Book Title: Agam 23 Upang 12 Vrashnidasha Sutra Shwetambar Author(s): Purnachandrasagar Publisher: Jainanand Pustakalay View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાચનામાં અગિયાર અંગો અને દશ પૂર્વોના પાઠોને વ્યવસ્થિત કરવામાં આવ્યા. ચતુર્થ વાચના :- કાલાધિન અંતિમ દશપૂર્વધર, બાલ વૈરાગી, અનુપમ સંવેગી શ્રી વજસ્વામીએ અંતિમ સમયે સ્વ પટ્ટધર શ્રીવજસેન સૂ.મ.ને ભયંકર દુકાલના ચરમ સમયની જાણમાં ‘લાખ સોનૈયા આપીને એક હાંડી ભાતની ચડશે તેના બીજા દિવસથી સુકાલ થશે' આ વાત જણાવી આવો ભયંકર દુકાલ વીર નિ. સં. ૫૮૦ થી ઉત્તર ભારતમાં વ્યાપ્ત થયો. જેમાં ગણો-કુલો-વાચકવંશો માત્ર નામશેષ થઈ ગયા. આગમ વારસો ટકાવનાર મુનિપુંગવોની સંખ્યા જૂજ થઈ ગઈ કાળ-બળ ક્ષયે ધારણા શક્તિની અનુકૂલતા પ્રમાણે પણ જો આગમનું સંકલન કરવામાં નહીં આવે તો રહ્યા સાધુઓ પણ રહેલા આગમના વારસાને સાચવવા સમર્થ ન નિવડી શકે માટે ભવિષ્યના અલ્પશક્તિવાળા પણ મેઘાવી સાધુઓને રાખવામાં વિષયાનુસંધાન દ્વારા સુગમતા સાંપડે તેથી સમકાલીન અન્ય પ્રભાવક આચાર્યોની સંમત્તિ લઈ શ્રી આર્યરક્ષિત સૂરિ મ. ચાર અનુયોગની વ્યવસ્થા કરી. આગમોને ચિરંજીવ બનાવ્યા વીર નિ. સં.૫૯૨ લગભગમાં દશપુર (મંદસૌર) (માલવા) નગરે ચોથી વાચના થઈ. પંચમ વાચનાઃ- વીર સં. ૮૩૦ થી ૮૪૦ લગભગમાં પૂ. આ. સ્કંદિલ સૂરિએ ઉત્તરાપથના મુનિઓને મથુરામાં તથા નાગેન્દ્રવંશીય પરમ પ્રભાવક શ્રી હિમવંત ક્ષમા શ્રમણના શિષ્ય આ. શ્રી નાગાર્જુન સૂરિએ દક્ષિણાપથના મુનિઓને વલભીમાં આગમોની સંકલના કરવા એકઠા થયા કીંતુ તે સમયની દેશગત અંધાધુંધીના કારણે એક જ સાથે ભિન્ન-ભિન્ન સ્થળે આગમવાચનાઓ કરી ભવિષ્યમાં માથુરી અને વલભીવાચનાઓના પાઠ ભેદોનું સમન્વય સહજ થઈ જશે આ હેતુંપૂર્વક પાંચમી વાચના કરી. ષષ્ઠી વાચના :- તેજ ભાવનાઓ અનુસાર માથુરી વાચનાના વારસદાર આ. શ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણે તથા વલભીવાચનાના વારસદાર આ. શ્રી કાલક સૂરિએ ભેગા મળી. શ્રમણ સંઘને એકત્રિત કરી, કાલક્રમે વિણસી જતા આગમના ખજાનાને સ્થાયી બનાવવાના શુભ આશયથી શ્રી શત્રુંજ્યાધિષ્ઠાયક શ્રી કપર્દીયક્ષ આદિ દૈવીક સહાયકથી ૫૦૦ આચાર્યાદિઓએ મળી વલભીપુર(વળા સૌરાષ્ટ્ર)માં ૫ા-થની 3 संपादक श्री For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21