ભક્તપરિજ્ઞપ્રકીર્ણકસૂત્ર અનુવાદ
વ્યાધિગ્રસ્ત અને નિર્ગુણપણું જાણેલો ભવ્ય યતિ કે ગૃહસ્થ ભક્તપરિજ્ઞા મરણને યોગ્ય જાણવો.
હૃદ
[૧૫] પશ્ચાતાપથી પીડિત, પ્રિયધર્મ, દોષ નિંદવાની તૃષ્ણાવાળો, દોષ અને દુઃશીલપણાથી યુક્ત પાર્શ્વસ્થ પણ તેને યોગ્ય છે.
[૧૬] વ્યાધિ-જરા-મરણરૂપી મગરોવાળો, નિરંતર જન્મ રૂપ પાણીસમૂહવાળો, પરિણામે દારુણ દુઃખ, ભવસમુદ્ર દુરંત છે.
[૧૭,૧૮] આ અનશનથી હર્ષ સહિત. ગુરુ પાદમૂલે આવીને વિનયથી હસ્ત કમળ મુગટ કપાળે રાખી, વાંદીને કહે છે – સત્પુરુષ ! ભક્તપરિજ્ઞારૂપ ઉત્તમ વહાણે ચઢી નિયમિક ગુરુ વડે સંસારરૂપી સમુદ્ર તરવાને ઈચ્છું છું.
[૧૯ થી ૨૨] દયારૂપ અમૃતરસથી સુંદર તે ગુરુ પણ તેને કહે છે – આલોચના, વ્રત, ક્ષામણાપૂર્વક ભક્તપરિજ્ઞા સ્વીકાર. ઈ ંકહી ભક્તિ-બહુમાનથી શુદ્ધ સંકલ્પવાળો વિગત-અપાત ગુરુચરણને વિધિપૂર્વક વાંદીને, શલ્ય ઉદ્ધરવા ઈચ્છતો, સંવેગ-ઉદ્વેગથી તીવ્ર શ્રદ્ધાવાળો, શુદ્ધિ માટે જે કંઈ કરે, તેથી તે આરાધક થાય. હવે આલોચના દોષરહિત તે બાળક જેમ બચપણથી જેમ આચર્યુ હોય તેમ આલોચે.
[૨૩ થી ૨૫] આચાર્યના સમગ્ર ગુણે યુક્ત આચાર્ય પ્રાયશ્ચિત્ત આપે ત્યારે સમ્યક્ રીતે તપ આદરી નિર્મળ ભાવવાળો શિષ્ય ફરી કહે – દારુણ દુઃખરૂપ જળચર સમૂહથી ભયંકર સંસારરૂપી સમુદ્રથી તારવાને સમર્થ નિર્વિઘ્નવહાણ સમ મહાવ્રતમાં અમને સ્થાપો. કોપને ખંડેલ તેવો અખંડ મહાવ્રતી યતિ છે, તો પણ પ્રવ્રજ્યા
ઉપસ્થાપનાને યોગ્ય છે.
[૨૬] સ્વામીની સારી રીતે પાલિત આજ્ઞાને જેમ ચાકર વિધિ વડે બજાવી પાછી આપે તેમ જાવજીવ ચાસ્ત્રિ પાળી ગુરુને એમ જણાવે.
[૨૭] જેણે સાતિચાર વ્રત પાળ્યું, કે કપટ દંડે વ્રત ખંડ્યુ એવા પણ સમ્યક્ ઉપસ્થિત થયેલા તેને ઉપસ્થાપના કહી છે.
[૨૮] ત્યારપછી મહાવ્રતરૂપ પર્વતના ભારથી નમેલા મસ્તકવાળા તેને સુગુરુ વિધિ વડે મહાવ્રતની આરોપણા કરે.
[૨૯] હવે દેશવિરતિ શ્રાવક સમતિમાં રક્ત અને જિનવચન વિશે તત્પર હોય તેને પણ શુદ્ધ અણુવ્રત મરણ વખતે આરોપાય છે.
[૩૦,૩૧] નિયાણા રહિત, ઉદારચિત્ત, હર્ષવશ વિકસિત રોમરાજીવાળો તે ગુરુ-સંઘ-સાધર્મિકની અમાયી ભક્તિ કરે. જિનેન્દ્ર પ્રાસાદ, જિનબિંબ, ઉત્તમ પ્રતિષ્ઠા, પ્રશસ્ત પુસ્તક લખાવવા, સુતીર્થ અને તીર્થંકરની પૂજામાં શ્રાવક પોતાનું દ્રવ્ય વાપરે. [૩૨,૩૩] જો તે સર્વવિરતિ વિશે પ્રીતિવાળો, વિશુદ્ધ મનકાયાવાળો, સ્વજન અનુરાગ રહિત, વિષયવિષાદી અને વિક્ત હોય. તે સંચારા પ્રજ્યાને સ્વીકારે અને
નિયમથી દોષરહિત સર્વ વિરતિ પ્રધાન સામાયિક ચાત્રિ સ્વીકારે.
[૩૪,૩૫] હવે તે સામાયિકધર, મહાવ્રત અંગીકાસ્કર્તા સાધુ તથા છેલ્લું પચ્ચકખાણ કરવાના નિશ્ચયવાળો દેશવિરતિ શ્રાવક. ગુરુગુણી ગુરુના ચરણકમળમાં